SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | યથાલંદકાની મર્યાદા / ગાથા ૧૫૪૨-૨૫૪૩ ૨૦૯ અહીં ટીકામાં “પ્રાયઃ'થી એ પ્રાપ્ત થાય કે યથાસંદિકોનું જિનકલ્પથી કંઈક જુદાપણું પણ છે, અને તે જુદાપણું બતાવે છે કે સૂત્રના વિષયમાં, ભિક્ષાચર્યાના વિષયમાં અને માસકલ્પના વિષયમાં જિનકલ્પિકોથી યથાસંદિકોનું જુદાપણું છે. તેમાંથી ભિક્ષાચર્યા અને માસકલ્પના વિષયમાં જ જિનકલ્પિકોથી યથાસંદિકોનું જે જુદાપણું છે તે પૂર્વગાથામાં “યથાલંદ' શબ્દથી વ્યુત્પત્તિ કરતાં બતાવ્યું. અને તે આ પ્રમાણે – - જિનકલ્પિકો જ્યાં માસકલ્પ કરે છે ત્યાં જ વીથીઓની કલ્પના કરીને પ્રતિદિન એકેક વીથીમાં અનિબદ્ધપણે ભિક્ષાટન કરે છે, તેથી તેઓ એક વીથીમાં ફરીથી સાતમા દિવસ પહેલાં ભિક્ષાટન કરતા નથી; જયારે યથાસંદિકો જયાં માસકલ્પ કરે છે ત્યાં જ વીથીઓની કલ્પના કરીને એકેક વીથીમાં ઉત્કૃષ્ટથી પાંચ દિવસ ભિક્ષાટન કરે છે. આ પ્રકારનો જિનકલ્પિકો અને યથાસંદિકો વચ્ચે ભિક્ષાચર્યામાં ભેદ છે. વળી જિનકલ્પિકો એકાકી જ માસકલ્પ કરે છે અને પ્રતિદિન એકેક વીથીમાં અનિબદ્ધપણે ભિક્ષાટન કરીને માસકલ્પ પૂર્ણ કરે છે; જયારે યથાસંદિકો ઉત્કૃષ્ટથી પાંચ સાધુઓના સમુદાયરૂપે માસકલ્પ કરે છે અને ઉત્કૃષ્ટથી પાંચ-પાંચ દિવસ એકેક વીથીમાં અનિબદ્ધપણે ભિક્ષાટન કરીને માસકલ્પ પૂર્ણ કરે છે. આ પ્રકારનો જિનકલ્પિકો અને યથાસંદિકો વચ્ચે માસકલ્પમાં ભેદ છે. વળી જિનકલ્પિકો અને યથાસંદિકો વચ્ચે સૂત્રમાં જે ભેદ છે તેને ગ્રંથકારશ્રી આગળ બતાવશે. ||૧૫૪૨ અવતરણિકા : તદેવા - અવતરણિતાર્થ : આને જ કહે છે=જિનકલ્પિકોથી યથાસંદિકોનું સૂત્રવિષયક જે નાનાત્વ છે એને જ સ્પષ્ટ કરે છે – ગાથા : पडिबद्धा इअरे वि अ एक्किक्का ते जिणा य थेरा य । अत्थस्स उ देसम्मी असमत्ते तेसि पडिबंधो ॥१५४३॥ અન્વયાર્થ: પવિMા ફરે વિ ૩=પ્રતિબદ્ધ અને ઇતર પણ હોય છે યથાસંદિકો પ્રતિબદ્ધ અને અપ્રતિબદ્ધ પણ હોય છે. વિદ્ય તે=એકેક તેઓ=પ્રતિબદ્ધ અને અપ્રતિબદ્ધ એ પ્રત્યેક યથાસંદિકો, ન ચ થેરા =જિનો અને સ્થવિરો હોય છે. ત્ય૩ રેસMી સમજો અર્થનો જ દેશ અસમાપ્ત હોતે છતે સ પડવંથો તેઓને પ્રતિબંધ છે=જિનયથાસંદિકોને ગચ્છમાં પ્રતિબંધ છે. ગાથાર્થ : યથાલંદિકો પ્રતિબદ્ધ અને અપ્રતિબદ્ધઃ એમ બે પ્રકારે હોય છે. પ્રતિબદ્ધ અને અપ્રતિબદ્ધ એ. પ્રત્યેક યથાસંદિકો જિન અને વિરઃ એમ બે પ્રકારે હોય છે. અર્થનો જ દેશ અસમાપ્ત હોતે છતે. જિનયથાલંદિકોને ગચ્છમાં પ્રતિબંધ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy