SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૯૫ પોષણદાયક આહાર પણ દેહને શક્તિ ન આપે તો નકામો, અને અલ્પપોષણદાયક આહાર પણ શક્તિ આપે તો ઉપયોગી. તેમ શાસ્ત્ર કહે છે કે જિનાજ્ઞાવિરુદ્ધનો મોટો ધર્મ પણ આત્મા માટે અહિતકારી છે, માટે નકામો છે; અને જિનાજ્ઞા મુજબનો નાનો પણ ધર્મ આત્મા માટે હિતકારી છે, માટે સાચો ધર્મ છે. શુદ્ધ ભાવરૂપ શ્રેષ્ઠ ધર્મ પણ જિનાજ્ઞાવિરુદ્ધ હોય તો આત્મા માટે હિતકારી નથી, અને કૌટુંબિક કર્તવ્યરૂપ પ્રાથમિક ધર્મ પણ જિનાજ્ઞાઅનુસારી હોય તો આત્મા માટે હિતકારી છે. સંક્ષેપમાં છે, જ્યારે, જેને માટે અવશ્ય હિતકારી હોય તેને જ જિનાજ્ઞા કહેવામાં આવે છે. દા.ત. તમારા કુટુંબમાં સભ્ય તરીકે તમારો દીકરો જે માંદો પડ્યો છે, અત્યારે તેની સાર-સંભાળ લેવી તે તમારા માટે કૌટુંબિક ફરજ છે; ત્યારે તમે કહો કે કૌટુંબિક ધર્મ એ ઊંચો ધર્મ નથી, ઊંચો ધર્મ તો આત્માનો શુદ્ધ સ્વભાવ છે, અને શુદ્ધ સ્વભાવની અપેક્ષાએ તો કોણ દીકરો અને કોણ બાપ ? આ બધા સંબંધો તો કાલ્પનિક છે. મૂળથી બધાં આત્મદ્રવ્ય સરખાં છે. એમ શુદ્ધ ભાવને વિચારીને નિર્લેપતાથી બેસી જાઓ, તો તે શ્રેષ્ઠ ધર્મ પણ હિતકારી ન કહેવાય. સભા : ફરજ ચૂક્યો. સાહેબજી : ફરજ જ નહીં, પણ જિનાજ્ઞા જ ચૂકી ગયો. ફરજ ચૂક્યો તેના કરતાં જિનાજ્ઞા ચૂક્યો તે વધારે ભયંકર છે. અમે નાના ધર્મને પણ જિનાજ્ઞામાં આવે તો ધર્મ કહેવા તૈયાર છીએ, અને ઉપરનો ધર્મ પણ જિનાજ્ઞાવિરુદ્ધ હોય તો તેને નકામો કહીશું. તમને આ વ્યાખ્યા બરાબર clear-સ્પષ્ટ થવી જોઈએ. જિનાજ્ઞા પ્રમાણે દીકરાની સાર-સંભાળ લેવામાં પણ ધર્મ, પરંતુ આ વાતનું ઓઠું લઈને આખો દિવસ કુટુંબની સરભરા જ કર્યા કરે તો તે ન ચાલે. વળી કહે કે પહેલાં કુટુંબની ફરજ, પછી ધર્મ; તો અમે કહીએ કે તે જિનાજ્ઞા સમજતો જ નથી. સર્વત્ર કૌટુંબિક ફરજનું જ મહત્ત્વ નથી. તે જ રીતે નાસ્તિક ગમે તેટલી કૌટુંબિક ફરજો પાળે કે ચુસ્તતાથી નૈતિક મૂલ્યો જાળવે, તે માટે કદાચ જીવનમાં જબરદસ્ત બલિદાન આપે, તો પણ અમે કહીએ કે તેનાં નૈતિક મૂલ્યો આદિની કોઈ કિંમત નથી; કારણ કે તે જિનાજ્ઞા બહાર છે. આ જ ન્યાયથી અભવ્ય-દુર્ભવ્ય જીવો પણ જૈનધર્મની શ્રદ્ધા કેળવે, તેનાં શ્રાવકાચાર કે સાધ્વાચારનાં ઉત્કટ અનુષ્ઠાનો પાળે, થાવત્ જીવનભર નિરતિચાર પંચમહાવ્રત ધારણ કરે, છતાં આવા મહાન ધર્મની પણ ફૂટી બદામ જેટલી યે કિંમત નથી, કારણ કે તે જીવો જિનાજ્ઞા બહાર છે. જિનાજ્ઞાપાલનમાં જૈન-જૈનેતરનો ભેદ નથી : વળી, ઊલટું કોઈ જૈનેતર હોય, પરંતુ તે જિનાજ્ઞા પ્રમાણે વર્તતો હોય, તો તેના ટચૂકડા ધર્મને પણ ભગવાન ધર્મ તરીકે મંજૂર કરે છે, ઉપરાંત તે ધર્મથી તેના આત્મકલ્યાણની પણ ગેરંટી આપે છે. સંક્ષેપમાં જૈન પણ જિનાજ્ઞાવિરુદ્ધ વર્તતો હોય તો શાસ્ત્રો તેના ધર્મને રદ કરે છે, અને તેના બદલે અજૈન વ્યક્તિ કે १ कीदृशमनुष्ठानं धर्म इत्याह-'यथोदितं' यथा येन प्रकारेण कालाधाराधनानुसाररूपेणोदितं प्रतिपादितं तत्रैवाविरुद्ध वचने, अन्यथा प्रवृत्तौ तु तद्वेषित्वमेवापद्यते, न तु धर्मः, यथोक्तम्- तत्कारी स्यात् स नियमात् तद्द्वेषी चेति यो जडः। आगमार्थे तमुल्लङ्घ्य तत एव प्रवर्त्तते।।१।। [योगबिन्दौ २४०] इति। (धर्मबिन्दु प्रथम अध्याय श्लोक ३ टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy