SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ધર્મતીર્થની વ્યાખ્યા શુભ ભાવ તે ધર્મ અથવા આત્માને જેનાથી શુભ બંધ થાય તે ધર્મ અથવા સદ્ગતિ અપાવે તેમ જ દુર્ગતિ અટકાવે તેનું નામ ધર્મ. ક્રમસર ચડિયાતી વ્યાખ્યાઓ આવશે. દૃષ્ટિ વેધક કરવી પડશે. જીવનમાં નહીં વિચાર્યું હોય તેવી વાતો આવશે. ધર્મની વ્યાખ્યા જ આવી છે તો તે ધર્મનું પરિપૂર્ણ માળખું કેવું હશે ! તે તો સાંભળીને તમે ચમત્કાર પામી જશો. છેલ્લે સારરૂપે વ્યાખ્યા કરશે કે જેમાં તમે જરા પણ ફેરફાર ન કરી શકો. પણ અત્યારે તો તમને પ્રથમ વ્યાખ્યામાં ખામી શું છે ? અને બીજી વ્યાખ્યામાં શું વિશેષતા ઉમેરાઈ ? તેની જ ખબર નથી. તે ધીમે ધીમે બતાવતો જઈશ. सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । T સમયવસાdi, +0ાં બિOIToi મવાળOTIછે . ||૧|| ( ન્મતિત પ્રdROTo જ્ઞો-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. 'ધર્મતીર્થને પામેલા ઉત્તમ કોટીના જીવો પોતાના જીવનમાં ધર્મતીર્થની ઉપાસના સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ કરવા જેવી નથી તેમ અવશ્ય માનતા હોય છે. પણ તે નિર્ણય માટે ધર્મતીર્થની સાચી ઓળખાણ જોઈએ. તે ઓળખાણ કરાવવા આપણે “ધર્મતીર્થ” શબ્દની વ્યાખ્યા વિચારીએ છીએ. પહેલાં ધર્મ' શબ્દનો અર્થ, પછી ‘તીર્થ' શબ્દનો અર્થ અને અંતે “ધર્મતીર્થ નો અર્થ સમજાવીશ. ‘ધર્મ શબ્દ સંસ્કૃત ભાષામાં ‘9 ધાતુમાંથી બનેલો છે. તેનો અર્થ ‘જે ધારણ કરે તે ધર્મ.’ હવે ધારણ કરવાની જરૂર કોને પડે ? જે પડતો હોય તેને. જેને પતનનો પ્રશ્ન નથી તેને ધારણની કોઈ જરૂર નથી. મકાનમાં પણ ભીત વગેરે ચણતાં પહેલાં નીચે ફરસ બનાવવી પડે છે, જેથી તમારું પતન ન થાય. તમને ટકવા માટે આધાર તરીકે પૃથ્વી કે ફરસની જરૂર પડે છે, પણ જે વસ્તુ એમ ને એમ અદ્ધર ટકી શકતી હોય તેને ધારણની જરૂર નથી. જ્યાં પતનનો સવાલ છે ત્યાં જ ધારણની જરૂરિયાત પેદા થાય છે. આ ભૌતિક, બાહ્ય પતન અને બાહ્ય ધારણની વાત કરી. તેથી જ પૃથ્વી માટે “ધરતી' શબ્દ વપરાયો છે; કારણ કે તે બાહ્ય દૃષ્ટિએ બધાને ધારણ કરે છે. जायते चित्तकल्लोला, यथाऽपथ्याद्रदास्तनौ ।।८२५ । । तथाऽहिंसाद्यनुष्ठानात्, स्थैर्यनमल्यकारकात्। जायन्ते शुभकल्लोला:, पथ्यादिव सुखासिकाः।।८२६ ।। (ઉપમિતિ પ્રસ્તાવ - ૮) ૧ આણ જિનભાણ ! તુજ એક હું શિર ધરું, અવરની વાણી નવિ કાને સુણિએ, સર્વદર્શન તણું મૂલ તુજ શાસન, તેણે તે એક સુવિવેક થુણિએ. આજ૦ ૬ (સિદ્ધાંતવિચાર રહસ્યગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન ઢાળ-૧૭) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy