SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ ભાવતીર્થ - દ્વાદશાંગી સભા સૂત્રનો એક અક્ષર પણ આઘોપાછો કરીએ તો અર્થ બદલાય અને પાપ લાગે એમ કહીએ છીએ, તો દ્વાદશાંગી જુદી જુદી કેમ ? સાહેબજી ઃ અહીં અર્થ બદલાય તેવા શાબ્દિક તફાવતની વાત નથી. માત્ર શબ્દો જુદા જુદા વાપરે પણ અર્થ એક જ નીકળે તે વાત છે. દા.ત. કોઈ ‘આત્મા’ શબ્દ લખે તેની જગ્યાએ કોઈ “ચેતન’ શબ્દ લખે, તો શબ્દમાં ફેરફાર આવ્યો પણ અર્થભેદ નહીં થાય; કારણ ભાષાશાસ્ત્રમાં એક પદાર્થના બોધક અનેક શબ્દો છે. કોઈ વસ્ત્ર કહે તો કોઈ કપડું કહે; કોઈ પાણી કહે તો કોઈ જળ કહે. તેમ એકનું એક તત્ત્વ કહેવા માત્ર style of expression-રજૂઆતની શૈલી જુદી હોય, પરંતુ interpretation-અર્થઘટન એક જ થાય. અર્થ બદલાઈ જાય તેવો ફેરફાર કોઈ ગણધરનો ન હોય. સભાઃ કર્મના ક્ષયોપશમથી દ્વાદશાંગીની રચના થાય કે દ્વાદશાંગીનો બોધ થાય ? સાહેબજી દ્વાદશાંગીની રચના કર્મના ઉદયથી થાય, જ્યારે દ્વાદશાંગીનો બોધ કર્મના ક્ષયોપશમથી થાય. ગણધરોને ત્રિપદી દ્વારા સમગ્ર તત્ત્વનો બોધ થયો, તે શ્રુતજ્ઞાનાવરણીયકર્મના શ્રેષ્ઠ ક્ષયોપશમનું ફળ છે. આ જ્ઞાન તેમના આત્મામાં પ્રગટ્યું -બોધ થયો, તેને તેઓ પોતે જ પચાવી, માણી શકતા હતા. શબ્દદેહરૂપે સૂત્રાત્મક શાસ્ત્રો ન રચે તો તેમનું જ્ઞાન ભાગી જાય તેમ નહોતું. અરે ! તમે ભણ્યા પછી પુસ્તકમાં નોંધો નહીં, તો પણ ભૂલી જાઓ. અહીં ગણધરોની જ્ઞાનધારણશક્તિ અને ક્ષયોપશમ એટલા તીવ્ર છે કે તેમને જાણેલું ભૂલી જવાનો પ્રશ્ન નથી. પરંતુ લોકકલ્યાણ અર્થે જાણેલ તત્ત્વને સંક્ષેપ સૂત્રાત્મક શબ્દરૂપે મસ્તિષ્કમાં ગૂંથીને મૂક્યાં અને વાચના દ્વારા શિષ્ય-પ્રશિષ્યને પ્રદાન કર્યા, જેનું કારણ ગણધરનામકર્મનો ઉદય છે. ગણધરોએ ગણધરનામકર્મના ઉદયથી શાસ્ત્રોની રચના કરી છે. જેમ તીર્થકરો તીર્થકર નામકર્મના ઉદયથી જગતના અનુગ્રહ માટે તીર્થની સ્થાપના કરે છે, તેમ ગણધરો ગણધરનામકર્મના વિપાકથી પરોપકારહેતુક દ્વાદશાંગી શાસ્ત્રની રચના કરે છે. આવા શ્રેષ્ઠ પરોપકારની પ્રવૃત્તિ કરવા જે શક્તિ જોઈએ તે ગણધરનામકર્મના ઉદયથી મળે છે. આવી પાવન શક્તિ પ્રગટાવવામાં પુણ્ય કારણ છે ત્રિપદી દ્વારા આત્મામાં તત્ત્વજ્ઞાન પ્રગટ્યું તેમાં ક્ષયોપશમ કારણ છે, પરંતુ સારભૂત સૂત્રરૂપે ગૂંથીને મૂક્યું તેમાં ગણધરનામકર્મનો ઉદય કારણ છે. અહીં શાસ્ત્રો રચ્યાં તે શબ્દથી દ્વાદશાંગી કહેવાય. તેમાં નવસર્જન શબ્દોનું છે, અર્થનું નહીં. દા.ત. ઋષભદેવ ભગવાનના ગણધરે રચેલી દ્વાદશાંગીમાં જે ૯ તત્ત્વ હતાં, તે જ ૯ તત્ત્વ મહાવીર ભગવાનના ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી તેમાં પણ રહેવાનાં. તેમાં ૯ તત્ત્વમાંથી ૮ પણ નહીં થઈ જાય કે ૧૧ પણ નહીં થઈ જાય; કેમ કે જૈનધર્મ ગણધરોને કે તીર્થકરોને પણ તત્ત્વસર્જક નથી માનતો, પણ તત્ત્વદર્શક માને છે. બીજા १ यद्भगवद्भिः सर्वज्ञैः सर्वदर्शिभिः परमर्षिभिरर्हद्भिस्तत्स्वाभाव्यात् परमशुभस्य च प्रवचनप्रतिष्ठापनफलस्य तीर्थंकरनामकर्मणोऽनुभावादुक्तं भगवच्छिष्यैरतिशयवद्भित्तमातिशयवाग्बुद्धिसम्पन्नैर्गणधरैर्दृब्धं तदङ्गप्रविष्टम्। (તત્ત્વાર્થમાણ ધ્યાગ ૨ સૂત્ર ૨૦) २ .. तीर्थमिह गणधरस्तस्य धर्म:-आचारः श्रुतधर्मप्रदानलक्षणस्तीर्थधर्मः यदिवा तीर्थ-प्रवचनं श्रुतमित्यर्थस्तद्धर्मः-स्वाध्यायः.. (उत्तराध्ययनसूत्र सम्यक्त्वपराक्रमअध्ययन श्लोक ५०९ पद १९ शांतिसूरि टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy