SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ સંલેખનાવસ્તક / અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / ગાથા ૧૬૦૪-૧૬૦૫ જીવોમાં - અવિનયી જીવોમાં, મૈત્રી આદિનેત્રમૈત્રી-પ્રમોદ-કારુણ્ય-માધ્યથ્યને, તે પ્રકારે=જે પ્રકારે સર્વ જીવો પ્રત્યે ઉચિત વર્તન કરવાને અનુકૂળ સમભાવના પરિણામની વૃદ્ધિ થાય તે પ્રકારે, અત્યંત ભાવન કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સર્વત્ર અપ્રતિબદ્ધ એવા ભક્તપરિજ્ઞા અનશન કરનારા મહાત્મા સ્થિરાસનમાં બેસીને આત્માને તત્ત્વથી ભાવિત કરે છે, ત્યારે ચિત્તને અત્યંત ઉચિત પ્રવૃત્તિપ્રધાન બનાવવા અર્થે જિનવચનાનુસાર જીવ વગેરે વિષયક મૈત્રી આદિ ભાવનાઓ કરે છે, જેથી સર્વ જીવો પ્રત્યે તેઓની ભૂમિકાનુસાર ઉચિત ભાવો કરવાનો અધ્યવસાય પ્રગટે. મૈત્રીભાવના: મૈત્રીભાવનાથી સર્વ જીવો પ્રત્યે હિતની ચિંતા થાય છે, તેથી પોતાના શત્રુભૂત જીવો પ્રત્યે પણ દ્વેષનો પરિણામ ન થાય પરંતુ હિતનો પરિણામ થાય, તે માટે તે અનશની મહાત્મા મૈત્રીભાવના કરે છે. પ્રમોદભાવના : વળી ગુણવાનના ગુણોને સ્મૃતિમાં લાવીને પ્રમોદભાવના કરવાથી ગુણો પ્રત્યેનો પક્ષપાત વધે છે. આથી તે અનશની મહાત્મા સિદ્ધાત્માઓના, તીર્થકરોના, સુસાધુઓના ગુણોનું સ્મરણ કરીને તે તે ભાવો પ્રત્યે પ્રમોદભાવના કરે છે. આ કારુણ્યભાવનાઃ વળી તે અનશની મહાત્મા દ્રવ્યથી અને ભાવથી ક્લિશ્યમાન જીવો પ્રત્યે કરુણાભાવના કરે છે, જેથી તેઓના ક્લેશને દૂર કરીને તેઓ પાસે હિતને અનુકૂળ શક્તિ અનુસાર પ્રયત્ન કરાવે તેવી ઉત્તમ પ્રકૃતિ પોતાની બને. માધ્યશ્મભાવનાઃ વળી તે અનશની મહાત્મા અયોગ્ય જીવો પ્રત્યે પણ દ્વેષ ન થાય, પરંતુ મધ્યસ્થભાવ પ્રગટે તેવી ઉત્તમ પ્રકૃતિ માધ્યશ્મભાવનાથી નિષ્પન્ન કરે છે. આ સર્વ ભાવનાઓ તે મહાત્મા વિચારમાત્રથી કરતા નથી, પરંતુ અત્યંત સંવેગના પરિણામપૂર્વક તે ભાવનાઓ ચિત્તને સ્પર્શે તેવા અતિશય આદ્ર અંતઃકરણવાળા થઈને અંતરંગ દઢ યત્નથી કરે છે, જેથી તે ભાવનાઓના બળથી સમભાવનો પ્રકર્ષ થાય. l/૧૬૭૪ll અવતરણિકા : देहसमाधौ यतितव्यमित्याह - અવતરણિકાW: દેહની સમાધિમાં યત્ન કરવો જોઈએ, એ પ્રમાણે કહે છે – ભાવાર્થ : ભક્તપરિજ્ઞા અનશન કરનારા મહાત્મા પ્રથમ સંઘયણવાળા મહાપુરુષો જેવા સમર્થ હોતા નથી, તેથી તેઓ દેહની સ્વસ્થતાનો વિચાર કર્યા વગર અનશન કરે તો ઉત્તમ ભાવોનો વ્યાઘાત થાય, માટે ઉત્તમ ભાવોની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy