SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘પ્રત્યુપેક્ષણા’ દ્વાર / પેટા દ્વાર : ‘વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૦૧ સાધુનો) પ્રભવ હોતે છતે પુરું આવુત્તિાન=ગુરુને પૂછીને ચરે ઇતર વિષયક=પ્રત્યાખ્યાની આદિ સાધુઓ વિષયક, (ઉપધિનું પ્રત્યુપેક્ષણ કરે.) વિતતૢ વિતથ થાય છે=અન્યથા વિપરીત પડિલેહણ થાય છે. ગાથાર્થ: પુરુષવિપર્યાસ અને ઉપધિવિપર્યાસ કરવો જોઈએ નહીં. હવે અપવાદથી ઉપધિવિપર્યાસનું સ્થાન બતાવે છે – સાગારિક હોતે છતે ઉપધિવિપર્યાસ કરે. હવે અપવાદથી પુરુષવિપર્યાસનું સ્થાન બતાવે છેઆભિગૃહિક સાધુનો પ્રભવ હોતે છતે, ગુરુને પૂછીને પ્રત્યાખ્યાની આદિ સાધુઓ વિષયક ઉપધિનું પડિલેહણ કરે, અન્યથા વિપરીત પ્રત્યુપેક્ષણા થાય છે. 1 ટીકા ઃ पुरुषोपधिविपर्यास इति पुरुषविपर्यासो गुरुं विहाय प्रत्याख्यानिन इत्यादिरूपः उपधिविपर्यासस्तु प्रथमं बहुपरिकर्म्मादेः तदनु यथाकृतस्य, उपलक्षणत्वाच्चैतस्य पूर्वाह्ने प्रथमं भाजनानां तदनु वस्त्राणां अपराह्ने विपर्ययः एष विपर्यासः, अयं च न कर्त्तव्य इति । अपवादमाह – सागारिके उपधौ तथा अनुचिते कुर्यादुपधिविपर्यासं मा भूत् तत्र बहुमान इतरस्य वा सङ्क्लेश इति, एवं गुरोराभिग्रहिके सति आपृच्छ्यैव गुरुम् आभिग्रहिकसम्पदा (? दि) प्रभवति सति गुरौ इतर इत्यन्येषां प्रत्याख्यानिप्रभृतीनां प्रत्युपेक्षेत, अन्यथा वितथमिति वितथं प्रत्युपेक्षणं भवतीति गाथार्थ: ર૬. નોંધઃ ૫૧ આમિગ્રહિતસમ્પલ છે તેને સ્થાને મિગ્રહિન્નમ્પત્તિ હોવું જોઈએ. ટીકાર્ય પુરુષ અને ઉપધિનો વિપર્યાસ એટલે ગુરુને છોડીને પ્રત્યાખ્યાનવાળા સાધુની ઉપધિનું પ્રથમ પ્રત્યુપેક્ષણ કરવું ઇત્યાદિરૂપ પુરુષનો વિપર્યાસ છે, વળી પ્રથમ બહુપરિકર્માદિનું=બહુપરિકર્મવાળા અને અલ્પ પરિકર્મવાળા વસ્ત્ર અને પાત્રનું, ત્યારપછી યથાકૃત વસ્ત્રાદિનું પ્રત્યુપેક્ષણ કરવું એ ઉપધિનો વિપર્યાસ છે. અને આનું=પ્રથમ બહુપરિકર્માદિવાળા વસ્ત્રાદિનું અને પછી યથાકૃત વસ્ત્રાદિનું પ્રત્યુપેક્ષણ કરવું એ ઉપધિનો વિપર્યાસ છે એ કથનનું, ઉપલક્ષણપણું હોવાથી, પૂર્વાદ્ઘમાં પ્રથમ ભાજનોનું=પાત્રાઓનું, ત્યારપછી વસ્ત્રોનું= પાત્ર સંબંધી ઝોળી આદિ વસ્ત્રોનું, પ્રત્યુપેક્ષણ કરવું, અને અપરાદ્ધમાં વિપર્યય=સાંજે પાત્રપડિલેહણમાં પ્રથમ પાત્રાઓના પ્રત્યુપેક્ષણને બદલે પહેલાં ઝોળી આદિ વસ્ત્રોનું અને ત્યારપછી પાત્રાઓનું પ્રત્યુપેક્ષણ કરવું, એ ઉપધિનો વિપર્યાસ છે. અને આ=પુરુષનો વિપર્યાસ અને ઉપધિનો વિપર્યાસ, કરવા યોગ્ય નથી. ‘કૃતિ' પુરુષ અને ઉપધિવિપર્યાસના સ્વરૂપના કથનની સમાપ્તિ અર્થે છે. અપવાદને કહે છે. — Jain Education International સાગારિક હોતે છતે ઉપધિમાં તે પ્રકારે અનુચિત હોતે છતે=ગૃહસ્થ વિદ્યમાન હોતે છતે ઉપધિમાં કોઈ કીમતી વસ્ત્ર-પાત્રનું પડિલેહણ કરવું અનુચિત હોતે છતે, ત્યાંયથાકૃત વસ્ત્રાદિમાંથી કોઈક કીમતી વસ્તુમાં, બહુમાન=ચોરાદિ ગૃહસ્થને તે કીમતી વસ્તુ લેવાનો પરિણામ, અથવા ઈતરને સંક્લેશ ન થાઓ=સાધુને તે ચોર વગેરે તરફથી ઉપદ્રવ ન થાઓ, એથી કરીને સાધુ ઉપધિના વિપર્યાસને કરે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005509
Book TitlePanchvastuk Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy