SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતીર્થના વ્યાખ્યા | ૯૭ परिणामतापसंस्कारदुःखैर्गुणवृत्तिविरोधाच्च दु:खमेव सर्वं विवेकिनः ।।२-१५ ।। તેઓ આખા સંસાર માટે કવમેવ સર્વ શબ્દ વાપરે છે. તમે જેને સુખ કહો છો તેને પણ આ મહર્ષિ દ:ખ કહે છે. તમે જૈનશાસ્ત્રો પણ બરાબર વાંચ્યાં નથી કે બીજા કોઈ શાસ્ત્રો પણ વાંચ્યાં નથી. ત્યાં પણ તેમના શાસ્ત્રાનુસારી વિચારધારાવાળા સંન્યાસી હોય તો તે માને કે ભૌતિક જગત અસાર છે; ઇન્દ્રિયોનાં સુખ, વિકાર-દુઃખનાં જ કારણ છે; તેનાથી જીવ અનંતી વાર દુઃખી થયો છે. ભોગો ભોગવીને તૃષ્ણાને તૃપ્ત કરવાના લક્ષ્યથી જીવ અનંત કાળથી ભટકે છે, છતાં અતૃપ્ત જ રહ્યો છે. આવા ચિંતનથી જેની વિવેકદૃષ્ટિ ખુલી જાય અને આત્મકલ્યાણના લક્ષ્યથી દયા પાળે, તો તેવા જીવને માટે કહેવું પડે કે તે જિનાજ્ઞા મુજબનો ગુણ છે. તેથી તેને અમે અવશ્ય ધર્મ કહીશું. આજ્ઞાનિરપેક્ષ જૈનનો ધર્મ પણ આત્મઅકલ્યાણકર : તેનાથી વિપરીત દૃષ્ટાંત વિચારીએ કે કોઈ જૈનધર્મમાં જન્મેલ હોય, પરંતુ જિનવાણી અનુસાર સંસારને અસાર ન માનતો હોય, ઇન્દ્રિયોનાં સુખોને જ જીવનમાં સર્વસ્વ માનતો હોય, તો અમે કહીશું કે તેનાં દયા-પરોપકાર આદિ ધર્મથી એનું કલ્યાણ નહીં થાય. અરે ! અમને એવા પણ જૈન મળ્યા છે, જે કહે કે “મારે મોક્ષે જવું નથી, પણ અહીં રહીને અનેક જીવોનો પરોપકાર કરવો છે, દુઃખથી ત્રસ્ત જીવોને દુઃખમાંથી બહાર કાઢવા છે, તેથી મેં તો માનવદયાને જીવનનું ધ્યેય બનાવ્યું છે. મોક્ષમાં જઈ એમ ને એમ બેસી રહેવું તેના કરતાં દુનિયાનો ઉદ્ધાર કરવો શું ખોટો ? કોઈનાં આંસુ લૂછવાં, દુઃખ દૂર કરવાં, તેનાથી ઊંચુ સત્કાર્ય શું છે? મને તો માત્ર આવા સત્કાર્યમાં જ રસ છે.” પાછો તે બોલનાર જુઠ્ઠો કે લુચ્ચો ન હોય, દિલનો પ્રામાણિક હોય; વાસ્તવમાં આખા જીવનમાં પોતે લાખોને બચાવ્યા હોય, માનવતાનાં કામ કરવા અડધી રાતે ખડે પગે તૈયાર હોય, પણ તેને અધ્યાત્મતત્ત્વની કોઈ જ ખબર ન હોય, જિનાજ્ઞા સાથે નહાવાનીચોવવાનો સંબંધ ન હોય, તેથી અમારે કહેવું જ પડે કે એના મનમાંથી ઊગી નીકળેલી આ દયા છે, ભગવાને કહેલી દયા નથી. તેને તેના શુભ ભાવથી માત્ર પુણ્ય બંધાશે, પણ તેનું આત્મકલ્યાણ નહીં થાય. સભા : આવી દયામાં જિનાજ્ઞાનું ખંડન થાય છે ? સાહેબજી : થાય જ. ભગવાને દયા આત્મકલ્યાણના ઉદ્દેશથી કરવાની કહી છે. વળી જેને વિષયકષાયરૂપ સંસારનો રસ છે તેને સ્થૂલ જીવોની દયા કરતો હોવા છતાં તત્ત્વથી હિંસાનો જ રસ છે. આવી દયામાં જિનાજ્ઞા ન જ હોય. તેથી આત્માની ઉન્નતિ ન થાય તેવી દયા પણ નકામી છે. આખા ધર્મનું લક્ષ્ય જ આત્માની ઉન્નતિ છે. જે ધર્મ તમારા આત્માનો અધોગતિથી અવરોધ ન કરે, અને ઉન્નતિ તરફ ન લઈ જાય તે ધર્મ તત્ત્વથી ધર્મ જ નથી. ભૌતિક સ્વાર્થ તે સ્વાર્થ, આત્મિક સ્વાર્થ તે પરમાર્થ : સભા : આખો દિવસ પોતાના આત્માની જ ચિંતા કરે તે સ્વાર્થી ન કહેવાય ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy