SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૫ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા / કુભાવના | ગાથા ૧૬૪૧-૧૬૪ર વળી કોઈ મહાત્મા સર્વત્ર નિઃસ્પૃહી હોય, તત્ત્વથી સદા આત્માને વાસિત રાખતા હોય અને સંયમના ઉપાયરૂપે નિર્દોષ વસ્ત્રાદિ ધારણ કરતા હોય, તેમ જ નિર્દોષ ઉપકરણ મળવા અતિદુર્લભ હોવાથી ક્યારેક નિર્દોષ વસ્ત્રાદિની અધિક પ્રાપ્તિ થઈ હોય તો ગચ્છના ઉપકાર અર્થે શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેનો સંગ્રહ પણ કરતા હોય, તો તે જોઈને કોઈ અવિચારક સાધુ કહે કે “આ સાધુઓ જે મળે તે વસ્ત્રાદિનો સંગ્રહ કરવામાં તત્પર છે,” તો તેઓ સાધુઓનો અવર્ણવાદ કરે છે; કેમ કે સાધુઓ સંયમમાં ઉપકારક હોય તેવાં ઉપકરણ ગ્રહણ કરે છે અને તેવાં ઉપકરણના અભાવમાં પરલોકવિષયક સાધના સમ્યગુ થઈ શકતી નથી. આથી જે ઉપકરણ પરલોકની સાધના માટે ગ્રહણ કરાતાં હોય, તે ધર્મને ઉપષ્ટભક હોવાથી સંચયરૂપ નથી; છતાં અવિચારકતાને કારણે આ પ્રકારે સાધુઓનો અવર્ણવાદ કરનારા સાધુ કિલ્બિષિકી ભાવનાથી પોતાના આત્માને ભાવિત કરે છે. ll૧૬૪૧ અવતરણિકા: मायिस्वरूपमाह - અવતરણિતાર્થ : માયીના સ્વરૂપને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૯૩૭માં કહેલ કે જ્ઞાનાદિના અવર્ણને બોલતા અને માયાવાળા સાધુ કિલ્બિષિકી ભાવનાને કરે છે. તેથી હવે કિલ્બિષિકી ભાવના કરનારા માયાવાળા સાધુના સ્વરૂપને કહે છે – ગાથા : गृहइ आयसहावं छायइ अ गुणे परस्स संते वि । चोरो व्व सव्वसंकी गूढायारो हवइ मायी ॥१६४२॥ दारं ॥ અન્વયાર્થ : કાયાવં દઉ=આત્મસ્વભાવને છુપાવે છે, પરસ્ત ગ વ મુળ છાયડૂ અને પરના સત્ પણ ગુણોને ઢાંકે છે; વો સવ્યસંશૌ=ચોરની જેમ સર્વશકી, ગૂઢીયારો-ગૂઢ આચારવાળો માથીદવડ્ડમાયી છે. ગાથાર્થ : આત્મસ્વભાવને છુપાવે છે, પરના સત્ પણ ગુણોને ઢાંકે છે; ચોરની જેમ સર્વશકી, ગૂઢ આચારવાળો માયી છે. ટીકાઃ गृहति-प्रच्छादयत्यात्मनः स्वभावं-गुणाभावरूपमशोभनं, छादयति गुणान् परस्य अन्यस्य सतोऽपि= Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy