SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ . વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ટાળ : ૪ | ગાથા : ૮-૯-૧૦ જિનપૂજામાં થતી હિંસા એ ભગવાનની ભક્તિની ક્રિયામાં ઉપચારનું અંગ છે તેથી ભગવાનની ભક્તિરૂપ ઉપચારના અંગભૂત એવી હિંસાથી કર્મબંધ થાય નહિ. આ રીતે ભગવાનની પૂજામાં થતા પુષ્પાદિ જીવોના આરંભનો પરિહાર શુભભાવથી થાય છે અર્થાત્ શ્રાવકને શુભભાવ વર્તે છે કે ભગવાનની પૂજા કરીને પકાયના પાલનને અનુકૂળ શક્તિનો સંચય કરું જેથી મારું આ દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ બને. આ પ્રકારના શુભભાવને કારણે આરંભનો પરિહાર થાય છે. અહીં પ્રશ્ન થાય કે શ્રાવકને ભગવાનની ભક્તિનો શુભભાવ છે તોપણ પુષ્પાદિ જીવો પ્રત્યે કરુણા નથી. આથી જ ભગવાનની પૂજામાં તેઓની હિંસા થતી હોવા છતાં શ્રાવક પુષ્પાદિ જીવોની હિંસાના પરિવારમાં ઉપેક્ષા કરે છે તેને ગ્રંથકારશ્રી કહે છે. જેમ મુનિને પકાયના પાલનનો પરિણામ છે અને તે પકાયના પાલનના પરિણામના રક્ષણ અર્થે અને વૃદ્ધિ અર્થે ચારિત્રની શુદ્ધિના ઉપાયભૂત નદી ઊતરવાની પ્રવૃત્તિ કરે છે તે વખતે મુનિની નદી ઊતરવાની ક્રિયામાં પણ જળના જીવો પ્રત્યે કરુણા જ છે તેમ શ્રાવકને પુષ્પાદિ જીવો પ્રત્યે કરુણા જ છે. આથી જ જેમ નદી ઊતરતી વખતે સાધુ અતિયતનાપૂર્વક નદી ઉતરે છે જેથી શકય એટલા જીવોની રક્ષા થાય તેમ શ્રાવક પણ ભગવાનની પૂજામાં ઉપયોગી ન હોય તેવા પુષ્પાદિ જીવોને કિલામણા ન થાય અને ભગવાનની ભક્તિ કરતી વખતે પણ પુષ્પાદિ જીવોની નિષ્કારણ કિલામણા ન થાય તેની સમ્યમ્ યતના કરે છે. વળી, જેમ સાધુ સંયમના કંડકની વૃદ્ધિ અર્થે નદી ઊતરે છે માટે મુનિની જળના જીવો પ્રત્યે કરુણા છે તેમ શ્રાવક પણ ભગવાનના ચારિત્ર ગુણની સ્મૃતિ કરીને તેમની ભક્તિ દ્વારા ચારિત્રપ્રાપ્તિ કરવાના અર્થી છે તેથી પુષ્પાદિ જીવો પ્રત્યે પણ તેઓને કરુણા છે. અહીં વિશેષ એ છે કે શાસ્ત્રમાં કૂપદૃષ્ટાંત અશુદ્ધ પૂજાને આશ્રયીને કહેલું છે. તેથી જેમ કૂપ ખોદનાર પ્રથમ કાદવથી લેપાય છે અને પછી જળની પ્રાપ્તિથી તે શુદ્ધ થાય છે તેમ જે શ્રાવક પૂર્ણ શાસ્ત્રવિધિ અનુસાર પૂજા કરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy