SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પ્રતિદિનક્રિચાવડુક ‘આવશ્યક દિ' દ્વાર/ ગાથા પ૨૩ અન્વયાર્થ: તરસ *તેના જ=સુભટના જ, પવેનિસમવારનો સુ=પ્રવેશ, નિર્ગમ, અને વારણરૂપ યોગોમાં નદwજે પ્રકારે જપૂનાવાહામૂલની અબાધા વડે=કાં મરવું કાં જીતવું' એ રૂપ મૂળ અધ્યવસાયની અબાધા વડે, વવાયા=અપવાદો છે, તહીં–તે પ્રકારે નવરામિ નવકારશી આદિમાં મારા આગારો છે. ગાથાર્થ સુભટના જ પ્રવેશ, નિર્ગમ અને વારણરૂપ વ્યાપારોમાં, જે પ્રકારે જ “કાં મરવું કાં જીતવું એ રૂપ મૂલ અધ્યવસાયની અબાધા વડે અપવાદો છે, તે પ્રકારે નવકારશી આદિ પચ્ચખાણમાં આગારો છે. ભાવાર્થ: યુદ્ધભૂમિમાં જાય ત્યારે સુભટનો મરણના ભોગે પણ જય મેળવવાનો એક અધ્યવસાય હોવા છતાં, શત્રુને જીતવારૂપ મૂળ અધ્યવસાયનો બાધ ન થાય તે રીતે સંયોગો પ્રમાણે સુભટ ક્યારેક યુદ્ધમાં પ્રવેશ કરે છે, વળી ક્યારેક યુદ્ધમાંથી પાછો પણ ફરે છે, તો ક્યારેક યુદ્ધનું વારણ પણ કરે છે. તે આ રીતે – સુભટને જ્યારે લાગે કે અત્યારે શત્રુનો નાશ થઈ શકે એમ છે ત્યારે યુદ્ધભૂમિમાં પ્રવેશ કરે છે. વળી જ્યારે તેને લાગે કે શત્રુ બળવાન છે, તેથી હું અત્યારે યુદ્ધ કરીશ તો મારો નાશ થશે, ત્યારે પોતાની જાતનું રક્ષણ કરવા માટે અને ભાવિમાં શત્રુનો જય કરવા માટે પોતે યુદ્ધભૂમિમાંથી પલાયન પણ થઈ જાય છે. અને ક્યારેક સુભટને લાગે કે અત્યારે યુદ્ધ થશે તો પોતાનું સૈન્યબળ ઓછું હોવાથી પોતાનું અને પોતાના પક્ષના અન્ય પણ સુભટાદિનું મરણ થાય તેમ છે, ત્યારે યુદ્ધનું વારણ કરે છે, અને જયારે પોતાની શક્તિનો સંચય થાય ત્યારે યુદ્ધ કરવા માટે ફરી પ્રવર્તે છે. આ રીતે શત્રુના જય અર્થે સુભટ જેમ ત્રણેય પ્રકારના વ્યાપારો કરવારૂપ અપવાદો સેવે છે, તેમ સાધુ પણ આંતરશત્રુના જય માટેના યત્નસ્વરૂપ સામાયિકના પરિણામની વૃદ્ધિ અર્થે આગારીપૂર્વકનું પચ્ચખાણ ગ્રહણ કરે છે. અહીં વિશેષ એ છે કે જેમ સાચો સુભટ શત્રુના જયનો પરિણામ બાધા ન પામે તે રીતે શત્રુના જય માટે અપવાદરૂપ ઉચિત ઉપાયો રૂપે યુદ્ધમાં પ્રવેશ, નિર્ગમ અને વારણરૂપ વ્યાપારો કરે છે, છતાં ઉત્સર્ગથી તો સુભટની પ્રવૃત્તિ એકાગ્રતાપૂર્વક શત્રુને જીતવાના એક અધ્યવસાયરૂપ હોય છે; તેમ મુનિ પણ રાગાદિરૂપ આંતરશત્રુઓને જીતવાના એક અધ્યવસાયવાળા હોય છે, માટે તેઓ એકાગ્રતાથી સમભાવમાં યત્ન કરતા હોય છે; છતાં શત્રુનો નાશ કરવામાં અપવાદિક પ્રવૃત્તિ પણ અનિવાર્ય હોવાથી મુનિ આગારીપૂર્વક ___ तस्य तु तस्यैव सुभटस्य, प्रवेशश्च सङ्ग्रामे जयार्थिनः प्रवेशनं, निर्गमश्च तत एव जयार्थिन एव निर्गमनं, वारणं च=विशिष्टाऽवसरप्राप्तये प्रहरत: स्वबलस्य शत्रोर्वा निवारणं, योगश्च तस्यैव प्रयोगो व्यापारणं, प्रवेशनिर्गमवारणयोगाः प्रवेशनिर्गमवारणान्येव वा योगा: व्यापारा: प्रवेशनिर्गमवारणयोगाः, अतस्तेषु वैरिनिराकरणोपायभूतेषु सामायिकसिद्ध्युपायभूतनमस्कारसहितादिकल्पेषु यथा तु यथैवाऽपवादा: आकाराः तत्कारणभजनालक्षणा महत्तराकारादिकल्पा भवन्ति । कथमित्याह-मूलाबाधया मूलभूतस्य मर्त्तव्यं जयो वाऽवाप्तव्य इत्येवंलक्षणस्याऽध्यवसायस्याऽविचलिततया, तथा तेनैव प्रकारेण, नमस्कारादौ नमस्कारसहितादौ प्रत्याख्याने, आकारा: अपवादा महत्तरादिलक्षणा, मूलाबाधया सुभटभावकल्पसामायिकाबाधया, भवन्तीति गाथार्थः ॥पंचाशकटीका-२१॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy