SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ જે વિસ્તારમાંથી પસાર થાય છે તે વિસ્તાર બનાસકાંઠા તરીકે ખ્યાત છે. ઇબા : અર્વાચીન નદી હોવાનો મત (એજન, પુસ્તક ૧૬, પૃષ્ઠ ૬૩૪). ઉપરવાસમાં એને વડો કહે છે. વલસાડ જિલ્લામાંથી આ નદી વહે છે. પારદા : વલસાડ જિલ્લાના પારડી નજીક વહેતી વર્તમાન પાર નદી. દમણ : દમણ પાસેથી વહેતી દમણગંગા નદી. તાપી : જાણીતી તાપી નદી. ક્ષત્રપકાલીન ગુજરાત કરવેણવા : અંબિકા નદીને ચિખલી નજીક મળતી કાવેરી નદી (દક્ષિણ ભારતની ખ્યાત નદી કાવેરી નહીં). દાહનુકા : અર્વાચીન દહાણુ પાસને નાની નદી (મહારાષ્ટ્ર). ૫. હવે પર્વતોનો અર્વાચીન પરિચય મેળવીએ. ત્રિરશ્મિ : વર્તમાન નાસિક પાસે આવેલો પર્વત. વેલૂરક : કાર્લે ડુંગરની તળેટીમાં વહેળાંવ નામનું સ્થળ છે. ગુફાલેખના સ્થાન ઉપરથી આ વિહારોના નામ ઉપરથી એ કાર્લોનું પૂર્વકાલીન નામ હોવાનું સૂચવાય છે (એઇ., પુસ્તક ૭, પૃષ્ઠ ૫૯, ૬૨). ૬. ઇએ., પુસ્તક ૪૭, ૧૯૧૮, પૃષ્ઠ ૭૫. ૭. આમાં સુરાષ્ટ્ર, કુકુર, અપરાંત, અનૂપ, આકર અને અવન્તિ, ઋષિક, અશ્મક, મૂલક તથા વિદર્ભનો સમાવેશ થતો હોય. આનર્ત, કચ્છ, મરુ, સિંધ અને સૌવીરનો ઉલ્લેખ ક્ષહરાત લેખોમાં નથી. ૮. ગૌતમીપુત્ર શાતકર્ણિ પૂર્વેના સાતવાહન રાજાઓના સમયમાં તેમનો રાજ્યવિસ્તાર ધ્યાનમાં લેવો. ૯. જેમાં સુરઠ, કુકુર, અપરાંત, અનૂપ, આકર અને અવન્તિના પ્રદેશોનો સમાવેશ. ૧૦. જેમાં ઋષિક, અશ્મક, મૂલક, વિદર્ભ અને દક્ષિણના કેટલાક ભાગોનો સમાવેશ. ૧૧. આંધૌમાંથી પ્રાપ્ત શક વર્ષ ૧૧ના શિલાલેખના સંદર્ભમાં એવી અટકળ થઈ છે કે ચાષ્ટન અને નહપાન સમકાલીન રાજાઓ હતા અને બંનેએ શક સંવત વાપરેલો. તેમ જ કચ્છ ચાષ્ટનના તાબામાં અને તે સિવાયનું ગુજરાત નહપાન પાસે. જો કે આ અટકળ તદ્દન નિરાધાર છે. ૧૨. આ બધાં સ્થળોનાં વિસ્તૃત પરિચય માટે જુઓ ૧૩. જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ એક. ગુરાસાંઇ., ગ્રંથ ૧, પ્રકરણ ૧૦ અને ૧૧. ૧૪. કેમ કે માણસામાંથી ક્ષત્રપોના થોડા સિક્કા હાથ લાગ્યા છે (જુઓ રસેશ જમીનદાર, ‘માણસામાંથી ઉપલબ્ધ પશ્ચિમી ક્ષત્રપના બે અપ્રસિદ્ધ સિક્કા', વિદ્યાપીઠ, સળંગ અંક ૧૮૯, ૧૯૯૪, પૃષ્ઠ ૧થી ૪; ‘માણસામાંથી પ્રાપ્ત ક્ષત્રપોના બે અપ્રસિદ્ધ સિક્કા', સામીપ્ટ, ૧૯૯૬, પૃષ્ઠ ૩૪થી ૩૯ અને ‘એન અપ્રેઝલ રેઝયુમ ઑવ ધ વેસ્ટર્ન ક્ષત્રપ ડિનસ્ટિ ઇન લાઈટ ઑવ ફોર મોર કૉઇન્સ ફાઉન્ડ ફ્રૉમ માણસા ઇન ગુજરાત', પંચાલ, કાનપુર, ૧૯૯૮, ગ્રંથ ૧૧, પૃષ્ઠ ૭૧થી ૮૧. ઉપરાંત વડનગરમાંથી એક મુદ્રાંક પણ મળ્યું છે (જુઓ પરિશિષ્ટ એક, ક્રમાંક ૩૩). ૧૫. જુઓ પરિશિષ્ટ ત્રણ. ૧૬. નર્મદાની દક્ષિણે આવેલાં સ્થળવિશેષથી ક્ષત્રપોના સિક્કાનિધિ હાથ લાગ્યા છે. એ બાબત સામાન્યતઃ અસાધારણ જણાય છે. આ ઉપરથી તેમ જ ચાષ્ટન-રુદ્રદામાએ સાતવાહનો પાસેથી ગુમાવેલા પ્રદેશો પાછા મેળવ્યા હતા તે હકીકતને ધ્યાનમાં લેતાં ક્ષત્રપોનું શાસન તે તે વિસ્તારો ઉપર પ્રવર્તતું હોય એવું અનુમાન થઈ શકે. ૧૭. આ વિશે આ જ પ્રકરણમાં જુઓ હવે પછીનો મુદ્દો : राजपद. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy