SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૨ | ગાથા : ૧૬-૧૭ છે. અહીં સ્થાનકવાસી કહે કે દેવ-દેવીઓની આરાધકતાને કહેનારાં વચનો તે દેવ-દેવીઓના પૂર્વભવને આશ્રયીને છે, વર્તમાનના ભવને આશ્રયીને તો દેવદેવીઓ આરાધક નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – તામલી ઇન્દ્ર પૂર્વભવમાં તામસીતાપસ હતા, તેથી પૂર્વભવમાં તેમણે ભગવાનના ધર્મની આરાધના કરી નથી અને ઇન્દ્રના ભવમાં તેમને આરાધક કહ્યા છે તેથી તામસીતાપસને પૂર્વભવને આશ્રયીને તે આરાધક છે તેમ કહી શકાય નહિ માટે દેવો પણ દેવભવમાં આરાધક છે તેમ સ્વીકારવું જોઈએ અને જે આરાધક દેવો છે તેઓ જેમ સાક્ષાત્ ભગવાનની ભક્તિ કરે છે તે અપેક્ષાએ આરાધક છે તેમ જિનપ્રતિમાની પૂજા કરે છે તે અપેક્ષાએ પણ આરાધક છે તેમ માનવું પડે. અને આરાધક દેવોએ જિનપ્રતિમાની પૂજા કરી છે તેવા પાઠો ઉપલબ્ધ છે. આ રીતે દેવોના જિનપ્રતિમાના પૂજાના વચનથી પ્રતિમા પૂજનીય છે તેમ માનવું જોઈએ. ll૨/૧૬ાા અવતરણિકા : વળી, ભગવાનના દેહની દાઢા દેવતાઓ પૂજે છે તેથી પણ જિનપ્રતિમા પૂજ્ય છે તેમ સિદ્ધ થાય છે તે બતાવે છે – ગાથા : ભક્તિ જીતધર્મે કરી, લીએ દાઢા અવર જિન અંગ; લાલ રે, થુભ રચે સુર ત્રણ તે, કહે જંબૂપન્નરી ચંગ; લાલ રે. તુજ. ૧૭ ગાથાર્થ : ભક્તિથી, જીતથી અને ધર્મથી કરીને ઈન્દ્રો દાઢા ગ્રહણ કરે છે, વળી બીજા દેવો જિનનાં અંગો ગ્રહણ કરે, ત્યારપછી સુર-દેવતા, ત્રણ ચંગ સુંદર, સુપો રચે છે તેમ જંબૂદ્વીપપ્રજ્ઞતિસૂત્રમાં કહેલ છે. l/ર/૧૭ll. ભાવાર્થ : ભગવાન નિર્વાણ પામે છે ત્યારે ભગવાનના નિર્જીવ દેહની ઇન્દ્રો ભક્તિ કરે છે અને ત્યારપછી પ્રભુના દેહને અગ્નિદાહ કરે છે. અગ્નિદાહ કર્યા પછી ઇન્દ્રો ભગવાનની દાઢાઓ ગ્રહણ કરે છે અને બીજા દેવો જિનનાં અંગો ગ્રહણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy