SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૯૦-૪૯૧ ૧૧૩ ગાથાર્થ : ગુર વડે સ્તુતિમંગલનું ઉચ્ચારણ કરાયે છતે શેષ સાધુઓ સ્તુતિઓ બોલે છે, ત્યારપછી સર્વ સાધુઓ થોડો સમય આચાર્યની પાસે બેસે છે. ટીકાઃ स्तुतिमङ्गले गुरुणा आचार्येणोच्चारिते सति ततः शेषाः साधवः स्तुती: ब्रुवते ददतीत्यर्थः, तिष्ठन्ति ततः प्रतिक्रान्तानन्तरं स्तोकं कालम्, क्वेत्याह - गुरुपादमूले आचार्यान्तिक इति गाथार्थः ॥४९०॥ ટીકાઈઃ ગુરુ વડે=આચાર્ય વડે, સ્તુતિમંગલ ઉચ્ચારાયે છતે ત્યારપછી શેષ સાધુઓ સ્તુતિઓને બોલે છે=આપે છે, ત્યારપછી=પ્રતિક્રાંતની અનંતર=પ્રતિક્રમણ પૂરું થયા પછી તરત, સ્તોક કાળ રહે છે થોડો કાળ સાધુઓ રહે છે, ક્યાં રહે છે? એથી કહે છે – ગુરુના પાદમૂલમાં=આચાર્યના અંતિકમાંeગુરુની પાસે, રહે છે એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: છ આવશ્યકની સમાપ્તિ કર્યા પછી હર્ષના અતિશય રૂપે નમોડસ્તુવર્ધમાનાય ઇત્યાદિ મંગલરૂપ સ્તુતિ બોલાય છે, જે સ્તુતિ પ્રથમ આચાર્ય બોલે છે અને ત્યારબાદ શેષ સાધુઓ બોલે છે. ત્યારપછી સર્વ સાધુઓ થોડો કાળ આચાર્ય પાસે બેસે છે, જેનું પ્રયોજન આગળની ગાથામાં ગ્રંથકાર સ્વયં બતાવવાના છે. II૪૯૦ અવતરણિકા: प्रयोजनमाह - અવતરણિયાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે ત્રણ સ્તુતિઓ બોલ્યા પછી સાધુઓ થોડો કાળ આચાર્ય પાસે બેસે છે. તે બેસવાના પ્રયોજનને કહે છે – ગાથા : पम्हटुमेरसारण विणओ य ण फेडिओ हवइ एवं । आयरणा सुअदेवयमाईणं होइ उस्सग्गो ॥४९१॥ અન્વયાર્થ: (ગુરુ પાસે બેસવાથી) પહુરસાર=વિસ્મૃત મર્યાદાનું સ્મરણ થાય છે, વં વળી આ રીતે સાધુઓ પ્રતિક્રમણ પૂરું થયા પછી ગુરુ પાસે બેસે એ રીતે, વિપકો દ પ વડું વિનય સ્ફટિત=ઓળંગાયેલ, થતો નથી. (આટલું પ્રતિક્રમણ છે.) માયર=આચરણા વડે=જીતવ્યવહાર વડે, સુમવયમાં =શ્રુતદેવતા આદિનો ૩ =કાયોત્સર્ગ દોડું થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy