SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ, ૧૭૩ વાણી તુલ્ય જ સમજજો. તેમનું શરણું સ્વીકારી અનુસરવાથી તમારો વિસ્તાર નક્કી છે, આ જ તીર્થ છે. આ છાપ લોકમાનસમાં સ્થાપિત કરવા કેવલીની હાજરીમાં સમવસરણમાં ગણધરોની દેશના છે. વળી, શાસનના સંચાલક પણ ગણધરો જ છે; કારણ કે સંધરૂપ સમૂહ અનુશાસન માંગશે. ઉત્કર્ષાથી અનુશાસન છમસ્થ જ આપે. સામાન્ય સંયોગોમાં વીતરાગ અનુશાસનમાં પડે નહીં; કેમ કે અનુશાસન માટે પ્રશસ્ત કષાય જરૂરી છે. તેથી ગણધરો જ સર્વશ્રેષ્ઠ સુકાની તરીકે યોગ્ય છે. આ સંદર્ભમાં શાસનમાં કેવલીઓ ગૌણ છે. તીર્થકરો તીર્થના નાયક, સ્થાપક, માલિક છે, જ્યારે ગણધરો જીવંત તીર્થસ્વરૂપ, સમગ્ર તીર્થના સંચાલક, તીર્થમાં આદ્ય ગુરુ, આદ્ય મુનિ, આદ્ય પટ્ટધર છે. તીર્થકરોની હયાતિમાં આ રીતે શાસન ચાલે છે, પરંતુ તીર્થકરો નિર્વાણ પામે એટલે તીર્થકરોની postની-પદની જવાબદારી ગણધરોને આવે, અને પોતે જે અદા કરતા હતા તેવી ગણધરોની જવાબદારી તેમના પટ્ટધરને આવે. Duty-જવાબદારી અને power-અધિકાર સીધા transfer થઈ જાય-સોંપાઈ જાય. પ્રભુ મહાવીરની હાજરીમાં તેમના ૯ ગણધરો નિર્વાણ પામી મોક્ષે ગયા. પ્રભુના નિર્વાણ વખતે ગૌતમસ્વામી અને સુધર્માસ્વામી બે ગણધર જ હયાત હતા, જે બંને છબી હતા. પરંતુ senior-વડીલ ગૌતમસ્વામી મધ્યરાત્રિના પ્રભુના નિર્વાણ પછી સવારે જ કેવલી થયા, તેથી અનુશાસન કરવા માટે આવશ્યક એવા પ્રશસ્ત રાગ-દ્વેષના અધિકારી સુધર્માસ્વામી જ રહ્યા. જોકે પ્રભુએ ભાવિના જ્ઞાન અનુસારે પ્રથમથી જ સર્વ ગણધરોની હાજરીમાં જ સુધર્માસ્વામીને ગણઅનુજ્ઞા આપી પટ્ટધર બનાવ્યા છે. તે અવસરે સુધર્માસ્વામીના શરણમાં લાખો શિષ્યો છે. તે સર્વમાં ગુણ, શક્તિ, પ્રતિભા અને પુણ્યથી જંબૂસ્વામી પ્રધાન છે. તેઓ લાખોના ગુરુ બની શકે અને તેમના શરણમાં ગયેલાને અવશ્ય ભવચક્રમાંથી પાર પાડી શકે તેવા સામર્થ્યવાળા છે. તેથી સુધર્માસ્વામીએ, પ્રભુની હાજરીમાં પટ્ટધર તરીકે પોતે જે જવાબદારી અદા કરતા હતા, તે જવાબદારી તેમણે પોતાના પટ્ટધર જંબુસ્વામીને સોંપી અને પોતે પ્રભુની જવાબદારી સ્વીકારી. જંબુસ્વામીએ પોતાની પાટે જીવંત તીર્થસ્વરૂપ પ્રભવસ્વામીને પટ્ટધર સ્થાપ્યા. તીર્થસ્વરૂપ પટ્ટધર શિષ્ય પ્રાપ્ત થવા મહાપુણ્યશાળીને પણ અતિદુર્લભ છે, તેમાં પ્રભવસ્વામીનું દૃષ્ટાંત છે. પ્રભવસ્વામીની પોતાની ઉમર થઈ તો પણ તેમને પોતાના શિષ્યોમાં કોઈ તે કાળયોગ્ય જીવંત તીર્થસ્વરૂપ ઉત્તરાધિકારી મળ્યા નહીં, તેથી ઉત્તરાધિકારીની ચારે બાજુ તપાસ કરે છે. શ્રુતના ઉપયોગથી સકલ શ્રીસંઘનું અવલોકન કર્યું પણ કોઈ શ્રાવક પણ તેમને યોગ્ય ન દેખાયો, તેથી જૈનેતરમાં નજર દોડાવવી પડી. ત્યાંથી શઠંભવભટ્ટ બ્રાહ્મણ દષ્ટિગોચર થયા. ભાવિ તીર્થ બનવાની લાયકાત ધરાવતા શયંભવભટ્ટને સામે ચાલી પ્રતિબોધ કરવા પ્રયત્ન કર્યો, તત્કાલ દીક્ષા આપી અને ઘડતર દ્વારા શીધ્ર તીર્થસ્વરૂપ પટ્ટધર બનાવ્યા. તીર્થકરોની ગેરહાજરીમાં આચાર્ય એ તીર્થકર તુલ્ય અને ઉપાધ્યાય એ ગણધર તુલ્યઃ આપણે ત્યાં વ્યવસ્થા એ છે કે, 'શાસનનાયક તીર્થકરો જ્યાં સુધી હયાત હોય ત્યાં સુધી તીર્થકરો જે કાર્ય १ यदुक्तम्- कइयावि जिणवरिंदा, पत्ता अयरामरं पहं दाउं। आयरिएहि पवयणं, धारिज्जइ संपयं सयलं ।।१।। (सम्यक्त्वसप्ततिः श्लोक १८-१९-२० टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy