SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ સંખનાવતુક | અભ્યધત વિહાર | શુદ્ધપરિહારિકની સામાચારી/ ગાથા ૧૫૨૨-૧૫૨૩, ૧૫૨૪ ૧૮૫ ટીકા : ___ जङ्घाबले क्षीणे सत्यविहरन्नपि नवरं नापद्यते दोषमिति, तत्रैव यथाकल्पं क्षेत्रे करोति योगं महाभागः स्वकल्पस्येति गाथार्थः ॥१५२३॥ ટીકાર્થ: ફક્ત જંઘાબળ ક્ષીણ થયે છતે નહીં વિહરતા એવા પણ જિનકલ્પિક દોષને પ્રાપ્ત કરતા નથી. તે જ ક્ષેત્રમાં મહાભાગ એવા જિનકલ્પિક યથાકલ્પ સ્વકલ્પના યોગને પોતાના આચાર મુજબ જિનકલ્પના વ્યાપારને, કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જિનકલ્પિક મહાત્મા નિયમથી ત્રીજી પોરિસીમાં ભિક્ષાટન અને વિહાર કરે છે, તે સિવાય અન્ય કોઈ પોરિસીમાં ભિક્ષાટન કે વિહાર કરતા નથી. ત્રીજી પોરિસીથી શેષ પોરિસીઓમાં તેઓ પ્રાયઃ કાયોત્સર્ગમાં રહે છે અને શરીરથી શ્રાંત થયા હોય તો તેઓને અલ્પ નિદ્રા સંભવે છે. અહીં “પ્રાય:' શબ્દથી એ કહેવું છે કે ત્રીજી પોરિસીથી શેષ પોરિસીઓમાં જિનકલ્પિક પ્રવજ્યાની ઇચ્છાવાળા પુરુષને ઉપદેશ આપતા હોય કે તેવી કોઈ અન્ય પ્રવૃત્તિ કરતા હોય તો, તેને છોડીને તેઓ કાયોત્સર્ગમાં સ્થિત રહીને પૂર્વમાં અધીત એવા શ્રતનું પારાયણ કરે છે. ફક્ત પોતાનું જંઘાબળ ક્ષણ થયું હોય ત્યારે કોઈક એક ક્ષેત્રમાં તેઓ સ્થિરવાસ કરે છે, તોપણ તે ક્ષેત્ર પ્રત્યેના સંગકૃત કે તે ક્ષેત્રમાં વસતા ભક્તિવાળા શ્રાવકાદિ પ્રત્યેના સંગકૃત કોઈ દોષને તેઓ પ્રાપ્ત કરતા નથી, પરંતુ તે ક્ષેત્રમાં રહીને પોતાના કલ્પ અનુસાર સર્વ ઉચિત વ્યાપાર કરે છે, જેથી તેઓનો અસંગભાવ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. ./૧૫૨૨/૧૫૨all અવતરણિકા : ગાથા ૧૩૬માં કહેલ કે સાધુઓને ચરમકાળમાં અભ્યત વિહાર કે અભ્યદ્યત મરણ ઉચિત છે. ત્યારપછી ગાથા ૧૩૭૭માં (૧) જિનકલ્પ (૨) શુદ્ધપરિહાર (૩) યથાલંદ એમ ત્રણ પ્રકારના અભ્યદ્યત વિહાર બતાવ્યા, ત્યારપછી અત્યાર સુધી જિનકલ્પરૂપ અભ્યધત વિહારની વિધિ બતાવી. હવે શુદ્ધપરિહાર અને યથાલંદરૂપ અભ્યત વિહારની વિધિ બતાવવા માટે હવે સૌ પ્રથમ જિનકલ્પિકો સાથે શુદ્ધપરિહારિકોનું સામાચારીવિષયક સમાનપણું અને જુદાપણું ગાથા ૧૫૨૭ સુધી દર્શાવે છે – ગાથા : एसेव गमो णिअमा सुद्धे परिहारिए अहालंदे । नाणत्तं उ जिणेहिं पडिवज्जइ गच्छऽगच्छे वा ॥१५२४॥ અન્વયાર્થ : યુદ્ધ પરિસ્થિ મહાનં–શુદ્ધપરિહારિકમાં (અને) યથાલંદમાં નિમ=નિયમથી સેવ મો=આ જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy