SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૬ | ગાથા ઃ ૨૩ બળથી વીતરાગના સઘળા ગુણોના સમૂહને ગણી શકતા નથી. આથી જ વીતરાગતાના અર્થી એવા તે ચૌદપૂર્વી મહાત્મા જેમ જેમ શ્રતનું ભાવન કરે છે તેમ તેમ પ્રજ્ઞા અધિક અધિક નિર્મલ થાય છે. જેમ જેમ પ્રજ્ઞા અધિક નિર્મલ થાય છે તેમ તેમ વીતરાગના અધિક અધિક ગુણોનો બોધ થાય છે અને પ્રાતિભજ્ઞાન વખતે વીતરાગનું પારમાર્થિક સ્વરૂપ ઘણું દેખાવાથી તેમાં ઉદ્યમ કરીને ક્ષપકશ્રેણિ માંડી તે મહાત્મા સ્વયં વીતરાગ બને છે. તેથી વીતરાગમાં વર્તતા ગુણના સમુદાયને ચૌદપૂર્વી પણ પૂર્ણ રીતે ગણી શકતા નથી. તો અન્ય છગસ્થ જીવો તો કઈ રીતે ગણી શકે ? અર્થાત્ ન જ ગણી શકે. આમ છતાં ગ્રંથકારશ્રીને વીતરાગ પ્રત્યે ભક્તિ છે તેથી કહે છે, “ભગવાનની આજ્ઞારૂપ વીતરાગનો ગુણલવ મેં પ્રાપ્ત કર્યો છે અને તેના કારણે ગ્રંથકારશ્રી કહે છે કે મેં પ્રસ્તુત સ્તવનમાં ભગવાનના વચનાનુસાર ભગવાનને ગુણ્યા છે=ભગવાનની સ્તવના કરી છે. તે સ્તવના કરીને ભગવાનના વચનની સ્થિર શ્રદ્ધારૂપ પોતાનામાં રહેલું સમ્યકત્વ ગ્રંથકારશ્રીએ દઢ કર્યું છે. કઈ રીતે પ્રસ્તુત સ્તવનથી ગ્રંથકારશ્રીએ પોતાનું સમ્યક્ત્વ દૃઢ કર્યું છે તે બતાવવા કહે છે. પ્રસ્તુત સ્તવન રચતી વખતે મારું કથન આગમની ટેકવાળું થાય અર્થાત્ આગમના વચનથી લેશ પણ અન્યથા ન થાય તે પ્રકારનો આગ્રહ રાખીને સ્તવન રચ્યું છે. તેથી આગમ પ્રત્યેનો પોતાનો પક્ષપાત અતિ દઢ થાય છે અને જિનવચન રૂપ આગમ પ્રત્યેનો તીવ્ર પક્ષપાતનો ભાવ જ સમકિત છે. અને જેમ જેમ તીવ્ર પક્ષપાત પૂર્વક આગમવચનની પ્રરૂપણા કરવામાં આવે તેમ તેમ સમ્યકત્વ નિર્મલ બને છે માટે આગમની ટેક=આગમનો પક્ષપાત, રાખીને ગ્રંથકારશ્રીએ પોતાનું સમકિત દઢ કર્યું છે. અહીં વિશેષ છે કે જે જીવો વીતરાગના જેટલા ગુણો જાણે છે અને તેમની સ્તુતિ કરે છે તે સ્તુતિથી તે ગુણોનો પોતાનામાં પક્ષપાત થાય છે અને તેથી તે ગુણો પોતાનામાં પ્રગટ થાય છે. વીતરાગે સન્માર્ગની પ્રરૂપણા કરી યોગ્ય જીવોને તે તે પ્રવૃત્તિ કરવાની આજ્ઞા કરી છે તે ભગવાનનો આજ્ઞાદાયક ગુણ છે. અને તે ગુણની સ્તુતિ કરી ગ્રંથકારશ્રીએ ભગવાનની આજ્ઞા પ્રત્યેનો તીવ્ર પક્ષપાત કરવારૂપ ગુણ પ્રાપ્ત કર્યો છે. એ આજ્ઞાનુણલવ એકના બળથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy