SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ દ્વારગાથા ૪૬૬-૪૬૭, ૪૬૮ ગાથાર્થ અને સૂત્ર-અર્થમાં અત્યંત ઉપયુક્ત, શરીર ઉપર લાગતા ડાંસ, મચ્છર વગેરેને પણ નહીં ગણતા, ધૃતિ-બળથી યુક્ત એવા સાધુઓ પ્રતિક્રમણ સૂત્રને પદ પદ વડે બોલે છે. ટીકાઃ तत्पुनः प्रतिक्रमणं पदं पदेन पठन्ति सूत्रार्थयोश्च तत्प्रतिबद्धयोरत्यन्तमुपयुक्ताः भावप्रणिधानेन दंशमशकादीन् काये लगतोऽप्यगणयन्तः सन्तो धृतिबलसमेता इति गाथार्थः ॥४६७॥ ટીકાર્ય : અને તેનાથી પ્રતિબદ્ધ=પ્રતિક્રમણ સૂત્ર સાથે જોડાયેલા એવા, સૂત્ર અને અર્થમાં ભાવપ્રણિધાનથી=બોલાતા સૂત્ર દ્વારા તે તે પ્રકારના ભાવને નિષ્પન્ન કરવાના દઢ સંકલ્પથી, અત્યંત ઉપયુક્ત, કાય ઉપર લાગતા દંશ, મશકાદિને પણ નહીં ગણતા છતા, ધૃતિ-બળથી સમેત યુક્ત એવા સાધુઓ, વળી તેને પ્રતિક્રમણને, પદ પદ વડે દરેક પદના અર્થોના પ્રતિસંધાનપૂર્વક, બોલે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : - પૂર્વના કાળમાં સાંજના પ્રતિક્રમણમાં ગુરુ પાસે દોષોનું આલોચન કર્યા પછી પ્રાયશ્ચિત્ત સ્વીકારવાની વિધિ કરાતી હોવી જોઈએ, માટે અહીં કહ્યું છે કે ગુરુ પાસે સ્વીકારેલ પ્રાયશ્ચિત્તવાળા જ મુનિઓ સામાયિક સૂત્ર બોલવાપૂર્વક પગામસિજ્જારૂપ પ્રતિક્રમણ સૂત્ર સાથે પ્રતિબદ્ધ એવા સૂત્ર અને અર્થમાં ભાવપ્રણિધાનપૂર્વક અત્યંત ઉપયુક્ત થઈને પગામસિજાસૂત્ર બોલે છે અર્થાત પ્રતિક્રમણ સૂત્રમાં બોલાતા દરેક પદના અર્થોમાં સાધુ એ રીતે ઉપયુક્ત થાય છે કે જેથી તે તે સૂત્રોમાં બતાવાયેલ ભાવોનું ચિત્તમાં ફુરણ થાય. વળી, સાધુઓ ધૃતિ અને બળથી યુક્ત થઈને પ્રતિક્રમણ સૂત્ર બોલે છે અર્થાત્ ચિત્ત રાગાદિથી આકુળ ન થાય અને સૂત્રના ભાવોમાં દઢ યત્ન કરી શકે તેવી માનસિક વૃતિથી, અને અપ્રમાદભાવની વૃદ્ધિ થાય તે રીતે યોગો પ્રવર્તાવવારૂપ શારીરિક બળથી, યુક્ત થઈને સૂત્રો બોલે છે. વળી સૂત્રો બોલતી વખતે દંશ-મશકાદિની ઉપેક્ષા કરવામાં ન આવે તો ચિત્ત વારંવાર શરીરે કરડતા દંશ-મશકાદિમાં સંલગ્ન થવાથી સૂત્ર-અર્થમાં તે પ્રકારનો દઢ ઉપયોગ રહે નહીં. આથી સૂત્રોથી વાચ્ય એવા પરિણામ કરવાના અત્યંત અર્થી એવા સાધુઓ દંશ-મશકાદિની ઉપેક્ષા કરીને સૂત્ર-અર્થમાં દઢ ઉદ્યમ કરે છે, જેથી સૂત્રથી નિષ્પાદ્ય એવા ભાવોમાં દઢ યત્ન થવાને કારણે દિવસ દરમિયાન થયેલાં પાપોની પ્રતિક્રમણ દ્વારા શુદ્ધિ થાય છે. I૪૬૬/૪૬ અવતરણિકા : ગાથા ૪૬૬-૪૬૭માં બતાવ્યું તે રીતે સાધુઓ પ્રતિક્રમણ સૂત્ર બોલે છે. ત્યારપછી સાધુઓ શું કરે છે? તે બતાવતાં કહે છે – ગાથા : परिकड्डिऊण पच्छा किइकम्मं काउ नवरि खामंति । आयरिआई सव्वे भावेण सुए तहा भणिअं ॥४६८॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy