SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ એક વીર પુરુપ (૪૬) અનેકાંતજયપતાકા ઉપરની સ્વોપજ્ઞ મનાતી વ્યાખ્યાનું નામ “અનેકાંતજયપતાકોદ્યોતદીપિકા હોવાનું આ. મુનિચન્દ્રસૂરિ ટિપ્પણમાં જણાવે છે. આ ટીકા સ્વોપન્ન હોવાનો જો કે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ટીકાકારના કોઈ શબ્દ દ્વારા વ્યક્ત થતો નથી. જો કે સ્વોપજ્ઞ નથી એવું કોઈએ કહ્યાનું જાણમાં નથી, છતાં, ટીકા સ્વોપજ્ઞ છે કે નહીં એ ટીકાના અંતરંગપરીક્ષણથી ખ્યાલ આવી શકે. યોગબિંદુ ઉપરની ટીકા સ્વોપજ્ઞ મનાતી આવી છે, પણ, આગમપ્રજ્ઞ જંબૂવિજયજી મ.સા.એ એના સ્વાધ્યાય પછી કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા છે અને ટીકા સ્વોપજ્ઞ ન હોય એવો એમનો અભિપ્રાય રહ્યો છે. અનેકાંતજયપતાકાની ટીકાનું પણ અંતરંગનિરીક્ષણ કરી વિદ્વાનો તથ્ય શોધે એવી વિનંતી છે. ટિપ્પનક આ, આ. મુનિચંદ્રસૂરિ દ્વારા રચાયું છે.. ટિપ્પનકની વિ.સં. ૧૧૭૭માં લખાયેલી પ્રતની નોંધ જિનરત્નકોશ પૃ. ૯માં છે. મો.દ. દેસાઈના મતે આ ટિપ્પનક વિ.સં. ૧૧૭૭માં રચાયું છે. (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ) અનેકાંતજયપતાકાનું સંસ્કરણ ગા.ઓ.સિ.માં પ્રગટ થયાને ૬૫-૭૦વર્ષ વીતી ગયા હોવાથી એ દુર્લભ બન્યું હતું. તે સમયે મળેલી મર્યાદિત સામગ્રી વગેરેના કારણે અશુદ્ધિઓ પણ ઘણી રહી ગઈ હતી. આગમપ્રજ્ઞ મુનિશ્રી જંબૂવિજયજી મ.સા. જોડે આ બાબતે રૂબરૂ વાતચીત થયેલી.. પૂજયશ્રીએ આ ગ્રંથનું સંપાદન-સંશોધન કરવા વિચાર્યું હતું. એ માટે સામગ્રી પણ એકઠી કરેલી. પણ, પૂજયશ્રીનો અકાળે કાળધર્મ થતાં આ કાર્ય થઈ શક્યું નહીં. દીક્ષાદાનેશ્વરી આ. ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યવર્ય આ.ભ. શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા.ના વિનેય મુનિ યશરત્નવિજયજીએ ૧૮/૨૦જેટલી હસ્તપ્રતોનો ઉપયોગ કરી સેંકડો અશુદ્ધિઓનું પરિમાર્જન કરી આ ગ્રંથરત્નને ખૂબ સુંદર રીતે સાનુવાદ સંપાદિત કરી શ્રીસંઘને સમર્પિત કર્યો છે.. વિદ્વાન મુનિરાજને અનેક અનેક ધન્યવાદ! આવા બીજા ગ્રંથરત્નોનું સંપાદન-સંશોધન કરે એવી વિનંતી.. અભ્યાસીઓ આ ગ્રંથનું પરિશીલન કરી ઐદંપર્યને પ્રાપ્ત કરે એ જ મંગલકામના. ફિ આ. વિ. મુનિચન્દ્રસૂરિ ૧. ‘યોગબિંદુના ટીકાકાર કોણ?' એ નામનો લેખ આગમપ્રજ્ઞ પૂ. જંબૂવિજય મ.સા. એ લખ્યો છે. ” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy