SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૨૮૯ ચારિત્રનો અસંભવ થયો. તેથી સ્ત્રીલિંગ, ગૃહસ્થલિંગ કે અન્ય લિગે મુક્તિનો પણ ઇન્કાર કરવો પડ્યો. જેમાંથી નિશ્ચય-વ્યવહાર અંગે પણ અનેક અપસિદ્ધાંતો ઊભા થયા. ૧ આગમમાં કહ્યું છે કે બધા નિર્નવોએ શાસનને જેટલું નુકસાન નથી કર્યું તેના કરતાં વધારે નુકસાન દિગંબરોએ કર્યું છે. નિહ્નવોએ એકાદ બે સિદ્ધાંતનો અપલાપ કર્યો છે, જ્યારે આમણે તો મૂળમાંથી ધર્મતીર્થનો ઉચ્છેદ કર્યો છે, ચતુર્વિધ સંઘ, ગીતાર્થ ગુરુ, દ્વાદશાંગી બધાને વિલોપ્યું છે. અમને પૂર્વગ્રહ નથી. અત્યારે પણ દિગંબરશાસ્ત્રમાં જેટલું જિનવચનને અનુરૂપ તત્ત્વ હોય તે અમે બહુમાનથી સ્વીકારીએ છીએ, પણ હકીકત તો સ્પષ્ટ કહેવી જ પડે. દિગંબરોએ આચાર અને સિદ્ધાંતથી માર્ગનો લોપ કર્યો છે. પુણ્ય હોય અને વંશપરંપરા ચાલે, અનુયાયી વર્ગ બહોળો મળે એટલે સમાજમાં ફિરકા કહેવાય, પણ પૂર્વાચાર્યોએ શ્રીસંઘરૂપ ધર્મતીર્થથી દિગંબરો બહાર છે તેમ આચાર-વિચારથી પ્રમાણિત કરેલ છે. ચતુર્વિધ સંઘમાં ચારે ફિરકા ન ગણાય. તમે પહેલાં સંઘનું સ્વરૂપ, તેનું આખું માળખું શાસ્ત્રીય દષ્ટિએ સમજી લો, તો ગડમથલ નહીં થાય. અત્યારે તમારા મગજમાં એવું છે કે આ area-વિસ્તારમાં રહેનાર જૈન સંઘના સભ્ય બનવા fee-સભ્ય ફી ભરે એટલે તે સંઘમાં આવી ગયો. પરંતુ તેવો સંઘ અહીં નથી લીધો. અહીં શાસ્ત્રીય સંઘનું વર્ણન કરીશ. સંઘનો મહિમા, તેની જીવંતતીર્થરૂપતા આદિનું વર્ણન હવે પછી આવશે. • सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१|| (અતિત પ્રVTo જ્ઞો-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. શ્રીસંઘનાં ઘટક તત્ત્વો ? અનેક જીવોને તારવાની જેમનામાં ક્ષમતા છે, જેઓ જ્ઞાન વગેરે ગુણોના ભંડાર છે એવા ગણધરોને તીર્થકરો પ્રથમ તીર્થ તરીકે સ્થાપે છે. તે ગણધરો દ્વાદશાંગીની રચના કરે છે, જેના પર સત્યતાની મહોરછાપ મારી તીર્થકરો દ્વાદશાંગીરૂપ દ્વિતીય તીર્થની સ્થાપના કરે છે. ત્યાર પછી ત્રીજા તીર્થ તરીકે તીર્થંકરો ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરે છે. ત્રીજું ભાવતીર્થ સાધુ-સાધ્વી-શ્રાવક १ द्रव्यलिङगमात्रेणापि भिन्नानां सर्वापलापिनां महामिथ्यादशां वक्ष्यमाणानां बोटिकनिह्नवानां (विशेषावश्यकभाष्य श्लोक २३०३ टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy