SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ દશ ૧૮૫ તરીકે નીમ્યો હોય. જો કે આ દલીલ ગ્રાહ્ય બનતી નથી. એક બાબત એવી સૂચિત થઈ શકે છે કે રુદ્રસિંહ ૧લાના શાસનકાળ દરમ્યાન પશ્ચિમ ભારતના આ બે પ્રમુખ રાજવંશ વચ્ચે કાં તો દુશ્મનાવટનો કે કાં તો મિત્રતાનો સંબંધ હોય. શક સંવતનો પ્રારંભક ચાષ્ટન પ્રસ્તુત મુદ્દાની વિગતે છણાવટ આ ગ્રંથમાં પરિશિષ્ટ પાંચમાં કરી છે. અહીં તો આ બાબતનો નિર્દેશ પ્રસ્તુત રાજવંશો વચ્ચેના સંબંધોની તાસીરને ઉપસાવવા મિષે છે; કેમ કે આપણે નોંધ્યું તેમ શક સંવતનો પ્રારંભ કરવાનો મુખ્ય ઉદ્દેશ સાતવાહન રાજાઓ ઉપરની જીતની સ્મૃતિને ચિરંજીવ બનાવવાનો હતો. અર્થાત્ આપણે અગાઉ જોઈ ગયા તેમ નહપાને ગુમાવેલા પ્રદેશો સાતવાહનો પાસેથી ચાખને પાછા મેળવ્યા. આ ભવ્ય વિજયની યાદમાં ચાષ્ટને આ સંવત પ્રવર્તાવ્યો હતો. અભિલેખો અને રાજ્યવિસ્તાર અદ્યાપિ આપણે પારદર્શક રીતે બંને પ્રમુખ રાજવંશો વચ્ચેના રાજકીય અને સરહદી સંબંધો બાબતે નોંધ કરી છે. ખાસ તો, બંને રાજવંશોએ જીતેલા અને ગુમાવેલા પ્રદેશ વિશેની હકીકતો આપણને આ રાજવંશોના અભિલેખોમાંની માહિતીથી સંપ્રાપ્ત થઈ છે અને જેની વિસ્તારથી છણાવટ આ ગ્રંથમાં હવે પછીના પ્રકરણમાં કરી છે. તેથી અહીં આ મુદ્દાનો નિર્દેશ માત્ર બંને રાજવંશો વચ્ચેના સંબંધોને ઉપસાવવાનો છે. ત્રિકૂટ-પર્વત-પ્રતીકનું આલેખન પશ્ચિમી ક્ષત્રપો અને સાતવાહનોના ચાંદીના સિક્કાઓ ઉપર ત્રિકૂટ પર્વતનું સુંદર અને આકર્ષક આલેખન બહુ સ્પષ્ટ રીતે અંકિત થયેલું જોઈ શકાય છે. ક્ષત્રપોના સિક્કા ઉપર ઉપસાવેલા આ પ્રતીક વિશે તેમ જ ક્ષત્રપોએ આ પ્રતીકનું અનુકરણ સાતવાહનો પાસેથી સ્વીકારેલું કે કેમ તે બાબતની ચર્ચા આ ગ્રંથમાં પ્રકરણ તેરમાં કરી છે તેથી તેનું વિશ્લેષણ અહીં અપેક્ષિત નથી. પરંતુ સાતવાહનોના સિક્કા ઉપર ચૈત્ય અને પર્વત બંને પ્રતીકોનાં અલગ આલેખન થયાં હોઈ એમણે બંને પ્રતીકોનો ભિન્ન રીતે ઉપયોગ કર્યો હોવાનું સૂચવાય છે. આથી, કોણે કોની પાસેથી પ્રસ્તુત પ્રતીકનું અનુકરણ કર્યું તેનો વિવાદ ના કરીએ તો પણ એટલું તો સ્પષ્ટ થાય છે કે આ બંને રાજવંશો વચ્ચે કોઈક પ્રકારના સંબંધ હતા. હા, સનાતન કે સાર્વત્રિક બાબતનું અનુકરણ તો સહુનો અધિકાર છે જેમાં ક્ષત્રપો અને સાતવાહનો અપવાદ નથી. મુખાકૃતિનું આલેખન આપણે હવે પછીના પ્રકરણ તેરમાં અવલોકીશું તેમ પશ્ચિમી ક્ષત્રપ રાજાઓના સિક્કાઓનું સૌથી આકર્ષક અને મહત્ત્વનું લક્ષણ જો કોઈ હોય તો તે છે સિક્કા નિર્માણ કરનારા રાજાની મુખાકૃતિને અથવા કહો કે ઉત્તરાંગને ઉપસાવવું. નહપાનના સિક્કાથી શરૂ થયેલી આ પ્રથા આ રાજવંશના પ્રત્યેક શાસકના સિક્કા ઉપર અવિનાભાવે નિહાળી શકીએ છીએ. એવું સૂચિત થાય છે કે આ પ્રથાએ સાતવાહન શાસકોના સિક્કા ઉપર અસર પ્રવર્તાવી હોય; કેમ કે એમના ચાંદીના સિક્કા ઉપર તે તે રાજાની મુખાકૃતિનું આલેખન જોઈ શકીએ છીએ. સાતવાહનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy