SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૩ | ગાથા ઃ ૨૧-૨૨ ૬૧ ભાવાર્થ : અરિહંતનો વિનય કરવો એ ધર્મ છે; કેમ કે અરિહંત ભગવંતોએ સન્માર્ગ બતાવીને લોકો ઉપર ઘણો ઉપકાર કર્યો છે અને પોતે તે સન્માર્ગને સેવીને વીતરાગ સર્વજ્ઞ બન્યા છે તેથી તેમની ભક્તિ કરવારૂપ વિનયથી આત્મામાં ધર્મ પ્રગટે છે. વળી, જ્યારે આવા ઉત્તમ પુરુષારૂપ અરિહંતોનો વિરહ વર્તતો હોય ત્યારે અરિહંતનો વિનય જિનપ્રતિમાની પૂજા કર્યા સિવાય કઇ રીતે થાય અર્થાત્ થઈ શકે નહિ. આ રીતે તીર્થંકરના વિરહમાં તીર્થકરની પ્રતિમાની પૂજા કરીને જે વિનય કરવામાં આવે છે તે લોકોપચાર વિન રૂપ છે=લોકમાં કરાતા એવા ઉપચાર વિનયરૂપ છે, અને સાક્ષાત્ તીર્થકર વિહરતા હોય ત્યારે તેઓના સન્મુખ ભક્તિ કરવારૂપ લોકોપચારરૂપ વિનય સંભવે છે. તીર્થકરના વિરહમાં પ્રતિમાની ભક્તિ કર્યા સિવાય લોકોપચારવિનય સંભવતો નથી. તેથી સંભવતા સર્વ વિનયને જાણીને ઉચિત વિનય કરવો એ સમકિતનો શુદ્ધ આચાર છે. Il૩/ર૧|| અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે સંભવતા સર્વને જાણીને તેનો સ્વીકાર કરવો જોઈએ તે સમકિતનો શુદ્ધ આચાર છે. તેને જ દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – ગાથા : આણદનો વિધિ નહિ કહ્યો, રાયપ્રદેશીને પાઠે રે; સંભવ સર્વ ન માનસ્ય, વીંટાસ્ય તેહ આઠે રે. શાસન૨૨ ગાથાર્થ : આનંદશ્રાવકનો વિધિ-આનંદશ્રાવકે વ્રત ગ્રહણ કર્યા તેનું વિધાન ઉપાસકદશાંગસૂત્ર નામના સાતમા અંગમાં છે અને રાયપ્રદેશના પાઠમાં રાયપણેણીસૂત્રમાં પ્રદેશ રાજાના પાઠમાં, નહિ કહ્યો પ્રદેશી રાજાએ વ્રતો ઉચ્ચરાવ્યાં છે તેવું કથન નથી કર્યું તોપણ, સંભવ સર્વ ન માનશે-પ્રદેશી રાજાએ વ્રતો ઉચ્ચરાવ્યાં છે તેવો સંભવ છે છતાં પાઠમાં નથી માટે ન માનશે, તે આઠે કર્મથી વીંટાશે. ll૩/૨૨ll Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy