SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / કુભાવના | ગાથા ૧૬૩૦-૧૬૩૧ ટીકા : यः संयतोऽपि सन् व्यवहारतः एतास्वप्रशस्तासु भावनासु वर्त्तते कथञ्चिद् भावान्द्यात्, द्वषु गच्छति सुरेषु कन्दर्पादिप्रकारेषु, भाज्यश्चरणहीन:- सर्वथा तत्सत्ताविकलः द्रव्यचरणहीनो वेति गाथार्थः ૫૬૩૦ા ટીકાર્ય વ્યવહારથી સંયત પણ છતા જે મહાત્મા કોઈક રીતે ભાવના માંઘથી=સંયમના પરિણામની મંદતાથી, અપ્રશસ્ત એવી આમાં=ભાવનાઓમાં, વર્તે છે, તે મહાત્મા તેવા પ્રકારવાળા=કંદર્પાદિ પ્રકારવાળા, સુરોમાં જાય છે. ચરણહીન=સર્વથા તેની સત્તાથી વિકલ અથવા દ્રવ્યચરણથી હીન, ભાજ્ય છે અર્થાત્ સર્વ પ્રકારે ચારિત્રના પરિણામની સત્તાથી રહિત સાધુ અથવા સાધુવેશરૂપ દ્રવ્યચારિત્રથી રહિત સાધુ દેવગતિમાં જાય પણ કે ન પણ જાય, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જે સાધુ સંયમગ્રહણ કર્યા પછી વ્યવહારથી સંયમની આચરણાઓ કરતા હોય, છતાં કોઈક રીતે સંયમના પરિણામની મંદતાને કારણે કાંદÇ આદિ પાંચ અશુભ ભાવનાઓમાં પણ વર્તતા હોય, તેઓ સંયમની આચરણાઓના પાલનના બળથી દેવલોકમાં જાય તોપણ, સંયમજીવનમાં પોતે કાંદÇ આદિમાંથી જે જે પ્રકારની અશુભ ભાવનાઓ સેવી હોય તે તે પ્રકારના કંદર્પ, કિલ્બિષિક આદિ દેવો થાય છે, જેથી ત્યાં પણ પ્રસ્તુત ભવમાં ભાવિત કરેલી ચેષ્ટાઓની અનુવૃત્તિ રહે છે. વળી જેઓ સર્વથા ચારિત્રની પરિણતિથી રહિત છે, માત્ર સાધુના વેશવાળા જ છે, અથવા જેઓ સાધુના વેશમાં પણ રહ્યા નથી, તેવા સાધુઓ દેવલોકમાં જાય જ, તેવો નિયમ નથી; જો આ ભવમાં શુભભાવ કર્યા હોય તો દેવલોકમાં જાય પણ, નહીં તો તિર્યંચાદિ ગતિમાં પણ જાય, પરંતુ જો દેવલોકમાં જાય તોપણ કંદર્પાદિરૂપ દેવદુર્ગતિને પ્રાપ્ત કરે. ॥૧૬૩૦ના અવતરણિકા : तत्र ૩૧૫ - 511211: અવતરણિકાર્ય : ત્યાં અર્થાત્ ગાથા ૧૬૨૯માં બતાવી એ પાંચ પ્રકારની અપ્રશસ્ત ભાવનાઓમાં, પ્રથમ કાંદર્પી ભાવનાનું સ્વરૂપ દર્શાવે છે - - Jain Education International कंदप्पे कुक्कुइए दुयसीले आवि हासणकरे अ । विम्हाविंतो अ परं कंदपं भावणं कुणइ || १६३१ ॥ परिदारगाहा ॥ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy