SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૪ | ગાથા : ૨૦-૨૧ સ્વરૂપથી પણ કોઈ હિંસા થતી ન હોય. આમ છતાં ઉત્સૂત્રભાષણને કારણે જમાલી વગેરેએ ભગવાનની આજ્ઞાનો ભંગ કર્યો ત્યારે તેઓની સંયમની પ્રવૃત્તિમાં અનુબંધથી હિંસા હતી. તેના કારણે તેઓ હિંસાના કડવા ફળને પામ્યા, જેથી ઘણા સંસા૨ના પરિભ્રમણના ફળની પ્રાપ્તિ થઈ. માટે ત્રણ પ્રકારની હિંસામાં અનુબંધ હિંસા જ અત્યંત વર્જ્ય છે. વળી, ભગવાનનાં વચનાનુસાર કરાતાં શ્રાવકનાં આર્યકાર્યમાં જે હિંસા દેખાય છે, તેમાં કદાચ પ્રમાદને વશ કોઈ હેતુ હિંસા થાય અથવા તો આર્યકાર્યમાં સ્વરૂપથી હિંસા હોય તોપણ તે આર્યકાર્યમાં અનુબંધથી હિંસા નથી તેથી તે કૃત્યમાં થતી હિંસા પીઠ આપીને નાશે છે એમ ગાથા ૧૮ સાથે પ્રસ્તુત ગાથાનું યોજન કરવું. II૪/૨૦મી અવતરણિકા : ભગવાનની ભક્તિમાં યતતાપરાયણ શ્રાવકને હેતુથી હિંસા નથી, અનુબંધથી પણ હિંસા નથી માત્ર સ્વરૂપથી હિંસા છે અને માત્ર સ્વરૂપથી હિંસા મોક્ષપદની પ્રાપ્તિમાં બાધક નથી, તે બતાવવા અર્થે કહે છે ગાથા : સ્વરૂપથી હિંસા ન ટલે છે, સમુદ્રજલે જે સિદ્ધ; વલી અપવાદપદે જે વરતે, પણ તેણે શિવપદ લીધ. ગાથાર્થ : ૮૯ જે સાધુઓ સમુદ્રજલમાં સિદ્ધ થયા ત્યાં સ્વરૂપથી હિંસા ટળતી નથી, વળી જે સાધુ અપવાદપદથી વર્તે છે, ત્યાં સ્વરૂપથી હિંસા હોવા છતાં, તેમણે પણ શિવપદ લીધ=શિવપદ પ્રાપ્ત કર્યું. ।।૪/૨૧|| Jain Education International સુખ૦ ૨૧ ભાવાર્થ : અઢીદ્વીપમાંથી સર્વસ્થાનોથી જીવો સિદ્ધિગતિને પામે છે. તેથી અઢીદ્વીપમાં વર્તતા સમુદ્રના સ્થાનેથી પણ અત્યાર સુધીમાં ઘણા જીવો સિદ્ધિને પામ્યા છે. વળી, જેઓ સમુદ્રજલમાં કોઈક રીતે દેવતા આદિથી ફેંકાયેલા છે તેઓની કાયાથી જલના જીવોની હિંસા થવા છતાં તેઓ સિદ્ધિને પામ્યા, તેથી સ્વરૂપથી થતી હિંસા સિદ્ધિપદની પ્રાપ્તિમાં બાધક નથી. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy