SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ ૧૧. 0 યોíવિશિકાd. કોના માટે શ્રેયસ્કારી છે તે બતાવ્યું. હવે કોના માટે આ અનુષ્ઠાન વિપરીત ફળ આપનાર કે નિષ્ફળ બને છે તે બતાવવું છે. જે લોકોનો સ્થાનાદિમાં લેશ પણ યત્ન નથી હોતો, એટલે કે જ્યારે ચૈત્યવંદનની ક્રિયા બતાવવામાં આવે ત્યારે પણ જેને સંવેગ પેદા ન થાય, કે તે જ રીતે કરવાનું લેશ પણ મન ન થાય, તે જીવો સ્થાનાદિમાં લેશ પણ યત્ન વગરના છે એવું કહી શકાય. જે લોકોની આગળ ઉપદેશક ચૈત્યવંદનની વિધિ યથાર્થ બતાવતા હોય ત્યારે, તે સાંભળીને તે જ રીતે કરવાના જેને ભાવ થાય છે, પરંતુ ભાવપ્રકર્ષ ન હોવાથી કે સૂક્ષ્મ બોધ નહીં હોવાથી કે તથાવિધ પ્રમાદને કારણે ક્રિયાકાળમાં તે સ્થાન, મૌન અને ધ્યાનમાં સભ્ય યત્ન ન કરી શકતા હોય, પરંતુ ઊંડે ઊંડે પણ સમ્યગૂ ચૈત્યવંદન કરવાની ભાવના હોય એવા લોકોનો સ્થાનાદિમાં લેશ પણ યત્ન નથી એવું નહીં કહેવાય. સ્થાનાદિમાં લેશ પાગ યત્ન વગરના જીવો જે ચૈત્યવંદન અનુષ્ઠાન કરે છે તે કાયવાસિત માત્ર હોય છે, કે ઉપલક્ષણથી વાવાસિત હોય છે. તેઓ કાયાથી કે વાણીથી ચૈત્યવંદન કરતા હોય છે, પરંતુ વાસ્તવિક રીતે તેમનામાં મોક્ષને અનુકૂળ ભાવો પેદા કરવા માટેનો કોઇ પણ પ્રકારનો માનસ ઉપયોગ હોતો નથી. આવા જીવો અનનુષ્ઠાનવાળા હોય છે, કેમ કે તેઓનું અનુષ્ઠાન લેશ પણ પ્રણિધાન આશયવાળું નથી હોતું. જે લોકો આલોક કે પરલોકની આશંસાપૂર્વક આવું અનુષ્ઠાન કરતા હોય છે તેઓનું અનુષ્ઠાન વિષાનુષ્ઠાન કે ગરાનુષ્ઠાન હોય છે. વળી આ લોકોના ચૈત્યવંદનને ગ્રંથકારે મહામૃષાવાદ સ્વરૂપ કહ્યું છે. કારણ કે તેઓ “અરિહંત ચેઇયાણં' સૂત્રમાં “કાળે મોળvi .. ગપ્પાને વોસિરામિ” (સ્થાન દ્વારા, મૌનધારા, ધ્યાન દ્વારા હું મારા આત્માનો ત્યાગ કરું છું.)એવી પ્રતિજ્ઞા કરીને તેમ કરવાને બદલે સ્થાનાદિનો ભંગ કરે છે. આમ, તેઓ પોતાની વાણીથી જે બોલે છે તેવું કરતા નથી. એથી જ તેઓનું અનુષ્ઠાન મહામૃષાવાદ કહેવાય છે. વળી આ જ સૂત્રમાં “નિરુવસગ્ગવત્તિયાએ” એવું બોલીને મોક્ષાર્થક પ્રતિજ્ઞાવાળું ચૈત્યવંદન અનુષ્ઠાન તેઓ વિપરીત ભાવથી કરે છે, એટલે કે મોક્ષના બદલે આલોક કે પરલોકની આશંસામાત્રથી કરે છે. તેઓ બોલે છે મોક્ષ માટે અને ભાવ કંઇક વિપરીત જ હોય છે. તેથી તેઓનું ચૈત્યવંદન મહામૃષાવાદરૂપ કહેવાય છે. વળી વિપરીત ભાવથી વિપરીત પ્રણિધાનવાળું હોવાથી આ અનુષ્ઠાન વિપરીત ફળવાળું કહેવાયું છે. આવા અનુષ્ઠાનને ગ્રંથકારે માત્ર મૃષાવાદ ન કહેતાં તેને મહામૃષાવાદ કહ્યું છે. આવું અનુષ્ઠાન કરનારા સ્વયં તો ઊંધું કરે છે પરંતુ તેઓને જોઈને બીજાને પણ એવું થાય કે આ અનુષ્ઠાન તો આવી રીતે પાણ કરાય. આમ, બીજામાં મિથ્યાત્વબુદ્ધિ ઉત્પન્ન કરાવે છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy