SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૬ | ગાથા : ૭-૮ અને ત્યારપછી શક્તિ સંચય થાય ત્યારે દીક્ષા લઈ અલુદ્ધ બને=નિર્લેપ બને. II૬/૭II ભાવાર્થ : શ્રાવકને ઉપધાન કરીને સૂત્રો અને અર્થ ગ્રહણ કરવાની વિધિ છે. તેથી શ્રાવક તે તે સૂત્રો ગ્રહણ કરવા માટેનાં તપ-ઉપધાન કરે અને તે તપ-ઉપધાનપૂર્વક તે તે સૂત્રો અને તે તે સૂત્રોના અર્થો સ્થિર પરિચિત કરે તો વિધિપૂર્વક ગ્રહણ કરાયેલા, અને અર્થ સાથેની એકવાક્યતાવાળાં તેવાં તે સૂત્રોથી કરાતી આવશ્યક ક્રિયા શુદ્ધ બને; કેમ કે તેવા પરિણત શ્રાવક અવશ્ય તે તે સૂત્રના પરમાર્થને જાણીને તે તે સૂત્રોના અર્થથી ભાવિત થઈને તે છ આવશ્યકની ક્રિયા કરે જેથી છ આવશ્યકમય એવું તેમનું માનસ નિષ્પન્ન થાય. આવા ગૃહસ્થ સામાયિક આદિ શ્રુત ભણે અને સંર્વવિરતિની શક્તિનો સંચય થાય ત્યારે દીક્ષા ગ્રહણ કરી સર્વત્ર અશુદ્ધ થાય=સર્વત્ર નિર્લેપ પરિણામવાળા થાય. II૬/૭ના અવતરણિકા : શ્રાવકને ઈરિયાવહિયાદિકનાં છ ઉપધાનો છે. તેથી ષડાવશ્યક ભણે છે, પરંતુ આગમસૂત્રના યોગોહનરૂપ ક્રિયાનું વિધાન શ્રાવકને આશ્રયીને શાસ્ત્રમાં નથી તેથી કોઈ શ્રાવક આગમસૂત્ર ભણતા નથી. માટે પણ સાધુએ યોગોહનપૂર્વક આગમ ભણવું જોઈએ તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે - 21121 : સૂત્ર ભણ્યા કોઈ શ્રાવક નવિ કહ્યા, લદ્ધōા કહ્યા તેહ; પ્રથમ જ્ઞાન ને પછી દયા કહી, તિહાં સંજત ગુણ રેહ. ગાથાર્થ : કોઈ શ્રાવક સૂત્ર ભણ્યા=આગમસૂત્રો ભણ્યા, છે એમ શાસ્ત્રમાં કહ્યું નથી, પરંતુ શાસ્ત્રમાં તેહ-શ્રાવકોને, લબ્ધાર્થવાળા કહ્યા છે. વળી Jain Education International સમકિત૦ ૮ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy