SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતીર્થનો મહિમા ધર્મતીર્થની જઘન્ય ઉપાસના એટલે ગુણાનુરાગપૂર્વક તેની પ્રશંસા: ધર્મતીર્થની જઘન્ય ઉપાસના એટલે ગુણાનુરાગપૂર્વક ધર્મતીર્થની ભાવથી પ્રશંસા કરવી તે, જેને નિયમો બોધિબીજની પ્રાપ્તિનું કારણ કહ્યું છે. અહીં તમે કહેશો કે, અમે જૈનશાસનમાં જન્મ્યા છીએ, દિલથી શાસનની પ્રશંસા કરીએ છીએ, તેના પ્રત્યે અમને હૃદયથી સદ્ભાવ-બહુમાન છે, પ્રસંગે તેની જય પણ બોલીએ છીએ અને ભક્તિ પણ કરીએ છીએ, તેથી અમે બોધિબીજ મેળવી લીધું છે. પણ આ વાતમાં તમે ખાંડ ખાઓ છો; કેમ કે ત્યાં વર્ણન કરતાં ‘ગુણાનુરાગ’ શબ્દ લખ્યો છે. આ ધર્મતીર્થની ગુણાનુરાગથી પ્રશંસા કરે તેને નિયમો બોધિબીજની પ્રાપ્તિ થાય. ગુણાનુરાગનો અર્થ બહુ ગંભીર છે. મમતાથી-દષ્ટિરાગથી કરાતી ભક્તિમાં સાચો ગુણાનુરાગ નથી, તેથી તે આત્મકલ્યાણની દૃષ્ટિએ નિષ્ફળ : કલ્પના કરો કે તમે જૈનકુળમાં જન્મ્યા, તેના બદલે વૈદિકધર્મ, સ્વામિનારાયણ કે બૌદ્ધધર્મમાં જન્મ્યા હોત તો તમે જિંદગી સુધી જય કોની બોલાવત ? કોના નારા લગાવત ? સભા : જ્યારે જ્યાં હોઈએ તેના. સાહેબજી એટલે તમારે ધર્મતત્ત્વ સાથે કોઈ લેવાદેવા નથી. માત્ર બાપદાદાથી કે કુલપરંપરાથી આપણને મળ્યું છે, આપણો ધર્મ છે માટે ઉપાસના કરો છો. સભા અને અન્ય ધર્મમાં જન્મ્યા હોત તો અમને જૈનધર્મનું મહત્ત્વ કોણ સમજાવત ? અને ત્યારે કેવી રીતે જૈનધર્મના ગુણ ગાઈએ ? - સાહેબજી : તમારી demand-માંગ એવી છે કે ધર્મ મારી સામે આવે તો હું સમજું. ધર્મ તમારી સામે આવે ? કે તમારે ધર્મની સામે જિજ્ઞાસાથી જવાનું હોય ? ગમે ત્યાં જન્મ્યા હો તો પણ દુનિયામાં સાચો શુદ્ધ ધર્મ કયો છે તે શોધવા-સમજવા નીકળવું પડે. ધર્મને ટૂંઢવાની ફરજ ઉપાસકની છે, ઉપાસકને ટૂંઢવાની ફરજ ધર્મની નથી. સત્ય તત્ત્વ સમજવા જિજ્ઞાસુઓએ સામે ચાલીને પ્રયત્ન કરવો પડે. આ ભવમાં તમે અહીં જન્મ્યા માટે અહીંનો ઝંડો લઈને ફરો છો અને જૈનશાસનની બોલબાલા કરો છો, તો તે તમે ગુણાનુરાગથી કરો છો તેવું માનવા અમે તૈયાર નથી. ભગવાને તો ત્યાં સુધી કહ્યું કે મારો ધર્મ જે કુલાચારથી, મમત્વથી, રાગદ્વેષથી અપનાવશે, તો સાચો પણ ધર્મ તેના આત્માના કલ્યાણનું કારણ નહીં બને. ધર્મતીર્થને ગુણાનુરાગથી સ્વીકારો તો તમારામાં બોધિબીજ પ્રગટે. બોધિબીજ પામ્યા છો કે નહીં તેના માટે આ બેરોમીટર છે. તમને કોઈ પૂછે કે દુનિયામાં આટલા ધર્મસંપ્રદાય-મતો છે, દરેક ધર્મનાં શાસ્ત્રો-ઈશ્વર-ગુરુ-અનુયાયીઓ છે, તેમાંથી બધાને છોડીને તમે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy