SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ સંલેખનાવતુક | અભ્યધત મરણ | ભાવસંલેખના / ગાથા ૧૬૦૬ ટીકા : परसावद्यच्यावनयोगेन-व्यापारेण तस्य यः स्वयं त्यागः सावद्यस्य, किम्भूत इत्याह-संवेगसारगुरुः प्रशस्तभावप्रधानः सः सावद्यत्यागः अकरणनियमवरहेतुः-पापाकरणस्यावन्ध्यहेतुरिति गाथार्थः ॥१६०६॥ ટીકાર્ય : પરના સાવધના ચ્યવનના યોગથી વ્યાપારથી અન્ય જીવોની સાવધ પ્રવૃત્તિનો ત્યાગ કરાવવાના વ્યાપારથી, તેનો=સાવધનો, જે સ્વયં ત્યાગ, કેવા પ્રકારનો સાવદ્યનો ત્યાગ ? એથી કહે છે – સંવેગના સારથી ગુરુ=પ્રશસ્ત ભાવથી પ્રધાન, એવો એકસાવધનો ત્યાગ, અકરણનિયમનો વર હેતુ છે–પાપના અકરણનો અવંધ્ય હેતુ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંયમી મહાત્મા સાવદ્ય એવા મન-વચન-કાયાના યોગોનો ત્યાગ કરીને, નિરવદ્ય એવા મન-વચનકાયાના યોગો પ્રવર્તાવવા અર્થે ક્ષણભર પણ પ્રમાદ કર્યા વગર ભગવાનના વચનાનુસાર સર્વ ક્રિયાઓમાં દઢ વ્યાપાર કરે છે; અને જયારે તેઓ અત્યંત નિરવદ્ય ભાવથી ભાવિત બને છે, ત્યારે તેઓને તે નિરવદ્ય એવા મન-વચન-કાયાના યોગો પ્રકૃતિરૂપે બને છે, જેથી તે મહાત્માના સાંનિધ્યમાં જે યોગ્ય જીવો આવે છે, તેઓના પણ સાવદ્ય વ્યાપારનો ત્યાગ થાય છે, તેથી તે મહાત્માનો સ્વયં સાવઘનો ત્યાગ અન્ય જીવોના સાવઘના ત્યાગના વ્યાપારપૂર્વકનો બને છે. આથી જ આવા નિરવ યોગોવાળા મહાત્માના સાંનિધ્યમાં આવતા હિંસક પ્રાણીઓ પણ હિંસા કરતા નથી. વળી અન્ય યોગ્ય જીવોના સાવદ્યના આવનના વ્યાપારપૂર્વકનો તે મહાત્માનો સાવદ્યનો ત્યાગ, માત્ર બાહ્ય આરંભના ત્યાગરૂપ નથી કે માત્ર બાહ્ય આરંભના ત્યાગપૂર્વકની ઉચિત પ્રવૃત્તિરૂપ નથી, પરંતુ સંવેગના સારથી ગુર છે અર્થાત્ સમભાવના પ્રકર્ષના પરિણામરૂપ પ્રશસ્ત ભાવ જેમાં પ્રધાન છે તેવો તે મહાત્માનો સાવધનો ત્યાગ છે. વળી આવો સાવદ્યનો ત્યાગ પાપના અકરણનિયમનો શ્રેષ્ઠ હેતુ છે. આશય એ છે કે સમભાવના પરિણામવાળા મહાત્મા ક્યારેય પણ પાપની પ્રવૃત્તિ કરતા નથી; કેમ કે જે કાંઈ પાપની પ્રવૃત્તિ થાય છે, તે બાહ્ય પદાર્થો પ્રત્યેના સંગના પરિણામને કારણે થાય છે, અને જે મહાત્માનું ચિત્ત અસંગભાવથી અત્યંત ભાવિત છે, અને અસંગભાવથી ભાવિત હોવાને કારણે જ જેઓના સાંનિધ્યથી બીજા યોગ્ય જીવોના પણ સાવદ્યપ્રવૃત્તિના પરિણામનો ત્યાગ થાય છે, તે મહાત્માના આત્મામાં ઉત્તમ ભાવોના સંસ્કારો પડે છે, જે પાપ નહીં કરવાના નિયમનો શ્રેષ્ઠ હેતુ છે. આ પ્રકારે ભાવન કરવાથી પાપના અકરણનિયમના અર્થી એવા તે સંલેખના કરનારા મહાત્માનું ચિત્ત અકરણનિયમના ઉપાયભૂત એવા સાવદ્યના પરિહાર પ્રત્યે અત્યંત પક્ષપાતી બને છે. ll૧૬૦૬I. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy