SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ સંલેખનાવસ્તક | અભ્યધત વિહાર | જિનકભીની મયદિ / ગાથા ૧૪૫૪-૧૪૫૫ ગાથાર્થ : લેપાલેપ એ પ્રકારના અધિકારમાં લેપવાળા આહાર વડે મિશ્રિત એવો અલેપવાળો આહાર જે હોય, તે લેપાલેપ આહાર કહેવાય. જિનકલ્પિકના અલેપવાળા આહારના ગ્રહણના વિષયમાં ભક્ત અને પાન એ બંને પણ અન્યથી અસંમિશ્ર વિજ્ઞય થાય છે. ટીકા: लेपालेपमित्यत्राधिकारे लेपवता व्यञ्जनादिना अलेपवद् यदोदनादि, किमुक्तं भवति ? अन्येनाऽसंमिश्रं वस्त्वन्तरेण द्वितयमप्यत्र भवति विज्ञेयं भक्तं पानं चेति गाथार्थः ॥१४५४॥ ટીકાર્ય લેપાલેપ એ પ્રકારના આ અધિકારમાં=જિનકલ્પના અધિકારમાં, વ્યંજનાદિ લેપવાળા વડે શાક વગેરે લેપવાળા આહાર વડે, મિશ્ર એવું ઓદનાદિ અલેપવાળું જે હોય=ભાત વગેરે લેપ વગરનો જે આહાર હોય, તે લેપાલેપ આહાર કહેવાય, એમ અન્વય છે. શું કહેવાયેલું થાય છે=ઉપરના કથનથી શું કહેવાયેલું થાય છે? તે બતાવે છે – અહીં જિનકલ્પિકના અલેપવાળા આહારગ્રહણના વિષયમાં, ભક્ત અને પાનરૂપ દ્વિતય પણ=ભાતપાણીરૂપ બંને પણ, અન્યથી=વસ્તુઅંતરથી, અસંમિશ્ર અર્થાત્ લેપવાળા ભક્ત અને પાનથી અમિશ્રિત, વિષેય થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૪૧૩માં કહેલ કે જિનકલ્પિક ત્રીજી પોરિસીમાં અલેપકૃત આહારને સેવે છે. તે અલેપકૃત આહાર કેવા પ્રકારનો હોવો જોઈએ? તે દર્શાવવા ‘લેપાલેપ' દ્વાર બતાવતાં કહે છે કે લેપવાળા શાક વગેરેથી મિશ્રિત એવો ભાત વગેરે લેપ વગરનો આહાર લેપાલેપ કહેવાય. તેનાથી એ પ્રાપ્ત થાય કે લેપવાળી વસ્તુથી મિશ્રિત ન હોય, તેવા અલેપવાળાં આહાર-પાણી જ જિનકલ્પિકને ગ્રહણ કરવા કહ્યું છે, પરંતુ શાક વગેરે લેપવાળા આહારથી મિશ્રિત હોય, તેવો ભાત, વાલ, ચણા વગેરે લેપ વગરનો આહાર કે સૌવીર વગેરે લેપ વગરનાં પાણી જિનકલ્પિકને ગ્રહણ કરવા કહ્યું નહીં. II૧૪૫૪ અવતરણિકાઃ अलेपद्वारविधिमाह - અવતરણિકાર્ય : અલેપદ્વારની વિધિને કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy