SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ Uસિદ્ધસુખવિંશિકાd મેળવવાની ઉત્સુકતા અર્થાત્ ઇચ્છા ત્યાં વર્તે છે અને એ ઇચ્છા જ બતાવે છે કે તેની પાસે કાંઇક નથી જેની તેને ઇચ્છા છે. અને કાંઇક નથી એ જ બતાવે છે કે તેના સુખમાં કાંઈક અધૂરપ છે. તેથી ક્રિયા કરવાથી પ્રાપ્ત થતા સુખને પરમ સુખ કહી શકાય નહીં, અને સંસારમાં સર્વ પાણ સુખ કોઇકને કોઇક પ્રકારની ક્રિયાની અપેક્ષા રાખે છે. તેથી તે સુખ શ્રેષ્ઠ કહી શકાય નહીં. ત્યાં પ્રશ્ન થાય કે તો ખરેખર શ્રેષ્ઠ સુખ કયું હોઇ શકે? તો કહે છે કે સંસારમાં પાણી રહેલો કોઈ જીવ તત્ત્વનું પર્યાલોચન કરે અને તેથી તેની ઉત્સુકતાનું શમન થાય અને તેને કારણે મૂકાદિ ભાવો પ્રાપ્ત થાય. મૂકાદિ ભાવ=ઉપશમભાવ=ઈન્દ્રિયોનું ઉપશમન. અર્થાત્ બોલવાની ઉત્સુકતાનું શમન થવાથી પ્રકૃતિથી જ બોલવાની ક્રિયાનો પરિણામ ન થાય, અને આદિ પદથી તત્ત્વના પર્યાલોચનને કારણે નિરર્થક એવું નવું-નવું જાણવાની, જોવાની અને કરવાની મનોવૃત્તિ ન થાય તો ફલની અપેક્ષા ત્યાં દેખાય નહીં. તેને કારણે નિરર્થક ક્રિયા કરવાની મનોવૃત્તિ થાય નહીં. અને જે સાર્થક ક્રિયા કરવાની મનોવૃત્તિ છે તે આકુળતાના વિશેષ શમનમાં જ યત્ન સ્વરૂપ છે. તેથી કાંઇક આકુળતા વગરની સ્વસ્થ ચેતના પ્રાપ્ત થાય. આ પ્રકારનું સંસારઅવસ્થામાં પણ અનુભવાતું લૌકિક સુખ છે, તેની જેમ યુક્તિથી મોક્ષનું સુખ છે. ૨૦-૧૬ અવતરણિકાઃ પૂર્વની ગાથામાં યુકિતથી મોક્ષમાં સુખ છે સ્થાપન કર્યું. તેમ તે સુખ નિરતિશય કેમ છે તે બતાવવા અર્થે કહે છે - सव्वूसगवावित्ती जत्थ तयं पंडिएहिं जत्तेण । सुहुमाभोगेण तहा निरूवणीयं अपरतंतं ॥१७॥ सर्वोत्सुक्यव्यावृत्तिर्यत्र तत्पण्डितैर्यत्नेन सूक्ष्माऽऽभोगेण तथा निरूपणीयमपरतन्त्रम् ॥१७।। અqયાર્થ: નસ્ય જ્યાં (મોક્ષમાં) સલૂણવિવિત્ત રાવ ઔસુમની=ઉપદ્રવની વ્યાવૃત્તિ છે. (તેથી) મપરતંતે તયં અપરતંત્ર એવું =મોક્ષનું સુખ તહાં તે પ્રકારે નિરતિશય સુખ છે તે પ્રકારે કંડર્દિ પંડિતો વડે સુમોળ સૂક્ષ્મબુદ્ધિથી નળ યત્નપૂર્વક નિવળીય વિચારવું જોઇએ. पत्नन । ગાથાર્થ: મોક્ષમાં સર્વ સુક્યની વ્યાવૃત્તિ છે. તેથી અપરતંત્ર એવું મોક્ષનું સુખ, નિરતિશય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy