SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ ૧૮૧ ન ગણાય, પણ અસંયત જ ગણાય, અને તે અસંયતની તારક ગુરુ તરીકે પૂજા તે તીર્થવિચ્છેદનું લક્ષણ છે. ગીતાર્થનિશ્રા વિના પંચ મહાવ્રતના કઠોર પાલનને પણ “જૂઠ કષ્ટની માયા’ કહી. તેથી તીર્થસ્વરૂપ ગીતાર્થનું અનુશાસન સંયત માટે અનિવાર્ય છે, સ્વબળથી તરનારાની વાત જુદી છે. તીર્થવિચ્છેદના કાળમાં પણ કોઈ સ્વયંબુદ્ધ, પ્રત્યેકબુદ્ધ થઈ શકે છે, પરંતુ તે તો special category-વિશિષ્ટ કક્ષાના જીવો છે, જે આત્મકલ્યાણના માર્ગમાં પૂરેપૂરા સ્વાધીન છે. તેમને કોઈની dependency-પરતંત્રતા નથી. સભા આ કાળમાં આવા સ્વયંબુદ્ધાદિ હોઈ શકે ? સાહેબજી : ન હોઈ શકે. અત્યારે તો શાસ્ત્ર, સદ્ગુરુની અવશ્ય જરૂર પડે. પ્રારંભમાં સદ્ગુરુના સાન્નિધ્યમાં રહી વિકાસ સાધે તો સ્વયં ગીતાર્થ જ્ઞાની બની શકે, પણ આલંબન વિના ગીતાર્થતા આ કાળમાં શક્ય નથી. શાસ્ત્રમાં ગીતાર્થોના પણ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારો કહેલ છે. મહાનિશીથ સૂત્ર સુધી આગમ ભણેલા મર્મને જઘન્ય ગીતાર્થ કહે છે. વળી, વિસ્તૃત ઉત્સર્ગ-અપવાદથી ભરેલાં બૃહત્કલ્પસૂત્ર-વ્યવહારસૂત્ર આદિ ગંભીર આચારમાર્ગનાં આગમોનો સાંગોપાંગ જ્ઞાતા મધ્યમ ગીતાર્થ કહ્યો છે. જ્યારે ઉત્કૃષ્ટ ગીતાર્થ તો દ્રવ્યાનુયોગના નિષ્ણાત, સર્વ દર્શનોના જાણકાર અને નયવાદમાં નિપુણને જ કહ્યા છે. વર્તમાનમાં આ સર્વ category-કક્ષાના ગીતાર્થોને પણ જ્ઞાની બનવા પ્રારંભમાં આલંબનની અવશ્ય જરૂર પડે છે. સંક્ષેપમાં તીર્થની સહાયથી જ તીર્થસ્વરૂપ બનનાર આત્માઓ વિશેષ હોય છે. જીવંત તીર્થના અભાવે તીર્થવિચ્છેદના પ્રસંગો : પુંડરિક ગણધરથી જે તીર્થ ચાલુ થયું, તે સુવિધિનાથ ભગવાનના શાસનમાં અંતે વિચ્છેદ પામ્યું. શીતલનાથ ભગવાનના સમયમાં પુનઃ તીર્થની સ્થાપના થઈ, જે લાખો-કરોડો વર્ષ ચાલ્યું, પરંતુ શ્રેયાંસનાથ ભગવાન થયા તે પહેલાં વિચ્છેદ પામ્યું. પાછું શ્રેયાંસનાથ ભગવાને સ્થાપ્યું, વળી, લાખો-કરોડો વર્ષ ચાલ્યું, પાછું વિચ્છેદ પામ્યું. એમ ચોથા આરામાં જ સુવિધિનાથ ભગવાનથી શાંતિનાથ ભગવાનના time spanમાંસમયગાળામાં વચ્ચે વચ્ચે તીર્થનો વિચ્છેદ થયો; કારણ કે તે તે તીર્થંકરના શાસનમાં ધીમે ધીમે શાસ્ત્રજ્ઞાન ઘટ્યું, દૃષ્ટિવાદ-પૂર્વો-અંગો નાશ પામ્યાં. જે જ્ઞાનના ધારણ વિના માર્ગદર્શક ન બની શકાય તે જ્ઞાન નાશ પામ્યું, તેથી પોતે સ્વબળથી તરે અને અનેકને તારે તેવા વ્યક્તિત્વની અવિચ્છિન્ન પરંપરા નાશ પામી. માત્ર જૈનધર્મના થોડા જાણકાર અનુયાયીઓ રહ્યા, જેમાંના કેટલાક સંવિગ્ન-ગીતાર્થતા વિના સૂંઠને ગાંગડે ગાંધીની જેમ, ગુરુ થઈને બેસી ગયા. લોકો પણ થોડું જાણવા મળે એટલે તેમને ગુરુ તરીકે પૂજે. એમ, ધર્મના નામથી જૈનધર્મના અનુયાયીઓનું ટોળું ચાલે; છતાં શાસ્ત્રમાં કહ્યું કે ત્યારે તીર્થ નહોતું, તીર્થનો વિચ્છેદ થયો હતો, શાસનમાં તારક વ્યક્તિનો અભાવ હતો. શાસનમાં અવિરત પરંપરારૂપે એવું શાસક વ્યક્તિત્વ જ્યાં સુધી રહે ત્યાં સુધી જ ભાવતીર્થ ટકવાનું. તીર્થસ્વરૂપ વ્યક્તિમાં સૂત્ર, અર્થની અવશ્ય જાણકારી જોઈએ જ; કેમ કે તે છબસ્થ છે, અર્થાતુ અપૂર્ણ જ્ઞાની છે. અપૂર્ણ જ્ઞાનીને અપ્રાપ્ત પરોક્ષ માર્ગનું પ્રત્યક્ષવતું દર્શન કરાવનાર તીર્થકરોની વાણી જ છે. પૂર્ણ જ્ઞાની તીર્થકરોની વાણીનો સાર ગણધરો સંગ્રહે છે, જે સૂત્ર છે; અને તીર્થકરોની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy