SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતીર્થની વ્યાખ્યા ૮૮ જ સ્ત૨માં ૨હેલ કોઈ સાધક કે જેને નવા પુણ્યાનુબંધીપુણ્યની કોઈ આવશ્યકતા નથી, છતાં કારણ વિના પુણ્યાનુબંધીપુણ્યના લક્ષ્યથી તેવા ધર્મને વળગી રહે તો તે જિનાજ્ઞાવિરુદ્ધ છે. આ વાત ગંભીર છે. વિસ્તારથી સમજાવવી પડશે. અત્યારે એટલું ગોખી રાખો કે ધર્મની અંતિમ વ્યાખ્યા “આજ્ઞા એ જ ધર્મ” સભા : જિનાજ્ઞાવિરુદ્ધનો શુદ્ધ ભાવ પણ અધર્મ અને જિનાજ્ઞા મુજબનો અશુદ્ધ ભાવ પણ ધર્મ કઈ રીતે ? સાહેબજી : નિશ્ચયનયથી કષાયના અભાવને ધર્મ કહ્યો છે જે શુદ્ધભાવરૂપ છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજા કહે છે કે “તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો પ્રબલ કષાય અભાવ.” નિશ્ચયના દૃષ્ટિકોણથી આ સત્ય વ્યાખ્યા છે. છતાં જિનાજ્ઞા વિરુદ્ધ કષાયનો અભાવ કરો તેને શાસ્ત્ર ધર્મ કહેવા તૈયાર નથી. દા.ત. તમારા ઘરમાં તમારો દીકરો જૈન કુલાચા૨ને ન શોભે તેવું વર્તન કરે તો બાપ તરીકે તેને અટકાવવાની તમારી ફરજ છે. પણ તે વખતે તમને થાય કે ભગવાને ક્રોધ કરવાની ના પાડી છે, ક્ષમા રાખવાનું કહ્યું છે. ક્ષમા શુદ્ધ ભાવ છે પણ અત્યારે તે કેળવવો જિનાજ્ઞા વિરુદ્ધ છે; કેમ કે આ અવસરે તમને ક્રોધ કરવાની ભગવાનની આજ્ઞા છે. શાસ્ત્રમાં આવા ક્રોધને પ્રશસ્ત કહ્યો છે. ઊલટું તે વખતે ક્રોધ નહિ કરો તો તમને પાપ બંધાશે. અરે ! તમે ધર્મ ચૂકી ગયા તેમ અમે કહીશું. તેથી જ ધર્મનાં બધાં લક્ષણો બતાવ્યા પછી અંતે કહ્યું છે કે, જ્યાં જ્યાં જિનાજ્ઞા છે ત્યાં ત્યાં ધર્મ છે, અને જ્યાં જિનાજ્ઞા નથી તેવી સારી પ્રવૃત્તિ પણ અધર્મ છે. સભા : ૫૨મશુદ્ધનિશ્ચયનયે ચૌદમા ગુણસ્થાનકે જ ધર્મની વ્યાખ્યા કરી, તેના કરતાં આ વ્યાખ્યા કેવી રીતે ચડી જાય ? સાહેબજી : દા.ત. કોઈ જંગલીની જેમ તે જ એક વ્યાખ્યાને વળગીને બેસી રહે, અને કહે કે નીચેનાં ગુણસ્થાનક પામવાની સાધના નહીં કરવાની; કેમ કે બાકીનાં તેર ગુણસ્થાનક તો અધર્મ છે. વર્તમાનમાં કાનજીસ્વામી આવું જ કહે છે. પરંતુ આવા એકાંગીને વર્તમાનમાં હિતકારી શક્ય ગુણસ્થાનકનો પુરુષાર્થ અટકી જાય, અને અશક્યની કલ્પનામાં રાચવાનું રહે; કારણ કે અત્યારે તેને માટે ચૌદમા ગુણસ્થાનકરૂપ ધર્મને અપનાવવાની જિનાજ્ઞા છે જ નહીં, છતાં તેનો જિનાજ્ઞા વિરુદ્ઘનો પ્રયત્ન અને અભિલાષા છે, જે અહિતકર છે. “આળાણુ ઘો” જેણે ન પકડ્યું તે બધા માર્ગમાંથી ઊડ્યા. શાસ્ત્રસંમત ધર્મનું અંતિમ લક્ષણ આ જ કહીએ છીએ કે “જિનાજ્ઞા એ જ ધર્મ છે.” જિનાજ્ઞા પ્રમાણે ક્રોધ કરો તો પણ ધર્મ અને જિનાજ્ઞા વિરુદ્ધ ક્ષમા કરો તો પણ અધર્મ. એમ સર્વત્ર જોડવું. સભા : જીવ જે કક્ષાએ હોય તે કક્ષા કરતાં ઉપરનો ધર્મ કરે તો તે ધર્મ કે અધર્મ ? સાહેબજી : તે પણ અધર્મ જ; કારણ કે તેની ભૂમિકા પ્રમાણે તેને તેનાથી ઊંચો ધર્મ પણ હિતકારી નથી, અને તે કરવાની જિનાજ્ઞા પણ નથી. પૂ. આ. શ્રી. સિદ્ધસેનદિવાકરસૂરિ, પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ, પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ આદિ સર્વ મહાપુરુષો લખે છે કે ળ્યા યા આજ્ઞા સા સા ધર્મઃ।” સંપૂર્ણ ધર્મ ભગવાનની આજ્ઞામાં સમાયેલો છે અર્થાત્ જિનાજ્ઞા અને ધર્મનો અભેદ છે. આ જૈનશાસનની પૂર્ણદૃષ્ટિ છે. વાત ગંભીર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy