SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | “શ્રુતભાવના' દ્વાર / ગાથા ૧૩૯૮-૧૩૯૯ ટીકા? ____ अनेनासौ क्रमेण यथोपन्यस्तेन डिम्भकतस्करसुरादिकृतमेतद्-भयं जित्वा महासत्त्वः सर्वासु प्रतिमासु वहति भरं प्रस्तुतं निर्भयः सन् सकलमिति गाथार्थः ॥१३९८॥ (द्वारम्) ॥ ટીકાર્ય આ= યથાઉપન્યસ્ત, ક્રમથી=જે પ્રકારે ગાથા ૧૩૯૬માં ઉપન્યાસ કરાયો તે પ્રકારના પાંચ પ્રતિમાઓના ઉપન્યાસના ક્રમથી, સર્વ પ્રતિમાઓમાં ડિંભક, તસ્કર, સુરાદિથી કૃત બાળક, ચોર, દેવતા વગેરેથી કરાયેલા, આને=ભયને, જીતીને મહાસત્ત્વવાળા, નિર્ભય છતા આ અભ્યદ્યત વિહાર સ્વીકારવા તત્પર એવા ઋષિ, પ્રસ્તુત એવા સકલ ભર=જિનકલ્પાદિરૂપ પ્રસ્તુત એવા સર્વ ભારને, વહન કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૩૯૬માં બતાવ્યું એ પ્રકારના ક્રમથી મહાત્મા પ્રતિમાઓ ધારણ કરે છે અને પ્રતિમાકાળમાં ક્રમસર બાળક, ચોર, દેવતા વગેરેથી થતા ઉપદ્રવોને સહન કરીને ભયમોહનીયકર્મ પર વિજય મેળવે છે. આશય એ છે કે જીવમાં દેહાદિના સંગની વાસના વર્તતી હોય, તો જ દેહાદિ પરના મમત્વને કારણે દેહાદિને થતા ઉપદ્રવોથી ચિત્તમાં એકદમ ભય ઉત્પન્ન થાય. તેથી આ મહાત્મા સર્વ પ્રતિમાકાળમાં દેહથી પૃથ એવા શુદ્ધ આત્માના સ્વરૂપનું ભાવન કરી કરીને સંગની વાસનાના સંસ્કારોને એ પ્રકારે તિરોધાન કરે છે કે જેથી ગમે તેટલા ભયનાં નિમિત્તો પ્રાપ્ત થાય તોપણ, ભયઉત્પત્તિના કારણભૂત એવા દેહાદિના સંગનો પરિણામ ઊઠતો નથી, એટલું જ નહીં, પરંતુ અસંગભાવને અતિશયિત કરવાના વ્યાપારમાં લેશ પણ ન્યૂનતા આવતી નથી. આથી જ આવા નિર્ભય થયેલા મહાત્મા પ્રસ્તુત એવા સકલ ભારનું વહન કરે છે, અર્થાત્ સત્ત્વભાવના દ્વારા આત્મામાં રહેલા પરમ સત્ત્વનો આવિર્ભાવ કરીને જિનકલ્પાદિરૂપ અભ્યદ્યત વિહાર સ્વીકારવો એ અહીં પ્રસ્તુત છે અને તે પ્રસ્તુત એવા અભ્યત વિહારના સમગ્ર ભારને વહન કરવા આવા નિર્ભય ઋષિ સમર્થ બને છે, જેના કારણે તેઓ ઉપસર્ગકાળમાં પણ આત્મામાં રહેલા સત્ત્વનો પૂર્વ પૂર્વ કરતાં ઉત્કર્ષ થાય તેવો યત્ન કરી શકે છે. ll૧૩૯૮ અવતરણિકા : श्रुतभावनामाह - અવતરણિકાર્ય : શ્રુતભાવનાને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૩૭૨માં અભ્યદ્યત વિહારનાં દશ દ્વારો બતાવેલ, તેમાંથી ગાથા ૧૩૯૧થી ૧૩૯૮માં પાંચમા તપોભાવના” દ્વારનું અને છઠ્ઠા “સત્વભાવના' દ્વારનું સ્વરૂપ કહ્યું. હવે ગાથા ૧૪૦૨ સુધી સાતમા “શ્રુતભાવના' દ્વારના સ્વરૂપને કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy