SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ગાથા ૧૩૦૦ અન્વયાર્થ : રૂKઅહીં=પ્રવચનમાં, અમુઝગો વિહાર તિવિહો=અભ્યદ્યત વિહાર ત્રણ પ્રકારે છે : વિUસુદ્ધનાનંદે જિન-શુદ્ધ યથાલંદ જિનકલ્પિક, શુદ્ધપરિહારિક અને યથાલન્ટિક. મમુળયાર પિ મ અને અભ્યત મરણ પણ (ત્રણ પ્રકારે છે:) પાડામપરિપUT=પાદપોપગમ-ઇંગિની-પરિજ્ઞા=પાદપોપગમન અનશન, ઇંગિતમરણ અનશન અને ભક્તપરિજ્ઞા અનશન. ગાથાર્થ : પ્રવચનમાં અભ્યધત વિહાર ત્રણ પ્રકારે છેઃ જિનકલ્પિક-શુદ્ધપરિહારિક-ચવાલન્દિક. અને અભ્યધતા મરણ પણ ત્રણ પ્રકારે છે : પાદપોપગમન અનશન-ઇંગિતમરણ અનશન-ભક્તપરિજ્ઞા અનશન. ટીકા : __जिनशुद्धयथालन्दाः जिनकल्पिकाः शुद्धपरिहारिकाः यथालन्दिकाश्चेति त्रिविधोऽभ्युद्यतः इहप्रवचने विहारः, अभ्युद्यतमरणमपि च इह त्रिविधमित्याह-पादपोपगमनेङ्गितपरिज्ञाः पादपोपगमनमिङ्गितमरणं भक्तपरिज्ञा चेति गाथासमासार्थः । व्यासार्थस्त्वस्याः प्रस्तुतं द्वारमेव ॥१३७७॥ ટીકાર્ય : અહીં=પ્રવચનમાં, જિન-શુદ્ધ યથાલંદો જિનકલ્પિકો, શુદ્ધપરિહારિકો અને યથાલબ્દિકો આ પ્રમાણે અચુદ્યત વિહાર ત્રણ પ્રકારવાળો છે. અને અહીં પ્રવચનમાં, અભ્યદ્યત મરણ પણ ત્રણ પ્રકારવાળું છે, એથી કહે છે=મૂળગાથાના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રી કહે છે – પાદપોપગમન-ઇંગિત-પરિજ્ઞા પાદપોપગમન, ઇંગિતમરણ અને ભક્તપરિજ્ઞા. આ પ્રમાણે ગાથાનો સમાસથી અર્થ છે=મૂળગાથાનો સંક્ષેપથી અર્થ છે. વળી આનો વ્યાસથી અર્થ મૂળગાથાનો વિસ્તારથી અર્થ, પ્રસ્તુત એવું દ્વાર જ છે–પંચવસ્તુ ગ્રંથના પાંચ દ્વારમાં નું પ્રસ્તુત એવું સંલેખના દ્વાર જ છે. ભાવાર્થ : અભુદ્યત વિહાર એટલે શક્તિના પ્રકર્ષથી અસંગભાવને પ્રાપ્ત કરવા માટે યત્ન કરવો. તે અભ્યઘત વિહાર ગીતાર્થ સાધુ જિનકલ્પ સ્વીકારીને કે શુદ્ધપરિહારિક થઈને કે યથાલન્ટિક થઈને કરે છે. વળી અભ્યદ્યત મરણ એટલે સર્વ ઉદ્યમથી દેહ-કષાયાદિને કૃશ કરવા માટે યત્ન કરવો. તે અભ્યઘત મરણ ગીતાર્થ સાધુ સ્વભૂમિકા અનુસાર પાદપોપગમન અનશન કે ઇંગિતમરણ અનશન કે ભક્તપરિજ્ઞા અનશન સ્વીકારીને કરે છે. આ પ્રમાણે ગાથાનો સંક્ષિપ્ત અર્થ છે. વળી આ ગાથાનો વિસ્તૃત અર્થ પ્રસ્તુત એવા સંલેખના દ્વાર રૂપ જ છે, માટે ગ્રંથકારશ્રીએ સ્વતંત્ર વિસ્તૃત અર્થ બતાવેલ નથી. ./૧૩૭૭ll Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy