SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૫ | ગાથા ઃ ૨૧-૨૨ ચિત્ત અધિક અધિક વીતરાગભાવને પ્રાપ્ત કરીને અંતે તેના આત્માને વીતરાગ સદેશ કરે છે. પ/૨વા અવતરણિકા : વળી, ભગવદ્ભક્તિમાં થયેલો ભાવ અક્ષયભાવને પામે છે તે અન્ય દાંતથી સ્પષ્ટ કરે છે – ગાથા : એકે જલલવ જલધિ ભલાએ, તો તે અક્ષય થાયે રે; ધન આપભાવ જિનગુણમાંહી આણે, તિમ તે અખયપ્રમાણે રે. ધન૦ ૨૨ ગાથાર્થ - જલનું એક ટીપું સમુદ્રમાં ભલાએ=ભળ્યું, તો તે અક્ષય થાય છે. આપભાવ-ભક્તિ કરનાર શ્રાવક્તો ભાવ, જિનગુણમાંહી આણે સમુદ્ર જેવા ભગવાનના ગુણોમાં આવે, તિમ=સમુદ્રમાં એક જલલવની જેમ, તે=પોતાનો ભાવ=જિનગણમાં આવેલો પોતાનો ભાવ, અક્ષય પ્રમાણ નાશ ન પામે તેવો, થાય છે. પ/રચા ભાવાર્થ : પાણીનું એક ટીપું સ્વતંત્ર પડ્યું હોય તો તે સુકાઈ જાય છે પણ તે ટીપું સમુદ્રમાં ભળે તો સુકાતું નથી પરંતુ અક્ષય થાય છે. તેમ સંસારી જીવનો ભાવ જિનગુણને છોડી અન્યત્ર વર્તે તો વિનાશને પામે છે પરંતુ તેનો ભાવ ભગવદ્ભક્તિરૂપ બને અને સમુદ્ર જેવા ગુણવાળા ભગવાનના ભાવમાં આવે તો તે ભાવ ક્યારેય નાશ પામતો નથી. આથી જ જિનગણના પ્રણિધાનપૂર્વક કરાયેલી પૂજામાં થયેલો ભાવ સદાને માટે આત્મામાં રહે છે અને ઉત્તરોત્તર વૃદ્ધિ પામી આત્માને પરમાત્મા સદશ બનાવે છે. માટે લોકોત્તમ પુરુષ એવા જિનેશ્વરની પ્રતિમા જિન બનવા પ્રણિધાન કરવાનું પ્રબલ આલંબન હોવાથી જિનપ્રતિમા પૂજનીય છે. પ/રશા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy