SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તક / અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા / કુભાવના | ગાથા ૧૫૮ ૩૫૫ ગાથા : णाणाइ तिविहमग्गं दूसइ जो जे अ मग्गपडिवण्णे । अबुहो जाईए खलु भण्णइ सो मग्गदूसो त्ति ॥१६५८॥ दारं ॥ અન્વયાર્થ : નોકજે પણTUTI તિવિશ્વમાં જ્ઞાનાદિરૂપ ત્રિવિધ માર્ગને ને ૩ મદિવUો અને જેઓ માર્ગપ્રતિપન્ન છે (તેઓને) દૂરદૂષણ કરે છે. ગાવસ્તુ નવુ સો-જાતિથી જ અબુધ આ મદૂતો મ0ાડું માર્ગદૂષક કહેવાય છે. * ‘ત્તિ' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ : જે સાધુ જ્ઞાનાદિરૂપ ત્રણ પ્રકારના માર્ગને અને જેઓ માર્ગપ્રતિપન્ન છે તેઓને દૂષિત કરે છે, જાતિથી જ અબુધ એવા એ સાધુ માર્ગદૂષક કહેવાય છે. ટીકા? ज्ञानादि त्रिविधमार्ग पारमार्थिकं दूषयति यः कश्चित्, ये च मार्गप्रतिपन्नाः साधवस्तांश्च दूषयति, अबुधः अविद्वान् जात्यैव, न परमार्थेन, भण्यतेऽसावेवम्भूतः मार्गदूषकः पाप इति गाथार्थः ॥१६५८॥ ટીકાર્ય : પારમાર્થિક જ્ઞાનાદિરૂપ ત્રિવિધ માર્ગને જે કોઈ દૂષિત કરે છે અને જેઓ માર્ગને સ્વીકારીને રહેલા સાધુઓ છે તેઓને દૂષિત કરે છે. પરમાર્થથી નહિ પરંતુ જાતિથી જ અબુધ =અવિદ્વાન, આવા પ્રકારનો આ માર્ગદૂષક પાપી કહેવાય છે. ભાવાર્થ : ભગવાને સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન-સમ્યગ્વારિત્રરૂપ જે પારમાર્થિક મોક્ષમાર્ગ બતાવ્યો છે, તે મોક્ષમાર્ગને જે સાધુઓ ભગવાનના વચનનિરપેક્ષ થઈ સ્વમતિઅનુસાર યોજન કરીને કહે છે, તેઓ ભગવાને બતાવેલા માર્ગને દૂષિત કરે છે. વળી આવા સાધુઓ અને જે સાધુઓ ભગવાનના વચનઅનુસાર માર્ગમાં રહેલા સાધુઓની ઉચિત એવી ઉત્સર્ગ-અપવાદની આચરણાઓને દૂષિત કરે છે તેઓ, જાતિથી જ અવિદ્વાન છે અર્થાત્ આ બન્ને પ્રકારના સાધુઓ વાસ્તવિકતાથી શાસ્ત્ર ભણેલા હોવા છતાં શાસ્ત્રને સ્વમતિઅનુસાર જોડનાર હોવાથી જાતિથી જ અવિદ્વાન છે, અને તેવા સાધુઓ આ રીતે માર્ગને દૂષિત કરીને ભગવાનના માર્ગનો નાશ કરે છે, તેથી તેઓ પાપી છે. અહીં વિશેષ એ છે કે ભગવાનના માર્ગનો નાશ કરનારા સાધુઓ શાસ્ત્રો ભણેલા છે, શાસ્ત્રોને સમ્યકુ વિચારી શકે તેવી મતિવાળા છે, છતાં તે પ્રકારના માનાદિ કષાયને વશ થઈને ભગવાનના માર્ગને દૂષિત કરે છે, માટે તેઓને જાતિથી જ અવિદ્વાન કહેલ છે; કેમ કે ભગવાનના શાસનના મર્મને નહિ જાણનારા સાધુઓ જેવી જાતિવાળા જ આ શાસ્ત્ર ભણેલા સાધુઓ પણ છે, માટે અબુધ છે. આવા સાધુઓ પોતાના આત્માને સંમોહની ભાવનાથી ભાવિત કરે છે. ૧૬૫૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy