SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૨ | ગાથા પ-૬ સન્મુખ સૂર્યાભદેવે શક્રસ્તવ કરેલ નથી અને જિનપ્રતિમાની પૂજા કર્યા પછી જિનપ્રતિમા સન્મુખ સૂર્યાભદેવે શકસ્તવ કરેલ છે તેમ બતાવેલ છે તેથી એ પ્રાપ્ત થાય કે જિનપ્રતિમા પ્રત્યે આ જિનની પ્રતિમા છે તેવી બુદ્ધિ થવાથી સૂર્યાભદેવે શકસ્તવમાં અરિહંતાણ, ભગવંતાણ આદિ વિશેષણોથી જિનપ્રતિમાને ઉપસ્થિત કરીને નમસ્કાર કરેલ છે અને પ્રહરણાદિને તે પ્રકારે શક્રસ્તવ દ્વારા સ્તુતિ કરેલ નથી પરંતુ માત્ર બાહ્ય પૂજાની સામગ્રીથી પૂજેલ છે માટે બન્નેના પૂજનમાં ભેદ છે. આ બતાવે છે કે, જિનપ્રતિમા આગળ શક્રસ્તવ બોલતી વખતે સૂર્યાભદેવને જિનના ગુણોના સ્મરણપૂર્વક જિનને નમસ્કાર કરવાનો ભાવ છે. આ સાચા=યથાર્થ વિવેકના બળથી સિદ્ધ થાય છે કે સમ્યગ્દષ્ટિ એવા સૂર્યાભદેવે જિનપ્રતિમાને ભાવથી પૂજી છે અને પ્રહરણાદિને દ્રવ્યથી પૂજ્યા છે. માટે શ્રીરાયપાસેણીસૂત્રના વચનથી જિનપ્રતિમા પૂજ્ય સિદ્ધ થાય છે. 1ર/પા અવતરણિકા : ગાથા-પમાં કહ્યું કે સૂર્યાભદેવે પ્રહરણાદિની પૂજા કરી છે અને જિનપ્રતિમાની પૂજા કરી છે તે બન્ને પૂજામાં ભેદ છે. તેથી હવે તે ભેદને દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – ગાથા : ચક્રરયણ જિણનાણની, પૂજા જે ભરતે કીધ; લાલ રે, જિમ તિહાં તિમ અન્તર ઇહાં, સમકિતદષ્ટિ સુપ્રસિદ્ધ. લાલ રે. તુજ૦ ૬ ગાથાર્થ :-- જેમ ભરત ચક્રવર્તીએ જે ચક્રરત્નની અને જિનવાણની=6ષભદેવ પરમાત્માના કેવળજ્ઞાનની, પૂજા કરી તેમાં અંતર છે તેમ અહીંયાંસૂર્યાભદેવની પ્રહરણાદિની પૂજામાં અને જિનપ્રતિમાની પૂજામાં, અંતર છે; કેમ કે સૂર્યાભદેવ સમ્યગ્દષ્ટિ તરીકે સુપ્રસિદ્ધ છે. li૨/૬ ભાવાર્થ :જિનપ્રતિમાને પૂજ્ય નહિ સ્વીકારનાર સ્થાનકવાસીઓ કહે છે કે સૂર્યાભદેવે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy