SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ સભા : ગોશાળો ક્યાં લાયક હતો ? સાહેબજી : તે ભાવથી શરણે આવ્યો જ ન હતો. મેં શરણે આવેલાની વાત કરી છે. સમવસરણમાં પણ દેશના સાંભળવા આવે તે સૌ શરણે આવેલા કહેવાતા નથી; કારણ કે નાસ્તિકો, પાખંડીઓ, અભવ્યો, મિથ્યાદૃષ્ટિઓ પણ તીર્થંકરની દેશના સાંભળવા આવે, પણ તેમાંથી લાયક શ્રોતા જ શરણે આવે. શરણે આવવા devotion-dedication(બલિદાન-સમર્પણ) જોઈએ. જે જીવ દેશના સાંભળી હૃદયથી પ્રભુને કહે કે “આપે કહ્યો તે ધર્મ મને ગમ્યો. આપ કહો છો તે જ સત્ય તત્ત્વ છે. હું તેને આપની કૃપાથી સ્વીકારવા માંગું છું.” અને ત્યારબાદ યથાશક્તિ સાધુધર્મ કે શ્રાવકધર્મ સ્વીકારે તે શરણે આવ્યો કહેવાય. વાણી એક કાનથી સાંભળી બીજા કાનેથી કાઢી નાંખે કે વાતોડિયાની જેમ મીઠી મીઠી વાતો કરીને ચાલતા થાય તે શરણે આવ્યા ન કહેવાય. જે જીવો દેશનાથી પ્રતિબોધ પામે અને પ્રભુનું શરણ ભાવથી સ્વીકારે, તે સર્વ તારવા યોગ્ય જીવોને પણ તરવા માટે સાધન તરીકે સતત તારક તીર્થની જરૂર હોય છે. નબળા સાધકો તરવા પુરુષાર્થ તો પોતે કરે છતાં પણ સતત અનુશાસન-માર્ગદર્શનની અનિવાર્ય આવશ્યકતા હોય છે. પરંતુ વીતરાગ એવા ભાવતીર્થકરો તો સતત અનુશાસન-માર્ગદર્શન આપતા નથી, પણ તત્કાલ પ્રતિબોધ પામીને અનેક જીવોને તારવાના પ્રચંડ સામર્થ્યયુક્ત બનેલા તીર્થસ્વરૂપ છબસ્થ ગણધરોને શરણાગતનું અનુશાસન સોંપે છે. ઉપરાંત તેઓ પોતાની હયાતી કે હયાતી બાદ પણ શરણાગતના અનુશાસનની અવિચ્છિન્ન વ્યવસ્થારૂપ વહેતું જીવંત તીર્થ સ્થાપિત કરે છે. સભા : પ્રભુ વીર કેવલજ્ઞાન પામીને તરત શાસન સ્થાપી ન શક્યા, તેમાં લોકોનું પુણ્ય પણ ઓછું હતું? સાહેબજી હા, હુંડા અવસર્પિણીના પ્રભાવે પ્રભુનું અને લોકોનું એમ બંનેનું પુણ્ય ઓછું. શાસ્ત્રમાં કહ્યું છે કે જો ગુરુનું પુણ્ય ઓછું હોય તો પોતાની પાટપરંપરા ચલાવે કે શાસનની ધુરા વહન કરે તેવા શિષ્યો ન મળે, અને શિષ્ય કે અનુયાયીનું પુણ્ય ઓછું હોય તો ઉત્તમ તારક ગુરુ આદિ યથાર્થ ન મળે. અહીં પ્રભુ વીરનું સાવ પુણ્ય જ નથી એવું નથી. માત્ર થોડો સમયગાળો પડ્યો. બીજા તીર્થકરોને પ્રથમ દેશનામાં તીર્થસ્વરૂપ પટ્ટધર શિષ્યો મળ્યા, જ્યારે મહાવીર પ્રભુને દ્વિતીય દેશનામાં મળ્યા. તીર્થકરોના પટ્ટધર શિષ્ય થવું તે સામાન્ય શક્તિ, પ્રતિભા કે તારકતાનું સામર્થ્ય નથી માંગતું, પરંતુ પ્રચંડ તારકતાનું પુણ્ય, પ્રતિભા અને ગુણસામર્થ્યનો સમન્વય માંગે છે અને તેમને જ આગમમાં જીવંત તીર્થ કહ્યા १ अवगथ हरिभद्रसूरिरम्बे ! जडमतिमादृशशिष्यकावलम्बे ! न किमपि मम चेतसो व्यथाकृ विशदविधेयविनेयमृत्युमुख्यं ।।२०१।। दृढमिह निरपत्यता हि दुःखं गुरुकूलमप्यमलं मयि क्षतं किं । इति गदति जगाद तत्र देवि शृणुवचनं मम सूनृतम् त्वमेकम्।।२०२ ।। नहि तव कुलवृद्धिपुण्यमास्ते ननु त(भ)व शास्त्रसमूहसंततिस्त्वम्। इति गदितवती तिरोदधे सा श्रमणपतिः स च શોમુત્સસíાર રૂા (प्रभाचंद्रसूरिकृते प्रभावकचरित्रे हरिभद्रसूरिचरित्रम् ) २ लद्धो कप्पतरूवि कप्पियफलो चिंतामणी चिंतिओ, धेणू कामदुहा निहाणमणहं दिव्वोसहीओवि य। णो लब्भंति सुहेण धम्मगुरवो सन्नाण नीराकरा, सुद्धायारपरा सुदेसणसुहाकोसा अरोसा सया।।१५२।। (उपदेशपद श्लोक ५३१ टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy