SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૧૫૦ જેને પણ શુદ્ધ ધર્મ પામવો છે, તેને પામવા માટેનું જીવંત infrastructure-માળખું તે જ ધર્મતીર્થ. આ ધ્યાન રાખવા જેવો સક્ષિપ્ત અર્થ છે. વર્તમાન અવસર્પિણીકાળમાં આ ભરતક્ષેત્રમાં ઋષભદેવ ભગવાન સૌથી પહેલા તીર્થંકર થયા. તે પહેલાંનો કાળ યુગલિકકાળ હતો, એટલે ધર્મશૂન્યકાળ હતો. તે વખતે માનવો ધર્મશૂન્ય હતા. જોકે સ્વભાવથી સજ્જન, સરળ અને અલ્પ કષાયવાળા હતા, પણ તેમને ધર્મની સૂઝ-સમજ નહોતી. તેમનું જીવન ભોગમય હતું, છતાં મંદ કષાયના કારણે મરીને દેવલોકમાં જાય, પણ જીવનમાં ધર્મનું નામ-નિશાન નહીં. ઋષભદેવે પ્રથમ તીર્થંકર તરીકે ધર્મતીર્થનું પ્રવર્તન કર્યું. એટલે પ્રભુએ માત્ર ઉપદેશ આપ્યો એવો અર્થ નથી. ધર્મનો ઉપદેશ તો વાણી દ્વારા આપે પણ તે તીર્થની સ્થાપના નથી. પ્રથમ દેશના આપ્યા પછી તીર્થંકરો ધર્મતીર્થ સ્થાપે છે, જે કારણથી તેઓ તીર્થંકર કહેવાયા. અહીં તીર્થ સ્થાપ્યું એટલે શું કર્યું ? વિશ્વને એક એવું જીવંત માળખું-વ્યવસ્થાતંત્ર આપ્યું કે જેનાથી ઋષભદેવ હયાત હોય કે ગેરહાજર હોય, સદેહે વિચરતા હોય કે દેહાતીત નિર્વાણ પામ્યા હોય, વાણીથી લાયક જીવને પ્રતિબોધ કરતા હોય કે પૂર્ણ કૃતકૃત્ય એવા સિદ્ધપદને પામ્યા હોય, પરંતુ લાયક જીવને વિશુદ્ધ ધર્મ પામવો હોય તો, વર્ષોનાં વર્ષો સુધી, પેઢીઓની પેઢીઓ સુધી સાચો કલ્યાણનો માર્ગ, જીવંત સાધન-સામગ્રી મળતી રહે, તેવું અપૂર્વ તંત્ર તે આ ધર્મતીર્થ. વિચાર કરો ઋષભદેવ પ્રભુથી અજિતનાથ તીર્થંકર વચ્ચે અસંખ્ય પેઢીઓ ગઈ, અસંખ્ય અસંખ્ય વર્ષો પસાર થયાં, વિશાળ કાળનો પ્રવાહ વહી ગયો, છતાં પણ જેના પ્રભાવે તારક માળખું ટકી રહ્યું, તરવાનો માર્ગ અવિચ્છિન્ન રહ્યો તે ધર્મતીર્થ, આ કાળમાં ભગવાન ઋષભદેવે સ્થાપ્યું. સભા ઃ કલ્યાણની તમામ સાધન-સામગ્રી તે જ ધર્મતીર્થ ? સાહેબજી : ના, કલ્યાણની જીવંત સાધન-સામગ્રી તે મુખ્ય ધર્મતીર્થ. જિનપ્રતિમા, ઉપાશ્રય, દેરાસર, લિપિબદ્ધ શાસ્ત્રો, પાલીતાણા આદિ તીર્થો તે જીવંત તીર્થ નથી, તે સ્થાવર તીર્થ છે. ધર્મતીર્થમાં પ્રધાનતાથી જીવંત તીર્થ લેવાનાં છે. તેમાં માત્ર જડ તારક સાધન-સામગ્રીનો સમાવેશ નથી, તેનો સમાવેશ દ્રવ્ય ધર્મતીર્થમાં છે. લોકવ્યવહારમાં પણ કોઈ મહાન સંસ્થા સ્થાપે કે જેના દ્વારા સદીઓ સુધી લોકકલ્યાણ થતું રહે, તો લોકમાં તે સ્થાપનારનાં કેટલાં ગુણગાન ગવાય છે ! પ્રાજ્ઞ પુરુષો પણ તેના વ્યક્તિત્વથી અભિભૂત થઈ ઓવારી જાય છે; જ્યારે અહીં તો અસંખ્ય પેઢીઓ સુધી તરવાનો માર્ગ અવિચ્છિન્ન ચાલે એવું પરમ હિતકારી infrastructure-માળખું આપ્યું, જે કાયમ ભવસાગરથી પાર પમાડે તેવી સાંગોપાંગ જીવંત સાધન-સામગ્રી આપે છે, ત૨વાનાં શ્રેષ્ઠ પરિબળો પૂરાં પાડે છે, તેથી આ નાનીસૂની વાત નથી. તીર્થપ્રવર્તન જેવું કોઈ મહાન કાર્ય નથી. તીર્થંકર, તીર્થંકર છે (તીર્થના કર્તા છે.). માટે જ ત્રણ લોકમાં, ત્રણ કાળમાં સર્વોત્કૃષ્ટ વ્યક્તિત્વ ગણાય છે. આવતી કાલથી પ્રવચનમાં જીવંત ધર્મતીર્થનું વર્ણન આવશે. એકાગ્રતાથી ઉપયોગપૂર્વક સાંભળશો તો અસરકારક સાચી ઓળખ અવશ્ય થશે. Jain Education International 8060084 808808← * * For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy