SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ક પ્રતિદિનકિચાવક/ “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૫૦-૪૫૧, ૪૫ર ટીકાર્થ: | ગુજઃ મણિજિતઃ ગુરુ અહિંડિત છે=ભિક્ષા આદિ અર્થે ફરેલા નથી, કૃતિ કૃત્વા એથી કરીને વૈસિરી चेष्टां=मुखवस्त्रिकाप्रत्युपेक्षणाद्यां चेष्टां यावद् द्विगुणां चिन्तयति तावद् बहुव्यापाराः इतरे सामान्यसाधवः પ્રમુખ રિાન્તિ–દેવસિકિી=દિવસ સંબંધી, ચેષ્ટાને=મુહપત્તિની પ્રત્યુપેક્ષણાના આધવાળી ચેષ્ટાને, જ્યાં સુધી બે ગણી=બે વાર, ચિંતવે છે, ત્યાં સુધી બહુવ્યાપારવાળા ઇતરો–સામાન્ય સાધુઓ, એકગણી=એકવાર, ચિંતવે છે. તદ=શ્વેષ્ટાયાં દામાપયા ૩૫યુજીયા યે મતિવારા: નાતા. ત્યાં=ચેષ્ટામાં દિવસ સંબંધી મુહપત્તિની પ્રત્યુપેક્ષણા આદિરૂપ ચેષ્ટા કરવામાં, કાંટાવાળા માર્ગની ઉપમાથી ઉપયુક્ત પણ સાધુને જે અતિચારો થયેલા હોય, નવરં તાન રેસિ થાન્તિ ફક્ત તેઓને-તે અતિચારોને, ચિત્તમાં ધારણ કરે છે. રૂતિ ગાથાર્થ એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: ગુરુ ગોચરી આદિના પ્રયોજનથી બહાર જતા નથી, તેથી તેઓને અતિચારોના ચિંતવનમાં બહુ સમય લાગતો નથી; જ્યારે અન્ય સાધુઓ ગોચરી વગેરેના પ્રયોજનથી બહાર ગયેલા હોય છે, તેમ જ સામાન્ય સાધુઓ પડિલેહણ, વૈયાવચ્ચાદિ ઘણા વ્યાપારવાળા હોય છે. માટે તેઓને તે સર્વ વ્યાપારવિષયક અતિચારોનું ચિંતવન કરવામાં સમય લાગે. તેથી અતિચારોના ચિંતવનમાં ગુરુ કરતાં અન્ય સાધુઓને વધારે સમય લાગતો હોવાથી ગુરુ બે વાર અતિચારોનું ચિંતવન કરે, એટલા જ કાળમાં અન્ય સાધુઓ સર્વ અતિચારોનું ચિંતવન એક વાર કરે છે. સામાન્ય રીતે કાંટાથી પથરાયેલ માર્ગમાં જે રીતે મનુષ્યો ઉપયોગપૂર્વક ગમનાદિની ચેષ્ટા કરે છે, તે રીતે સાધુ પણ કોઈ જીવની વિરાધના ન થાય, એ રીતે અત્યંત ઉપયુક્ત થઈને મુહપત્તિ વગેરેની પડિલેહણા આદિ સર્વ પ્રવૃત્તિ કરે છે; કેમ કે સાધુ તત્ત્વના જાણ હોવાથી જાણતા હોય છે કે જગતમાં ગમે તે સ્થાને ગમે તે જીવો હોઈ શકે છે, તેથી તે જીવોનો નાશ કે પીડા ન થાય તે રીતે ઉપયુક્ત થઈને મારે પડિલેહણ આદિ કે ગમન આદિની ચેષ્ટા કરવી જોઈએ. આ રીતે ઉપયુક્ત થઈને સંયમની સર્વ પ્રવૃત્તિ કરતા સાધુને પણ અનાદિકાળના પ્રમાદને કારણે ઉપયોગમાં સ્કૂલના થવાથી અનાભોગાદિથી કોઈ સૂક્ષ્મ અતિચારો લાગ્યા હોય તો તે સર્વ અતિચારોને સાધુ કાયોત્સર્ગકાળમાં ચિત્તમાં ધારણ કરી રાખે છે અર્થાત્ સવારથી સાંજ સુધીની દરેક ક્રિયામાં જે કાંઈપણ માનસિક-વાચિક-કાયિક સ્કૂલનાઓ થઈ હોય, તે રૂપ સર્વ અતિચારોનું કાયોત્સર્ગ કરતી વખતે સાધુ અનુસ્મરણ કરી રાખે છે, અને તે અતિચારોનું મનમાં બરાબર સ્મરણ કરીને કાયોત્સર્ગ પાર્યા પછી સાધુઓ તે અતિચારોનું સંવેગપૂર્વક આલોચન કરે છે, જેથી તેઓના દોષોની અવશ્ય શુદ્ધિ થાય છે. ૪૫૦/૪૫૧ અવતરણિકા : किंविशिष्टाः सन्त इत्याह - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે કાયોત્સર્ગમાં ગુરુ અતિચારોનું ચિંતવન બે વખત કરે તેટલા સમયમાં સામાન્ય સાધુઓ એક વખત ચિંતવન કરે છે. તે ચિંતવન સાધુઓ કેવા વિશિષ્ટ છતા થઈને કરે છે? તે કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy