SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ ધર્મતીર્થની વ્યાખ્યા પૂરતું છે, તો બીજા વિશેષણો મૂકવાની શી જરૂર છે ? તેનો જવાબ આપતાં ચૌદ પૂર્વધર પૂ. ભદ્રબાહુસ્વામી મહારાજા કહે છે કે, લોકમાં ધર્મતીર્થ ઘણાં છે અને તેના સ્થાપક પણ જુદા જુદા છે, પરંતુ તે તીર્થોના પ્રણેતા જિન નથી. તેથી ધર્મતીર્થના સ્થાપકોમાં તીર્થકરોની “જિન” શબ્દ દ્વારા અદ્વિતીયતા દર્શાવેલ છે. આ વિવેચન પરથી સમજી શકાય કે જૈનશાસ્ત્રો અન્ય ધર્મતીર્થોને ધર્મતીર્થ કહે છે, પરંતુ તીર્થકરોના ધર્મતીર્થને લોકોત્તર ધર્મતીર્થ કહે છે, જે ઉપાસના માટે જીવનમાં ઓળખપૂર્વક પસંદ કરવાનું છે. સ્થાવરતીર્થ કરતાં કંઈ ગણું મહાન જંગમતીર્થ : આર્યધર્મોમાં પણ નિર્વિકારી મોક્ષ બતાવ્યો છે. તે મોક્ષને તેમના અનુયાયીઓ અનુસરે તેવો પ્રેરક ધર્મ તેમના માટે તીર્થ કહેવાય. જોકે તે ધર્મ ઉપાસકને આડા રસ્તે ફેરવી ફેરવીને મોક્ષે લઈ જાય, છતાં ત્યાં રહેલા અપુનબંધકાદિ લાયક જીવોને ત્યાંની હિતકારી વાતો તારક બને છે. તારકતાને સામે રાખીને વપરાતો તીર્થ રે અમે બોલીએ છીએ ત્યારે તમારા માનસમાં લગભગ સ્થાવરતીર્થો ઉપસ્થિત થાય છે, પરંતુ ધર્મતીર્થ ઉપસતું નથી, પણ તે યોગ્ય નથી; કારણ કે " આ શાસનમાં સ્થાવરતીર્થ કરતાં કંઈ ગણી મહાનતા જંગમતીર્થની છે, અને સર્વ જંગમતીર્થો ધર્મતીર્થમાં સમાય છે, તેથી સર્વોત્કૃષ્ટ તીર્થ ધર્મતીર્થ છે. જંગમતીર્થ એટલે જીવંતતીર્થ છે. જિનમંદિર-દેરાસર, ઉપાશ્રય, પ્રતિમાઓ, તીર્થભૂમિઓ, લિપિબદ્ધ શાસ્ત્રો, જ્ઞાન-દર્શન-ચારિત્રનાં ઉપકરણો આદિ આરાધનાનાં સર્વ નિમિત્તો જડ છે; જેનો સ્થાવરતીર્થ કે દ્રવ્યતીર્થમાં સમાવેશ થાય. પરંતુ જીવંતતીર્થ તો ભાવતીર્થ છે, જેનો મહિમા અતુલ છે. તમે ઊંચાને નીચા અને નીચાને ઊંચા, વધારે પૂજ્યને અલ્પ પૂજ્ય અને અલ્પ પૂજ્યને વધારે પૂજ્ય માનો તે બરાબર નથી. દા.ત. આપણે ત્યાં શાસ્ત્રમાં આવે છે કે શ્રાવક ગુરુમુખે કલ્પસૂત્ર, બારસાસૂત્ર આદિ કોઈ પણ આગમ સાંભળે, કે તે સિવાય પણ ગુરુ મહારાજ પાસે આવીને જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછે, અથવા વ્યાખ્યાન સાંભળે કે વાચના સાંભળે ત્યારે, તેના માટે વિધિ છે કે પહેલાં જીવંત ગુરુ અને પછી લિપિબદ્ધ જ્ઞાનની પૂજા કરીને જિનવાણીનું શ્રવણ કરવું. અહીં પહેલાં ગુરુપૂજા કહી, જ્ઞાનપૂજા નહીં; કેમ કે તમે આ પુસ્તકની પૂજા કરો છો તેમાં તો લિપિરૂપે જ્ઞાન આલેખ્યું છે. વાસ્તવમાં પુસ્તક પોતે તો જડ છે, તે જ્ઞાનનું સાધન છે. હવે જ્ઞાનનું સાધન વધારે પૂજ્ય કે જ્ઞાનમય જીવંત ગુરુ વધારે પૂજ્ય ? લિપિબદ્ધ શાસ્ત્ર કરતાં જ્ઞાની જીવંત ગુરુ વધારે મહાન કહ્યા છે; કારણ કે સમ્યજ્ઞાન પુસ્તકમાં નહીં, પરંતુ ગુરુના આત્મામાં રહે છે. પણ તમારો ભ્રમ पदम्। गत्वाऽऽगच्छन्ति भूयोऽपि, भवं तीर्थनिकारतः।।१।।' इत्यादि, तन्नूनं न ते रागादिजेतार इति, अन्यथा कुतो निकारतः पुनरिह भवाङ्कुरप्रभवो?, बीजाभावात्, तथा चान्यैरप्युक्तम्-“अज्ञानपांसुपिहितं पुरातनं कर्मबीजमविनाशि। तृष्णाजलाभिषिक्तं मुञ्चति जन्माङ्कुरं जन्तोः ।।१।।” तथा- “दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नाङ्कुरः। कर्मबीजे तथा दग्धे, न रोहति મવાળુ: T ” ___ (आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक १०८० टीका) १ एतेन सिद्धाचलादेराराध्यत्वमपि व्याख्यातम्, ज्ञानदर्शनचारित्ररूपभावतीर्थहेतुत्वेनास्य द्रव्यतीर्थत्वाद् (प्रतिमाशतक श्लोक १०२ टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy