SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૧ | ગાથા : ૨૧-૨૨ જિનપ્રતિમાને અપૂજનીય માને છે અને તેઓની પરંપરાથી પ્રાપ્ત શાસ્ત્રના અર્થ કરીને તે પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. આમ છતાં પ્રકૃતિથી ભદ્રક છે અર્થાત્ કદાગ્રહ વિનાના છે તે અતિહિ વિનીત અર્થાત્ તત્ત્વ જાણવા અતિ અભિમુખ થયેલા છે. દા. ત. સ્થાનકવાસી સંપ્રદાયમાં રહેલા પૂ. આત્મારામજી મ.સા. જિનપ્રતિમાને અપૂજનીય માનતા હતા છતાં માર્ગના અર્થી હતા, ભદ્રક પ્રકૃતિવાળા હતા અને તત્ત્વ જાણવા અતિ અભિમુખ હતા. વળી જેઓ સુનય અધીત છે અર્થાત્ પદાર્થને જોવાની સુંદર યુક્તિઓ કઈ છે? તેને જાણનારા છે તેવા જીવો માટે ગ્રંથકારશ્રીએ આપેલી હિતશિક્ષા સોહામણી છે અર્થાત્ આગમવચનના બળથી જિનપ્રતિમાની પૂજનીયતાની સિદ્ધિ કરી અને પંચાંગીને પ્રમાણ માનવાની યુક્તિ આપી એ રૂપ હિતશિક્ષા સોહામણી છે=માર્ગની પ્રાપ્તિમાં પ્રબલ કારણ છે. ll૧/૨વામાં અવતરણિકા : ગ્રંથકારશ્રીએ જિનપ્રતિમાને પૂજનીય તરીકે સ્થાપવા માટેનું જે વર્ણન કર્યું છે તે સ્વમતિથી કર્યું નથી પણ શાસ્ત્રવચનથી કર્યું છે, માટે આ વર્ણન પ્રમાણભૂત છે તે બતાવવા માટે કહે છે – ગાથા : પ્રવચનસાખે રે એમ એ ભાષિયા, વિગતે અરથવિચાર; તુજ આગમની રે ગ્રહિય પરમ્પરા, લહિએ જગ જયકાર. સમકિત. ૨૨ ગાથાર્થ : પ્રવચનની સાક્ષીથી વર્તમાનમાં ઉપલબ્ધ સર્વજ્ઞનાં આગમોની સાક્ષીથી, આ પ્રમાણે અત્યારસુધી વર્ણન કર્યું તે પ્રકારે, તે ભાષિયા તે કહેવાયું. શું કહેવાયું ? તે સ્પષ્ટ કરે છે – વિગતે અર્થવિચાર વિગતવાર શાસ્ત્રના અર્થનો વિચાર, કરાયો. તમારા આગમની સર્વજ્ઞના આગમની, પરંપરાને ગ્રહણ કરીને ભગવાનના આગમને કહેનારી પરંપરાને સ્વીકારીએ તો જગતમાં જ્યકાર પામીએ જગતમાં સન્માર્ગને પ્રાપ્ત કરીને હિત સાધીએ. II૬/૨શી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy