SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ E પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચત ભાગ-૭તા સંકલત-સંપાદનની વેળાએ પ્રાથન အာ ‘પંચવસ્તુક’ એ એક વિશાળ એવા આગમસમુદ્રમાં છૂટાં-છવાયાં વેરાયેલાં રત્ન જેવા સંયમના આચાર બતાવનારાં વચનોમાંથી સારભૂત-અર્કરૂપ આગમવચનોને વીણી વીણીને એકત્ર ગૂંથેલી રત્નમાળા તુલ્ય ગ્રંથ છે, જેને શાસ્ત્રીય પરિભાષામાં ‘નિર્વ્યઢગ્રંથ’ કહેવાય છે. આ ગ્રંથરત્નમાં સંયમજીવનના પ્રારંભથી માંડીને નિષ્ઠા સુધીના શ્રમણના સર્વ કર્તવ્યોનું ક્રમશઃ વર્ણન કરેલ છે, જેને ગ્રંથકારશ્રીએ મુખ્યત્વે પાંચ વસ્તુઓમાં વિભક્ત કરીને આ ગ્રંથનું ‘પંચવસ્તુક' એવું સાર્થક નામ આપેલ છે, અને સાથે સાથે “આ જગતમાં ‘વસ્તુ' શબ્દથી વાચ્ય આ પ્રવ્રજ્યાવિધાન આદિ પાંચ જ છે, અન્ય કોઈ નહીં” એ વાત ‘વસ્તુ’ શબ્દની વિશિષ્ટ વ્યુત્પત્તિ કરવા દ્વારા ગ્રંથના પ્રારંભમાં સંગત કરી બતાવેલ છે. પ્રસ્તુત ગ્રંથના રચયિતા પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ ભિન્ન ભિન્ન આગમવચનોમાંથી ચરણકરણાનુયોગના નિચોડને એકત્ર સંકલિત કરીને ૧૭૧૫ ગાથાપ્રમાણ મહાકાય એવો આ ગ્રંથ સ્વોપજ્ઞ ટીકા સહ રચેલો છે. તેનું વિવેચનપૂર્વકનું સંપાદનકાર્ય પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ ઈ.સ. ૨૦૦૧ની સાલમાં શરૂ કરાવેલ અને તેની પૂર્ણાહુતિ લગભગ ઈ.સ. ૨૦૦૮ની સાલમાં થયેલ, જેની ફળશ્રુતિરૂપે આ ગ્રંથ અવતરણિકાર્થઅન્વયાર્થ-ગાથાર્થ-ટીકાર્થ-ભાવાર્થ આદિ દ્વારા શબ્દશઃ વિવેચનરૂપે સાત ભાગમાં સંકલિત-સંપાદિત થયો, જેમાંના છ ભાગ પૂર્વે પ્રકાશિત થઈ ચૂક્યા છે, હવે ચરમ એવો સાતમો ભાગ પ્રકાશિત થઈ રહેલ છે. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચનના ભાગ-૧માં પાંચ વસ્તુમાંથી ‘પ્રવ્રજ્યાવિધાન’ નામની પ્રથમ વસ્તુનું વર્ણન છે, ભાગ-૨ અને ભાગ-૩માં ‘પ્રતિદિનક્રિયા’ નામની બીજી વસ્તુનું વર્ણન છે, ભાગ-૪માં ‘વ્રતસ્થાપના’ નામની ત્રીજી વસ્તુનું વર્ણન છે, ભાગ-૫ અને ભાગ-૬માં ‘અનુયોગગણાનુજ્ઞા’ નામની ચોથી વસ્તુનું વર્ણન છે અને પ્રકાશિત થઈ રહેલ પ્રસ્તુત ભાગ-૭માં ‘સંલેખના' નામની પાંચમી વસ્તુનું વર્ણન છે. આ સંલેખનાવસ્તુકમાં સમાધિમરણ અને પંડિતમરણ પ્રાપ્ત કરવા માટેના અદ્ભુત ઉપાયો છે. મોહનિદ્રામાંથી કંઈક જાગૃત થયેલા, સંસારઉચ્છેદને અને આત્મકલ્યાણને ઇચ્છતા, જન્માંતરમાં દેવસુગતત્વસુમાનુષત્વ-યોગીકુળ-મોક્ષમાર્ગની સામગ્રીને ઝંખતા, જ્ઞાનપિપાસુ બુદ્ધિશાળીઓએ આ ગ્રંથનું અધ્યયનવારંવાર પઠન-ચિંતન-મનન-નિદિધ્યાસન અને અંતે પરિણમન અવશ્ય કર્તવ્ય છે. ધર્મતીર્થરક્ષક, અવર્ણનીય ગુણમૂર્તિ, મારા જીવનના અપ્રતિમ ઉપકારી એવા ૫. પૂ. આ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.ના અનન્ય ઉપકારને આ અવસરે હું સ્મૃતિપટ પર લાવું છું. આ વિરાટકાય ગ્રંથનું અધ્યયન તથા સંપાદનકાર્ય કરવાની ગુરુમહારાજે મને અનુજ્ઞા અને અનુકૂળતા કરી આપી તે બદલ હું તેઓની અતિ ઋણી છું. જ્ઞાનદાતાગુરુ, યોગગ્રંથમર્મજ્ઞ, પંક્તિપાંડિત્યયુક્ત પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈએ પણ મને આ ગ્રંથના અધ્યાપનમાં પોતાના અમૂલ્ય સમય-શક્તિ આપી મને સમ્યજ્ઞાનગુણથી કંઈક સંપન્ન કરી, ગ્રંથકારના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy