SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ વતસ્થાપનાવસ્તકો વાતવ્યાન' હાર / પેટા દ્વાર : “કથિત’ | ગાથા ૬૪૨-૬૪૩, ૪૪ ૪૯ * “સિદ્ધ પિ'માં “મપિ'થી એ જણાવવું છે કે એકેન્દ્રિયોનું જીવત્વ સામાન્યથી સિદ્ધ ન હોય તો તો ગ્રંથકાર કહે જ, પરંતુ સામાન્યથી સિદ્ધ પણ એકેન્દ્રિયોના જીવત્વને ગ્રંથકાર વિશેષથી કહેશે. ટીકાર્થ: તે કારણથી તેઓનું=એકેન્દ્રિયોનું, જીવત્વ જે પ્રકારે યોજાય છે=ઘટે છે, તે પ્રકારે હવે ઓઘથી=સામાન્યથી, સિદ્ધ પણ સંક્ષેપરૂપે વિશેષથી હું કહીશ. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સર્વદર્શનવાળા પ્રાયઃ કરીને બેઇન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધીના જીવોમાં જીવત્વ માને છે, પરંતુ એકેન્દ્રિયમાં જીવત્વ ઘણા દર્શનીઓ સ્વીકારતા નથી; કેમ કે તત્ત્વના વિષયમાં ઘણા વાદીઓને મોહ છે. તેથી એકેન્દ્રિયોમાં જે રીતે જીવત્વ ઘટે, તે રીતે કહેવાનો નિશ્ચય ગ્રંથકાર કરે છે જોકે ગાથા ૬૩૮થી ૬૪૧ના કથન પ્રમાણે એકેન્દ્રિયોમાં જીવત્ર ગ્રંથકારે સામાન્યથી સિદ્ધ કરેલ છે, છતાં ઘણા દર્શનવાદીઓ માનતા નહીં હોવાથી હવે પછીની ગાથાઓમાં એકેન્દ્રિયોમાં જીવત્વની સિદ્ધિ વિશેષથી ગ્રંથકાર કરશે; અને તે સિદ્ધિ પણ વિસ્તારથી નહીં કરે, પરંતુ સંક્ષેપથી કરશે. અહીં “પ્રાયઃ” શબ્દથી એ જણાવવું છે કે ચઉરિન્દ્રિયથી માંડીને બેઇન્દ્રિય સુધીના જીવોમાં જીવત્વ મોટાભાગના દર્શનકારો સ્વીકારે છે, પરંતુ કેટલાક દર્શનકારો ચઉરિન્દ્રિયાદિમાં પણ જીવત્વ સ્વીકારતા નથી, અને પંચેન્દ્રિય જીવોમાં જીવત્વ તો બધા જ માને છે; આથી ગાથા ૬૪રમાં પંચેન્દ્રિયની વિવક્ષા ન કરતાં “ચઉરિન્દ્રિયથી માંડીને બેઇન્દ્રિય સુધીના જીવોને પ્રાયઃ સર્વ પણ ઇચ્છે છે,” એમ કહેલ છે; અને જૈનદર્શન એકેન્દ્રિયોમાં જીવત્વ માને છે, આથી આગળની ગાથાઓમાં એકેન્દ્રિયોમાં જીવત્વસાધક યુક્તિઓ ગ્રંથકાર આપશે. ૬૪૨/૬૪૩. અવતરાણિકા : ગાથા ૬૩૮થી ૬૪૧માં એકેન્દ્રિયોમાં જીવત્વની સિદ્ધિ સામાન્યથી કરી, ત્યાં કોઈ શંકા કરે છે – ગાથા : आह नणु तेसि दीसइ दव्विदिअ मो ण एवमेएसिं । तं कम्मपरिणईओ न तहा चउरिदिआणं व ॥६४४॥ અન્વયાર્થ : માદ (પૂર્વપક્ષી) કહે છે – તેસિકતેઓની=બધિરાદિની, ળિવિક દ્રવ્યન્દ્રિય વીસ દેખાય છે, પૂર્વએ રીતે પણ =આમની=એકેન્દ્રિયોની, (દેખાતી) નથી. માટે બધિરાદિના દષ્ટાંત દ્વારા એકેન્દ્રિયોમાં જીવત્વ સિદ્ધ થાય નહીં; તેને ગ્રંથકાર કહે છે-) મરિફંગો-કર્મપરિણતિથી ઢિિાપ વચઉરિન્દ્રિયોની જેમ તંત્રતે=દ્રવ્યેન્દ્રિય, તહાં તે પ્રકારે (એકેન્દ્રિયોને) નથી. * “ો' પાદપૂર્તિમાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy