SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ ભાવતીર્થ - દ્વાદશાંગી શાસ્ત્રોની આજીવન શરણભૂતતા : દુનિયાનું સત્ય તમારા ફળદ્રુપ ભેજામાંથી સ્વતઃ નીકળતું હોય તો જ્ઞાનીઓને તમને એક વાક્યનો પણ ઉપદેશ આપવો નથી. પણ આપણને તત્ત્વ સ્વયં સ્ફરે તેમ નથી. જ્ઞાની પુરુષોના વચનોના આધારે તે સાંભળીશું, વાંચીશું, વિચારીશું અને સમજીશું તો જ અજ્ઞાનનાં પડલો દૂર થશે. આ પ્રત્યક્ષ દેખાય છે, છતાં શાસ્ત્રોને બિનજરૂરી માને તે મહામૂર્ખ છે. અરે ! ઉત્તમ પુરુષોને પણ શાસ્ત્ર સર્વસ્વ છે, આધાર છે, શરણ છે. 'ગણધર શબ્દનો શાસ્ત્રમાં અર્થ કરતાં કહ્યું કે જેની પાસે દ્વાદશાંગીરૂપ ગણિપિટક છે તે ગણધર. અર્થાત્ ગણને ધારણ કરનાર ગણીને પણ સર્વસ્વ, કીમતીમાં કીમતી, સારામાં સાર કોઈ અમૂલ્ય વસ્તુ હોય તો તે રત્નોની પેટી (પિટક) સ્વરૂપ દ્વાદશાંગી છે. * તીર્થકરોના પટ્ટધર શિષ્ય ગણધરો પણ જે શાસ્ત્રોને સર્વસ્વ, પ્રાણતુલ્ય, ઝવેરાતયુક્ત તિજોરી સમાન સાચવવા લાયક માને તે દ્વાદશાંગી અન્ય સાધકોનો આધાર કે શરણ હોય તેમાં નવાઈ શું? મહાપ્રજ્ઞાસંપન્ન ગણધરો પણ શાસ્ત્રોને પોતાના જીવનની મુખ્ય મૂડી સમજતા હોય તો તે શાસ્ત્રો આપણા માટે અવશ્ય ઉત્કૃષ્ટ મૂડી ગણાય. આપણને આજીવન શાસ્ત્ર જ શરણ છે. જે શાસ્ત્રોને શરણ ન માને તે તરવાનો જ નથી. ગમે તેટલી સાધના કરે તો પણ તેની સાધના ૧૦૦ % નકામી છે. ઊલટું તેના જીવનમાં શાસ્ત્રનો અનાદર-ઉપેક્ષા છે તે જ મહાપાપ છે, જે તેને ઘોર સંસારમાં અવશ્ય ડુબાડશે. દ્વાદશાંગીથી અનંતા તર્યા તેમ અનંતા ફૂખ્યા પણ છે. ઉપાસના-અનુસરણ કરનાર તર્યા, આશાતના-અનાદર કરનાર ડૂળ્યા. વિશ્વમાં તરવા-ડૂબવાનો પણ આ સનાતન માર્ગ છે. सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं | સમય oi, Wor GOIToi ભવતિUITMs IIII. (મમ્મતિત પ્રy૨To શ્લોક-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. વિજ્ઞાન રોજ બદલાતું રહે છે જ્યારે ધર્મશાસ્ત્રો સદા સ્થિર છે ? પ્રભુની વાણીને પામીને ગણધરો શબ્દમય જે દ્વાદશાંગીની રચના કરે છે, જેની વાચના દ્વારા અવિચ્છિન્ન १ गणिशब्दः परिच्छेदवचनः, तथा चोक्तम्- आयारम्मि अहीए जं णातो होइ समणधम्मो उ। तम्हा आयारधरो भन्नति पढमं गणिट्ठाणं ।।१।। [आचाराङ्गनियुक्ति गा. १०] परिच्छेदस्थानमित्यर्थः, ततश्च परिच्छेदसमूहो गणिपिटकम्, (नंदीसूत्र० सूत्र ७१ टीका) ૨ “પિટર્ષ 1ળધરસર્વસ્વપૂત સ્નોત્તરશ્રમત્યર્થક, (શ્રાવવિધ પ્રવર નો ૧૨ ટીવઠા) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy