SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૨ / ગાથા ૨-૩-૪ તે કહે “એહ વિમાનમાં, જિનપડિમા દાઢા જેહ; લાલ રે, તેહની તુહે પૂજા કરો, પૂરવ પચ્છા હિત એહ” લાલ રે. તુજ૦ ૩ પૂરવ પચ્છા શબ્દથી, નિત્ય કરણી જાણે સોય; લાલ રે, સમકિતદષ્ટિ સહે, તે દ્રવ્યથકી કિમ હોય? લાલ રે. તુજ૦ ૪ ગાથાર્થ - તે સુર-સૂર્યાભસર, અભિનવ ઉપન્યો નવો ઉત્પન્ન થયો, સામાનિકદેવને પૂછે છે, મારું પૂર્વનું હિતકારી શું અને પછીનું હિતકારી શું તે તરત કહો. llર/રા તેહ-સામાનિક દેવ, કહે છે કે આ વિમાનમાં જિનપ્રતિમા અને જિનની દાઢા જે છે તેની તમે પૂજા કરો એહ પૂર્વ પશ્ચાત્ હિત છે. Il૨/3ll પૂર્વ પશ્ચાત્ શબ્દથી સામાનિક દેવના પૂર્વ પશ્ચાત્ શબ્દથી, સોય= સૂર્યાભદેવ, નિત્ય કરણી જાણે જિનપ્રતિમા અને દાઢાનીeભગવાનના મૃતદેહની જે દાઢ દેવો ગ્રહણ કરે છે તે દાઢાની, પૂજા પોતાના માટે નિત્ય કર્તવ્ય છે તેમ જાણે છે. સમ્યગ્દષ્ટિ એવા સૂર્યાભદેવ શ્રદ્ધા કરે છે જિનપ્રતિમાની પૂજા કરવાની શ્રદ્ધા કરે છે તે દ્રવ્યથકી કેમ હોય ? અર્થાત્ દ્રવ્યથકી નથી પરંતુ ભાવથકી છે. ||ર|૪|| ભાવાર્થ સૂર્યાભદેવ નવા ઉત્પન્ન થાય છે ત્યારે ઉત્પન્ન થતાની સાથે સામાનિકદેવને પૂછે છે કે “મારા માટે પૂર્વ અને પથ્થાત્ હિતકારી શું છે અર્થાત્ સદા માટે હિતકારી શું છે તે તમે કહો તે પ્રકારના પ્રશ્નને સામે રાખીને સામાનિક દેવ કહે છે કે “આ વિમાનમાં જિનપ્રતિમા અને જિનની દાઢા છે તેની તમે પૂજા કરો તે પૂર્વ-પચ્છાત્ હિતરૂપ છે અર્થાત્ સદા માટે હિતરૂપ છે અને તે વચન સાંભળીને સૂર્યાભદેવ પૂર્વ-પચ્છાત્ શબ્દથી ભગવાનની મૂર્તિની પૂજા અને જિનની દાઢાની પૂજા નિત્ય કર્તવ્ય છે તેમ જાણે છે. અહીં સ્થાનકવાસી કહે છે કે સૂર્યાભદેવે પોતાના પ્રહરણઃશસ્ત્રો, અને કોશાદિ પૂજ્યા છે તેમ જિનપ્રતિમાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy