SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૩ | ગાથાઃ ૨-૩ ૪૫ ગાથા : શ્રી અરિહંત અને તેહનાં, ચૈત્ય નમું ન અનેરાં રે, અંબડ ને તસ શિષ્યનાં, વચન ઉવવાઈ ઘણેરાં રે. શાસન) ૨ ગાથાર્થ :-- ઉવવાઈ નામના આગમમાં આચારાંગસૂત્રના ઔપપાતિકસૂત્ર નામના ઉપાંગમાં, શ્રી અરિહંતને અને અરિહંતના ચૈત્યને અરિહંતની પ્રતિમાને, હું નમું, અનેરાં ચૈત્યોને નહિ, એ પ્રકારના અંબઇ પરિવ્રાજકનાં અને તેના શિષ્યોનાં ઘણાં વચનો પ્રાપ્ત થાય છે. ll3/ચા. ભાવાર્થ : વીર ભગવાનના ઉપદેશથી અંબડ પરિવાજ કે શ્રાવક ધર્મ સ્વીકારેલ તેથી અંબડ પરિવ્રાજક અને તેના શિષ્યો શ્રાવક ધર્મ પાળતા હતા અને તેઓએ સમ્યક્તની શુદ્ધિ અર્થે પ્રતિજ્ઞા કરેલી કે “અરિહંતોને અને અરિહંતનાં ચૈત્યોને= પ્રતિમાને, અમે નમીશું અન્યનાં ચેત્યોને નહિ એ પ્રકારનાં ઘણાં વચનો આચારાંગસૂત્રના ઔપપાતિકસૂત્ર નામના ઉપાંગમાં પ્રાપ્ત થાય છે. તેથી સિદ્ધ થાય છે કે શ્રાવકને માટે અરિહંતની જેમ અરિહંતની પ્રતિમા પણ નમસ્કાર કરવા યોગ્ય છે. આ પણ આગમવચનથી સ્થાનકવાસીઓએ જિનપ્રતિમાની પૂજનીયતા સ્વીકારવી જોઈએ. ll૩/રા અવતરણિકા : શાસ્ત્રમાં “ચૈત્ય” શબ્દ અનેક ઠેકાણે આવે છે તે “ચૈત્ય” શબ્દનો અર્થ જિનપ્રતિમા નથી પરંતુ જિવનું જ્ઞાન છે ઈત્યાદિ અન્ય પ્રકારે ચૈત્ય શબ્દનો અર્થ કરીને જિનપ્રતિમા પૂજ્ય નથી તેમ સ્થાનકવાસીઓ કહે છે. તે ઉચિત નથી તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : “ચૈત્ય શબ્દ તણો અરથ તે, પ્રતિમા નહિ કોઈ બીજો રે; જેહ દેખી ગુણ ચેતિએ, તેહ જ ચૈત્ય પતીજી રે. શાસન) ૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy