SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા પ૧૮-૫૧૯ તેથી સાધુને ઉત્સર્ગની પ્રવૃત્તિથી સમભાવની વૃદ્ધિ થતી જણાય ત્યારે ઉત્સર્ગની પ્રવૃત્તિ કરે છે, અને જયારે ઉત્સર્ગની પ્રવૃત્તિથી સમભાવની વૃદ્ધિ થતી ન જણાય ત્યારે અપવાદની પ્રવૃત્તિ કરે છે. આથી સામાયિકમાં આગારો બતાવ્યા નથી. વળી બાહ્ય આચરણારૂપ પચ્ચખાણ પણ સમભાવની વૃદ્ધિ અર્થે જ છે, અને પચ્ચક્ખાણ જે પ્રમાણે ગ્રહણ કરાયું હોય તે પ્રમાણે સમ્યફ પાલન કરવામાં આવે તો તે પચ્ચકખાણથી અપ્રમાદભાવની વૃદ્ધિ થાય છે. તેથી સમભાવની વૃદ્ધિના અંગભૂત એવા અપ્રમાદની વૃદ્ધિ અર્થે સાધુ આગારીપૂર્વક પચ્ચકખાણ ગ્રહણ કરે છે. આનાથી એ ફલિત થયું કે આગારીપૂર્વક પચ્ચખાણ ગ્રહણ કરવાનું પ્રયોજન સમભાવની વૃદ્ધિ છે. તેથી પૂર્વગાથાની ટીકાના અંતે કહેલ કે પચ્ચખાણના ગ્રહણનું મૂળથી જ કોઈ કાર્ય નથી, તેનું નિરાકરણ થાય છે. પ૧૮. અવતરણિકા : एतदेव प्रकटयन्नाह - અવતરણિકાઈઃ પૂર્વગાથામાં કહ્યું કે સર્વ પદાર્થોમાં સમભાવ હોતે છતે જ સામાયિક થાય છે. એને જ પ્રગટ કરતાં કહે છે – ગાથા : तं खलु निरभिस्संगं समयाए सव्वभावविसयं तु । कालावहिम्मि वि परं भंगभया णाऽवहित्तेण ॥५१९॥ અન્વયાર્થ: સંઘનુ=ખરેખર તે સામાયિક, સમયા=સમતાને કારણે સબૂમાવવિસયં તુ સર્વ ભાવોના વિષયવાળું જ નિમિસંક્રાં નિરભિમ્પંગ છે, ત્નિાવ િવિ=કાલાવધિ હોતે છતે પણ માવજીવરૂપ કાળની મર્યાદા પણ, પરં મંગમયા=પછી ભંગના ભયથી છે=આ જીવન પૂરું થયું પછી વ્રત ભાંગવાના ભયથી છે, મવદિત્તા =અવધિપણાથી નથી. ગાથાર્થ : ખરેખર સામાયિક સમતાને કારણે સર્વ ભાવોના વિષયવાળું જ નિરભિવૃંગ છે. ચાવજીવરૂપ કાળની મર્યાદા પણ આ જીવન પૂરું થયા પછી વ્રતભંગના ભયથી છે, પરંતુ અવધિપણાથી નથી. ટીકાઃ तत् सामायिकं निरभिष्वङ्ग-निराशंसमेव समतया हेतुभूतया, सर्वभावविषयं तु सर्वपदार्थविषयमेव निरभिष्वङ्गं, कालावधावपि-यावज्जीवनमित्येवंभूते परं जीवनाद् भङ्गभयात्, नाऽवधित्वेन वर्त्तते, अतस्तत्राऽपि निरभिष्वङ्गमेवेति गाथार्थः ।।५१९॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy