SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૨ | ગાથા : ૧૫, ૧૬ સ્વીકારીએ છીએ પરંતુ સૂર્યાભદેવે તે કૃત્ય કર્યું હોય તેટલા માત્રથી તે કૃત્ય શ્રાવકને કર્તવ્ય છે તેમ માની શકાય નહિ. જેમ વર્તમાનમાં પણ કેટલાક મુગ્ધ જેવો ભગવાનની મૂર્તિની પૂજા કરે છે તેટલા માત્રથી મૂર્તિ પૂજનીય સિદ્ધ થાય નહિ. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : પ્રભુ આગલ નાટક કર્યું, ભગતિ સૂરિયાભે સાર; લાલ રે, ભગતિતણાં ફલ શુભ કહ્યાં, શ્રી ઉત્તરાધ્યયન મોઝાર, લાલ રે. તુજ૦ ૧૫ ગાથાર્થ : પ્રભુ આગળ-સાક્ષાત્ વીરપ્રભુ આગળ, નાટક કર્યું સૂર્યાભદેવે નાટક કર્યું, તેથી સૂર્યાભદેવમાં સુંદર ભક્તિ છે=ભગવાન પ્રત્યે સુંદર ભક્તિ છે, અને શ્રીઉત્તરાધ્યયન મોઝારશ્રીઉત્તરાધ્યયનસૂત્રમાં, ભક્તિ તણાં શુભ ફળ કહ્યાં છે= સૂર્યાભદેવની ભક્તિનાં શુભ ફળ કહ્યાં છે. Il૨/૧૫ ભાવાર્થ : સૂર્યાભદેવે વીરપ્રભુ સામે ભક્તિના અતિશયથી નાટક કર્યું છે એ પ્રકારનું આગમવચન છે. તેથી સિદ્ધ થાય છે કે સૂર્યાભદેવ ભગવાન પ્રત્યે ભક્તિવાળા છે પરંતુ મુગ્ધતાથી પ્રવૃત્તિ કરનારા નથી અને તે ભક્તિનાં ઉત્તમ ફળો છે તે શ્રીઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યાં છે. તેથી ઉત્તમ ફળદાયી ભક્તિને કરનાર સૂર્યાભદેવ ભગવાનના શાસન પ્રત્યે ભક્તિવાળા છે. તેમણે જિનપ્રતિમા પૂજી છે તેથી જિનપ્રતિમા પૂજ્ય સિદ્ધ થાય છે. પરંતુ વિવેક વગરના મુગ્ધ દેવની જિનપ્રતિમાની પૂજા છે તેમ કહીને સૂર્યાભદેવની જિનપ્રતિમાની પૂજાના વચનથી જિનપ્રતિમા પૂજ્ય સિદ્ધ થતી નથી તેમ કહી શકાય નહિ. li૨/૧પ અવતરણિકા : કેટલાક સ્થાનકવાસી કહે છે કે દેવો આરાધક નથી, અવિરતિના ઉદયવાળા છે તેથી વિરાધક છે. માટે તેવા દેવોએ જિનપ્રતિમાની પૂજા કરી હોય તેવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy