SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ ઃ ૬ | ગાથા : ૯ ભણવા અર્થે અવશ્ય સંયમ ગ્રહણ કરે છે તેમ બતાવે છે જેથી નક્કી થાય કે સૂત્ર અધ્યયન માટે સંયમ અને યોગોદ્દવહન આવશ્યક છે. ગાથા : નવમે અધ્યયને રે બીજા અંગમાં, ઘરમાંહિં દીવ ન દિg; વલિય ચઉદમે રે કહ્યું શિક્ષા લહે, ગ્રંથ તજે તે ગરિä. સમકિત૯ ગાથાર્થ : બીજા અંગમાં સૂયગડાંગ નામના બીજા અંગના નવમા અધ્યયનમાં, કહ્યું છે કે ઘરમાં ગૃહવાસમાં, દીવો જોયો નથી=સૂત્ર ગ્રહણરૂપ દીવો જોયો નથી. તેથી સૂત્રગ્રહણના અર્થી શ્રાવકો સંયમ ગ્રહણ કરે છે તે પ્રકારનો અર્થ અધ્યાહાર છે. વળી બીજા અંગના જ ચૌદમા અધ્યયનમાં કહ્યું છે કે જે શ્રાવક ગ્રંથને ત્યજેન્નપરિગ્રહને છોડે, અને શિક્ષા લહે=સંયમ ગ્રહણ કરીને ગ્રહણશિક્ષા-આસેવનશિક્ષા પ્રાપ્ત કરે, તે શ્રાવક સાધુ થઈને ગરિષ્ઠ બને છે. II/II ભાવાર્થ : સૂયગડાંગસૂત્રના નવમા અધ્યયનમાં કહ્યું છે કે શ્રાવકો સૂત્ર ભણવાના અનધિકારી હોવાથી તેઓ જાણે છે કે ગૃહસ્થાવસ્થામાં સૂત્રરૂપ દીવો નથી. તેથી તેવા શ્રાવકો શાસ્ત્ર ભણીને અને ગીતાર્થ પાસેથી શાસ્ત્ર સાંભળીને લબ્ધાર્થ થયા પછી પણ સૂત્રની અપ્રાપ્તિને કારણે પોતે વિશેષ કલ્યાણ સાધી શકતા નથી એમ જાણે છે. માટે જેવો સર્વવિરતિની શક્તિનો સંચય થાય કે તરત જ તે ધીર પુરુષો ગૃહનો ત્યાગ કરે છે. વળી સૂયગડાંગસૂત્રના જ ચૌદમા અધ્યયનમાં કહ્યું છે કે સંયમ લઈને તે ગૃહસ્થો ગ્રંથને ત્યજે છે=અંતરંગ અને બહિરંગ પરિગ્રહને ત્યજે છે અર્થાત્ અંતરંગ મમત્વરૂપ પરિગ્રહને ત્યજે છે અને બહિરંગ ધન, ધાન્ય, કુટુંબરૂપ પરિગ્રહને ત્યજે છે અને શાસ્ત્રવિધિ અનુસાર શિક્ષા ગ્રહણ કરે છે તે સાધુ થઈને ગરિષ્ઠ બને છે. અર્થાત્ કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરે છે. સૂયગડાંગસૂત્રના નવમા અધ્યયનનો પાઠ આ પ્રમાણે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy