SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૫ | ગાથા : ૧૭-૧૮ ભાવાર્થ - ભગવાનની પ્રતિમાનું વર્ણન સાંભળીને ગ્રંથકારશ્રીને કે વિવેકી પુરુષને વિસ્મય થાય છે પુણ્ય પ્રકર્ષવાળા તીર્થકર કેવા હોય ? અને તેના સ્વરૂપને અભિવ્યક્ત કરનાર દેવવિમાનમાં રહેલ જિનપ્રતિમા કેવી હોય છે ? તેનું વર્ણન સાંભળીને વિસ્મય થાય છે. વળી ચાર ગતિમાં પરિભ્રમણરૂપ ભવભ્રમણના ભયને કારણે ભયથી ઉદ્વિગ્ન થયા છે તેવા મહાત્માઓ ભગવાનના ગુણને કારણે ભગવાનના સ્વરૂપના મર્મને દેખાડનાર જિનપ્રતિમાને ઝીલે છે અને ભગવાનની મુદ્રા જોઈને વિચારે છે કે આવા અસંગવાળા જીવોને સંસારમાં કોઈ કદર્થના નથી માટે તેમની ભક્તિ કરીને તેમના જેવા ગુણોને હું પ્રાપ્ત કરું તે પ્રકારના પ્રણિધાનપૂર્વક જિનપ્રતિમાને ઉપસ્થિત કરીને જેઓ મનમાં રાચે છે-માચે છે અને હર્ષમાં આવી ભગવાનની ભક્તિ રૂપે નાચે છે તેવા મહાત્માઓ સાચા મનથી ધર્મધ્યાનને પ્રાપ્ત કરે છે. પ/૧ળા અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે જિનપ્રતિમાનું વર્ણન સાંભળીને મહાત્માઓ હર્ષમાં આવીને રાચે-માચે અને નાચે છે. તે વખતે તે નાચનારા શું પ્રાપ્ત કરે છે ? તે બતાવે છે – ગાથા : થઈ થેઈ કરતાં દે તે ભમરી, હર્ષે પ્રભુગુણ સમરી રે; ધન યોગ નિરાલંબન લય આણી, વશ કરતા શિવરાણી રે. ધન૧૮ ગાથાર્થ : ભગવાનની પ્રતિમાનું વર્ણન સાંભળીને તે પ્રતિમા આગળ થેઈ થઈ કરતાં ભાવથી નાચતા, હર્ષથી પ્રભુગુણ સ્મરીને હર્ષની અભિવ્યક્તિરૂપ ભમરી ફરે અને યોગ નિરાલંબનમાં લય આણી તે શિવરાણીને વશ કરે છે. I૫/૧૮II. ભાવાર્થ :પૂર્વમાં ગ્રંથકારશ્રીએ શાસ્ત્રવચનના બળથી જિનપ્રતિમાનું વર્ણન કર્યું અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy